Jun 1, 2017

Shiv-Sutro-As It Is-With Gujarati Translation-શિવ-સૂત્રો-ગુજરાતી ભાષાંતર સાથે



SHIV-SUTRO (With Gujarati Translation)
શિવ-સૂત્રો (ગુજરાતી ભાષાંતર સાથે)
સંકલન-અનિલ પ્રવીણભાઈ શુક્લ www.sivohm.com


ટોટલ 47 સૂત્રો છે કે જે શિવજીના મુખથી પાર્વતીને કહેલાં છે એમ માનવામાં આવે છે.

(1) चैतन्यमात्मा
ચૈતન્ય એ જ આત્મા છે

(2) ज्ञानं बन्धः
જ્ઞાન (પણ) બંધ (બંધન) છે.

(3) योनिवर्गः कला शरीरं
યોનિવર્ગ (જુદીજુદી યોનિઓમાં) અને કળાથી (જુદીજુદી વાસના અનુસાર) શરીરનું નિર્માણ થાય છે.

(4) उद्यमो भैरवः
ઉદ્યમ (અંદરની શક્તિ ખીલવવાનો પ્રયત્ન) એ જ ભૈરવ (મૂળ અસ્તિત્વનું કારણ) છે.

(5) शक्तिचक्रसंधाने विश्वसंहारः
શક્તિચક્રનું જયારે અનુસંધાન થાય છે ત્યારે (માયાના કારણે ઉભા થયેલ)વિશ્વનો સંહાર થાય છે.

(6) जाग्रतस्वप्नसुषुप्तभेदे  तुर्याभोग संवित
જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણે અવસ્થાઓને (જુદીજુદી રીતે) જાણવાથી તુર્યાવસ્થાનું પણ જ્ઞાન થઇ જાય છે.

(7) ज्ञानं जाग्रत
(બહારની વસ્તુઓનું સતત) જ્ઞાનનું હોવા-પણું જ જાગ્રત અવસ્થા છે.

(8) स्वप्नो विकल्पाः
વિકલ્પ (વિષયાભિલાષા-એટલે કે-વિષયો ભોગવવાની અભિલાષા) જ સ્વપ્ન-અવસ્થા છે.

(9) अविवेको मायासौशुप्तम्
અવિવેક (સ્વબોધનો અભાવ) એ માયામય સુષુપ્તિ-અવસ્થા છે.

(10) त्रितयभोक्ता विरेशः
ત્રણેયનો (ત્રણે અવસ્થાઓનો) જે ભોક્તા નથી (જે ત્રણેથી પર છે)  તે,વિરેશ (વીરોમાં ઈશ) કહેવાય છે

(11) विस्मयो योगभूमिकाः
વિસ્મય (તત્વને જાણવાની જિજ્ઞાસા) યોગની ભૂમિકા (પાયો) છે.

(12) स्वपदंशक्ति
સ્વપદ (સ્વયં) માં સ્થિતિ (પોતાનામાં સ્થિર થવું) તે જ શક્તિ છે.

(13)  वितर्क आत्मज्ञानं
વિતર્ક (વિવેક) એ જ આત્મજ્ઞાનનું સાધન છે

(14) लोकानन्दः समधिसुखम्
આ લોકનો (અસ્તિત્વનો) આનંદ -તે સમાધિ-સુખ છે.

(15) चित्तं मन्त्रः
ચિત્ત જ મંત્ર છે (૨૧ મા સૂત્ર મુજબ અહી આત્મા એ ચિત્ત છે-એટલે આત્મા એ મંત્ર છે-એમ કહી શકાય?)

(16) प्रयत्नः साधकः
પ્રયત્ન (બ્રહ્મને પામવાનો પ્રયત્ન કરનાર) સાધક છે.

(17) गुरुः उपायः
ગુરુ (બ્રહ્મને પામવાનો માર્ગ-દર્શક હોવાથી) જ ઉપાય છે.

(18) शरीरं हविः
શરીર એ જ હવિ (હોમમાં અપાતી આહુતિ) છે.

(19) ज्ञानमन्नम्
જ્ઞાન એ જ અન્ન છે.

(20) विद्यासंहारे तदुत्थस्वप्न दर्शनम्
વિદ્યાના સંહારથી (અવિદ્યાથી) સ્વપ્ન પેદા થાય છે.

(21) आत्मा चित्तम्
આત્મા એ જ ચિત્ત છે.

(22) कलादीनां तत्वनामविवेको माया
કળા આદિ (બ્રહ્મ કે પરમાત્મા-આદિ) નો એટલે કે "તત્વ" નો અવિવેક એ માયા છે.

(23) मोहावरणात् सिद्धिः
મોહના આવરણથી યુક્ત યોગીને સિદ્ધિઓ મળે છે (પણ આત્મજ્ઞાન મળતું નથી)

(24) मोहजयादनत्ताभोगत्सहज विद्याजयः
પણ જો એ મોહ પર જય થાય (મોહ ટળી જાય) તો સહજ રીતે સાચી આત્મ-વિદ્યા પ્રાપ્ત થાય છે.

(25) जाग्रद द्वितीय करः
એવા જાગ્રત (મોહથી પર થયેલા) યોગીને તત્વનો બોધ (જ્ઞાન) થાય છે.

(26) नर्तकः आत्मा
આત્મા (પરમાત્મા કે બ્રહ્મ) નર્તક (નૃત્યકાર કે સર્જનહાર) છે.


(27) रङ्गोन्तरात्मा
અંતરાત્મા (અહી આગળ મન-બુદ્ધિ-અહંકાર-ચિત્ત-કહી શકાય) એ રંગભૂમિ (રંગમંચ) છે.

(28) धीवशात् सत्वसिद्धिः
બુદ્ધિને વશ કરવાથી સત્વની (તત્વની) સિદ્ધિ થાય છે.

(29) सिद्धः स्वतन्त्र भावः
સિદ્ધ (ઇન્દ્રિયો -પ્રાણ વાળા સ્થૂળ શરીર-વાળા) નો સ્વતંત્ર ભાવ છે.(મુક્ત-ભાવ નથી)

(30) विसर्गस्वभावव्यादबहिः स्थितेस्तत्सिस्थति
સ્વતંત્ર (વિસર્ગ) સ્વભાવને કારણે,તે સિદ્ધ પોતાનાથી બહાર જઈ શકે અને તેમ છતાં અંદર પણ રહી શકે છે.

(31) बीजावधानम्
ધ્યાન એ બીજ છે (કે જેને ધારણા-સમાધિ-વગેરેથી ખીલવીને વૃક્ષ બનાવવાનું છે)

(32) आसनस्थ् सुखं ह्रेदे निमज्जति
આસનસ્થ (સ્થિર અને સ્વ માં સ્થિત) વ્યક્તિ સહજતાથી સુખને (આનંદને) પ્રાપ્ત થાય છે.

(33) स्वमात्रा निर्माणमायादयति
આસનસ્થ થઇ ધ્યાનમાં ગયેલ (વ્યક્તિ) આત્મ-નિર્માણને પ્રાપ્ત થાય છે.

(34) विद्याविनाशे जन्म विनाशः
જયારે અવિનાશી એવી વિદ્યા (જ્ઞાન) મળે છે,ત્યારે જન્મ (મરણ)નો વિનાશ થાય છે (મુક્ત થાય છે)

(35) त्रिषु चतुर्थ तैलवदासेच्यम्
ત્રણે અવસ્થાઓ (જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ)માં ચોથી અવસ્થા (તુર્યા)નું તેલની જેમ સિંચન કરવું જોઈએ.

(36) मग्नः स्वचित्ते प्रविशेत्
તુર્યાવસ્થા પ્રાપ્ત થતાં,મગ્ન બનેલો સાધક સ્વ-ચૈતન્યમાં પ્રવેશ કરે છે.

(37) प्राणसमाचरे समदर्शनम्
ત્યારે તે સાધકને પ્રાણ-સમાચાર (સર્વત્ર એક ચૈતન્ય વ્યાપેલું છે-તે) મળે છે અને સમ-દર્શનની પ્રાપ્તિ થાય છે.

(38) शिव तुल्यो जायते
અને ત્યારે તે સાધક પોતે શિવ-તુલ્ય (શિવ-સમાન કે બ્રહ્મ સમાન) થઇ જાય છે.

(39) कथा जपः
ત્યારે તેઓ જે કંઈ બોલે છે (કથા)-તે જપ સમાન જ છે.

(40) दानमात्मज्ञानम्
પછી,પોતાને થયેલા આત્મ-જ્ઞાનનું તેઓ (બીજાઓને) દાન કરે છે.


(41) योविपस्थो ज्ञानहेतुष्च
એવો આત્મજ્ઞાની સ્વ-શક્તિઓનો સ્વામી બને છે અને જ્ઞાનનું કારણ પણ બને છે.

(42) स्वशक्ति प्रचयोस्य विष्वं
સ્વ-શક્તિનો વિલાસ (પ્રચય) એ એનું વિશ્વ છે.

(43) स्थितिलयौ
તે સ્વેચ્છાથી સ્થિતિ અને લય કરે છે.

(44) सुखासुखयोर्बहि मननम्
અને સુખ-દુઃખ એ માત્ર બાહ્ય-વૃત્તિઓ જ છે -તેમ તે જાણે છે.

(45) तद्दिमुक्तस्तु केवली
તેથી સુખ-દુઃખથી વિમુક્ત થઈને તે કૈવલ્ય-મય (કેવલી-કે બ્રહ્મમય) થઇ જાય છે

(46) तदारूढप्रमितेस्त क्षयाज्जीवसंक्षय
કૈવલ્ય અવસ્થામાં આરૂઢ થયેલ હોવાથી તેને કોઈ આકાંક્ષા ના રહેવાથી જન્મ-મરણ નો ક્ષય(મુક્ત) થાય છે.

(47) भूतकन्चुकी तदविमुक्तो भूयः परिसमःपर

પંચમહાભૂત (ભૂતકંચુકી) થી બનેલા આ શરીરથી મુક્ત થયેલો પુરુષ શિવ-રૂપ (બ્રહ્મ-રૂપ) થાય છે.