સુંદરકાંડ
તુલસીદાસજી કહે છે કે-શ્રી
રઘુનાથજી નું બાણ છૂટે એવા વેગ થી હનુમાનજી એ લંકા તરફ પ્રયાણ કર્યું.
જિમિ અમોઘ રઘુપતિ કર બાના,એહી
ભાંતિ ચલેંઉ હનુમાના.
તેમના વેગીલા
સુસવાટથી,કેટલાંય વૃક્ષો ઉખડી પડ્યાં,અને પ્રવાસે જતા સંબંધી ને વળાવવા જતા હોય,
તેમ થોડે દૂર સુધી,હવામાં
તેમની પાછળ ઉડ્યા.
હનુમાનજી ના ઉડવા ના વેગ થી
સમુદ્રનાં મોજાં ખેંચાઈ ને ઉંચે ઉંચે ઉછળવા લાગ્યાં.
હનુમાનજી એ ઉડતી વખતે,પૂંછડું
ઊંચું રાખ્યું હતું,જે આકાશમાં મેઘ-ધનુષ્ય સમાન ભાસતું હતું.
હનુમાનજી ને પોતાની ઉપરથી જતા
જોઈને,સમુદ્ર ને થયું કે મારે પણ,હનુમાનજી ને કંઈ મદદ કરવી જોઈએ.એટલે એણે પોતાની
અંદર પોઢેલા પર્વત મૈનાક ને કહ્યું કે- તુ બહાર આવ,જેથી હનુમાનજી ઘડીક આરામ કરીને
આગળ વધે. એટલે મૈનાક તરત સમુદ્રમાંથી બહાર ઉંચે આવ્યો,અને
હનુમાનજી ને પોતાના શિખર પર
આરામ કરવા વિનંતી કરવા લાગ્યો.
હનુમાનજી એ તેણે માત્ર હાથથી
સ્પર્શ કરી તેનો આભાર માની કહ્યું,કે-
શ્રીરામનું કામ કર્યા વિના
મને વિસામો કેવો?. “રામ કાજુ કીન્હેં બિનુ મોહિ કહાં વિશ્રામ?”
બીજી બાજુ દેવો ને થયું કે-હનુમાનજી
માં જેવું બળ છે તેવી બુદ્ધિ છે કે નહિ –તે જોવું પડશે.
તેમણે સુરસા નામની નાગ માતા
ને મોકલી,સુરસા વિકરાળ રાક્ષસી -નું રૂપ ધરી,
હનુમાનજી ના માર્ગ માં આવી ઉભી,ને
બોલી-તું મારો ખોરાક છે,ચલ મારા મોમાં પેસી જા.
દેવોએ તારું ભોજન કરવાની મને આજ્ઞા
આપી છે.
આ સાંભળી હનુમાનજી એ કહ્યું કે-તું
મને ખાવા જ માગે છે તો મને ભલે ખાજે પણ હમણાં નહિ,
હમણાં હું શ્રીરામ નું કામ કરવા
જાઉં છું,ત્યાંથી પાછા ફરી,સીતાજી નો સંદેશો રામને પહોંચાડી દઉં,
ત્યાં લાગી થોભી જ,પછી હું જાતે
જ તારા મોમાં પેસીશ.
પણ સુરસા કહે છે કે –“ના-હમણાં
જ હું તને ખાઉં.હાલ જ તું મારા મોમાં પેસ.”
બહુ લાંબી વાત કરવાનો વખત નહોતો-હનુમાનજી
એ કહ્યું કે-“તો ફાડ મોં.”
સુરસા એ હનુમાનજી ને ગળી જવા મોં
ફાડ્યું,ત્યારે હનુમાને પોતાનો દેહ બમણો મોટો કર્યો,
સુરસા એ મોઢું બમણું પહોળું કર્યું,હનુમાનજી
એ ચારગણો દેહ કર્યો એટલે સુરસા એ પણ ચાર ગણું
મોં પહોળું કર્યું....એમ કરતાં
કરતાં સુરસાનું મોં સોળ ગણું પહોળું થયું,
ત્યારે હનુમાનજી એ પોતાનું શરીર
એકદમ અંગુઠા જેવડું કરી ને સુરસા ના મોમાં પ્રવેશ કરીને,
ઘડી માં તો બહાર નીકળી આવ્યા,ને
તેને કહેવા લાગ્યા કે-
તારા કહેવા મુજબ મેં તારા મોમાં
પ્રવેશ કર્યો પણ તું મને ખાઈ શકી નહિ,એટલે હું બહાર આવી ગયો છું,
હનુમાનજી ની બુદ્ધિ પર પ્રસન્ન થઇ ને સુરસા એ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને કહ્યું કે-
ધન્ય છે,હનુમાન,ધન્ય છે તારી બુદ્ધિ
શક્તિને.જ,તારું કામ સિદ્ધ કરીને આવ.
જેમાં શક્તિ અને બુદ્ધિ નો સમન્વય
છે તે હનુમાન.
શક્તિ હોય પણ બુદ્ધિ ના હોય તો
શક્તિ અનર્થ-રૂપ બની જાય છે.
સુરસા ની કથાનું રહસ્ય એવું છે
કે-
સંસાર ના સર્વ જીવો ને આ સંસાર-રૂપી
સમુદ્ર ઓળંગવાનો છે.ને એ સમુદ્ર ઓળંગતા,સામે
સુરસા આવે જ છે.એ સુરસા ને જેર (હરાવી) કરી શકે તે જ આ (સંસાર) સમુદ્ર પાર કરી શકે.
નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને રામ-ભક્તિ
વગર સુરસા ને હરાવી શકાય નહિ,સમુદ્ર પાર થઇ શકે નહિ,અને,
સમુદ્ર ને પાર કર્યા પછી પરા-ભક્તિ-સ્વ-રૂપ
સીતાજી નાં દર્શન થાય નહિ.
સુરસા-એટલે “સુ”-રસા=સારા રસ-વાળી-એટલે
કે જીભ.
જીભ જો લૌકિક રસ માં અટવાઈ જાય,તો
એ પ્રભુના નામનો રસ માણી શકશે નહિ.
પ્રભુ નું કે-પ્રભુએ બતાવેલું-કામ કરી શકશે નહિ.