Sep 7, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-274


જયારે પ્રાણવાયુઓ  તે  "જીવન-તત્વ" ને -જો જરાક ચલાયમાન કરે છે-
ત્યારે સૂતેલું તે "જીવન-તત્વ" ---માત્ર "હું છું"  એટલું જાણવા લાગે છે.પણ,
તે જ પ્રાણવાયુઓ -જો-તે "જીવન-તત્વ" ને અત્યંત ચલાયમાન કરે છે-
ત્યારે તે  "જીવન-તત્વ" પોતાની આકાશમાં ગતિ થતી દેખે છે.

જયારે,સૂતેલો તે જીવ (જીવન-તત્વ) નાડીઓના અંદર રહેલા કફ ના દ્રવ્ય થી ભીંજાઈ જાય છે-
ત્યારે તે પોતાની અંદર જ વરસાદ-જળાશય -વગેરેના "સંભ્રમ" નો અનુભવ કરે છે.અને,
જેમ,પુષ્પ ને પોતાની અંદર જ પોતાની સુગંધ નો અનુભવ થાય છે,
તેમ,જીવ ને પોતાનામાં-"સ્વપ્ન" માં  વરસાદ નો અનુભવ થાય છે.

આમ,તે,નિંદ્રા પામેલો -પણ- પ્રાણવાયુઓએ ચલાયમાન કરેલો,
જીવ (જીવન-તત્વ) પોતે જે જે વાસનાનું સેવન કરતો હોય છે,
તે તે વાસના ને જાણે ઇન્દ્રિયો થી બહાર અને અંદર જુએ છે.
તથા,બધું અંદર દેખાતું હોવા છતાં "આ સઘળું બહાર છે" એવી તે પ્રતીતિ કરે છે.
તે જીવ સ્વપ્ન ને લીધે ચક્ષુ -વગેરે ઇન્દ્રિયો ના છિદ્રો સુધી નહિ પહોંચતાં,પોતાની અંદર જ ક્ષોભ પામે છે.
અને આ રીતે થતાં,પોતાની "જ્ઞાન-શક્તિ"થી,પોતાની અંદર જ તે (બહાર ના પદાર્થો) નો તરત જ,
અનુભવ કરે છે-તેથી તેની એ સ્થિતિ "સ્વપ્ન" કહેવાય છે.

અને એ જ જીવ જયારે પ્રાણવાયુ થી ક્ષોભ પામીને,ઇન્દ્રિયો ના છિદ્રમાં પ્રસરીને,
બહાર,શબ્દ-વગેરે વિષયોનો અનુભવ કરે છે,ત્યારે તે "જાગ્રત-સ્વસ્થ-વાળો" કહેવાય છે.

હે,રામ,હવે તમે આ વાત સમજી  છો,ચૂક્યા અને તમારા મનમાં સદ-વિચાર પામી ચૂક્યા છો,
માટે હવેથી તમારે કદી પણ મિથ્યા-રૂપ-જગત ને સાચું માનવું નહિ.
જગત ને સાચું માનવાથી,આધ્યાત્મિક,આધિભૌતિક,અને આધિદૈવિક -નિમિત્તો ને લીધે,
પોતાનામાં મરણ-વગેરે મિથ્યા દોષો પ્રાપ્ત થયાની મિથ્યા સંભાવના થાય છે.

(૨૦) જગત મન ની ભ્રાંતિ-રૂપ છે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,મન નો સ્વભાવ સમજાવવા માટે,મેં તમને આ સઘળું જાગ્રત-વગેરે અવસ્થાનું
વર્ણન કર્યું,એ સિવાય આ કહેવાનું બીજું કોઈ પ્રયોજન નહોતું.
જેમ,લોઢાનો ગોળો અગ્નિના-સંપર્ક થી "અગ્નિ-પણા" ને પ્રાપ્ત થાય છે,
તેમ,દૃઢ નિશ્ચય-વાળું ચિત્ત,જે જે પદાર્થ ની બહુ ભાવના કરે છે,તે તે પદાર્થ-રૂપ-પણા ને પ્રાપ્ત થાય છે.

એક જ એવા "અધિષ્ઠાન" (ચૈતન્ય) માં સારા-કે-ખરાબ પદાર્થો જોવા,કે છોડવું-કે-ગ્રહણ કરવું-આવી
કલ્પનાઓ મન વડે જ થયેલી છે.એટલા માટે મન ની ચપળતા થી થયેલી,તે સઘળી કલ્પનાઓ
સત્ય પણ નથી અને અસત્ય પણ નથી.તે તો અનિર્વચનીય (વર્ણન ના થાય તેવી) જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE