Jun 15, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-192


(૯૦) દેહનો નાશ થતાં પણ માનસિક ભાવનાનો નાશ થતો નથી.
સૂર્ય-દેવતા કહે છે કે-આ પ્રમાણે -જયારે-તે ઇન્દ્ર-બ્રાહ્મણે તે રાજાને કહ્યું
ત્યારે તે રાજાએ,પોતાની પાસે ઉભેલા ભરત નામના મુનિ ને નીચે પ્રમાણે કહ્યું.
રાજા કહે છે કે-હે,ભરતમુનિ,મારી સ્ત્રી નું હરણ કરનાર આ દુષ્ટ આત્મા-વાળા  આ બ્રાહ્મણ ના મુખ માં
જરા પણ લજ્જા નથી.તેને તમે જુઓ,અને
આ બ્રાહ્મણે કરેલા પાપ (વ્યભિચાર) ને યોગ્ય એવો તેને શાપ આપો.
કારણકે જેનો વધ કરવો ના જોઈએ (બ્રાહ્મણ-વગેરે) તેનો વધ કરવાથી જે પાપ થાય છે તે જ પાપ
જેનો વધ કરવો જોઈએ (વ્યભિચારી-વગેરે) તેનો વધ ના કરવાથી પણ થાય છે.
રાજાની વાત સાંભળીને મુનિ-શ્રેષ્ઠ ભરત-મુનિએ,વિચાર કરીને તે દુરાત્મા ને શાપ આપ્યો કે-
આ સ્ત્રી એ પતિનો દ્રોહ કરનારી છે,અને આ ઇન્દ્ર એ વ્યભિચારી છે,માટે હે,દુર્બુદ્ધિ-વાળાં –તમારા
બંને નો નાશ થાઓ. ત્યારે તે બંને એ રાજા ને મુનિ ને કહ્યું કે-તમે અને આ ભરત-મુનિ બંને દુર્મતિ છો
કારણ કે –અમને જે શાપ દીધો તેથી તમારા તપનો ક્ષય થયો છે,કારણકે તમારા શાપથી અમને
કંઈ પણ થશે નહિ,કદાપિ અમારા દેહનો નાશ થશે,તો પણ અમારા મન-રૂપી દેહનો નાશ થશે નહિ.
મન સૂક્ષ્મ છે,ચૈતન્ય-રૂપ છે તથા અલક્ષ્ય છે.માટે તેનો નાશ કરવા કોઈ સમર્થ નથી.
સૂર્ય દેવતા –બ્રહ્મા ને કહે છે કે-પછી તે બંને નાં શરીર ક્ષય પામ્યાં,અને ત્યાર પછી,વિષયમાં દૃઢ આસક્તિ
હોવાથી બંને નો મૃગ-યોનિ માં જન્મ થયો.મૃગ શરીરનો ત્યાગ કર્યા પછી,પક્ષી યોનિમાં જન્મ થયો,અને
ત્યાર પછી એક બીજામાં સ્નેહ સંબંધ થી બંને નો મહા-પુણ્યવાન બ્રાહ્મણ ની યોનિમાં જન્મ થયો.
આ પ્રમાણે ભરત-મુનિનો શાપ તેમના શરીર નો નાશ કરવા માટે સમર્થ થયો પણ તેમના મનનો
નિગ્રહ કરવાને માટે સમર્થ થઇ શક્યો નહિ.

(૯૧) સર્વ કંઈ મનનો વિલાસ-માત્ર છે
સૂર્ય-દેવતા,બ્રહ્મા ને કહે છે કે-હે,બ્રહ્મન.ઉપર પ્રમાણે ભરત-મુનિ નો શાપ –
જેમ,ઇન્દ્ર અને અહલ્યા ના મનનો નિગ્રહ કે નાશ કરવા શક્તિમાન થયો નહિ,
તેમ,તે “ઇન્દુ-બ્રાહ્મણ” ના પુત્રો ની મનોમય-સૃષ્ટિ નો તમારાથી નાશ થાય તેમ નથી.
વળી,તમારા જેવા મહાત્માઓએ,તે નાશ કરવો પણ જોઈએ નહિ.
હે,નાથ,આ વિવિધ પ્રકારના જગતમાં,મહાત્માને,“મેં કરેલો આ સર્ગ વૃથા છે”
એમ દીનતા (શોક) પણ થતો નથી.
જે મન છે તે જ,જગતનો કર્તા છે,મન એ જ પુરુષ છે,અને જે રીતે મણિના પ્રતિબિંબ નો કોઈ દિવસ નાશ
થતો નથી,તેવી રીતે મનથી જેનો નિશ્ચય થયેલો હોય તેનો, દ્રવ્ય,ઔષધિ  કે દંડ થી પણ નાશ થતો નથી.
માટે આ પ્રકાશ પામતા સર્ગ ભલે રહ્યા,અને તમે પણ બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરો.
બુદ્ધિ-રૂપી આકાશ અનંત  છે,ચિત્તાકાશ,ચિદાકાશ અને મહાકાશ –એ ત્રણ અનંત આકાશ છે,તેમાં
ચિદાકાશ એ સર્વ નો પ્રકાશ કરનાર છે.માટે
હે,જગતના પતિ બ્રહ્મા,તમે એક,બે,ત્રણ કે બહુ,જેટલા તમારી ઈચ્છામાં આવે તેટલાં સર્ગ કરો.
અને તમે સ્વેચ્છા-પણે આત્મામાં જ રહો.
ઇન્દુ-બ્રાહ્મણ ના પુત્રોએ તમારું શું બગાડ્યું છે કે તમે તેમના નાશ નો વિચાર કરો છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE