Showing posts with label સર્ગ -સિધ્ધાંત. Show all posts
Showing posts with label સર્ગ -સિધ્ધાંત. Show all posts

Jan 11, 2012

જગત ની ઉત્પતિ-સર્ગ -સિધ્ધાંત

સર્ગ -સિધ્ધાંત (સાંખ્ય-દર્શન)
આ જાણવું બહુ જરૂરી છે.જે ઘણા બધા પ્રશ્નો નો જવાબ આપી શકે તેમ છે.

જગત ની ઉત્પતિ 25 તત્વો માં થી થઇ છે.(સાંખ્ય-દર્શન મુજબ)

....................................................................................................................................................

--આ સહેલાઇ થી (તર્કથી) બુદ્ધિ માં ઉતરે તેવો સાંખ્ય-મત છે.

--પુરૂષ ને નિમિત્ત -કારણ -રૂપ અને દ્રષ્ટા કહ્યો છે.
--પ્રકૃતિ ને શક્તિ કહી છે અને જે માયા-અવિદ્યા-વગેરે  તરીકે વિખ્યાત છે.

--આ પુરૂષ અને પ્રકૃતિ નો કોઈ વાસ્તવિક રીતે  સંયોગ થતો નથી .
  પણ બંને સાથે જ નજદીક -નજદીક રહેવાથી
   બિંબ-પ્રતિબિંબ ની ક્રિયા થાય છે
    અને જેથી પ્રકૃતિના ગુણો નો (સાત્વિક ------રાજસિક --- -તામસિક )
      ક્ષોભ થાય છે ...........
---અને આ પ્રકૃતિ ના ગુણો નો ક્ષોભ થવાથી જગતની ઉત્પત્તિ થાય છે.સર્ગ થાય છે.
.............................................................................................................................................

--આ બંને નું પ્રથમ સર્જન તે વ્યષ્ટિ રૂપે (વિશાળ રૂપે) મહત્ (તત્વ ) તરીકે  ઓળખાય છે.
  અને વ્યક્તિ રૂપે તે બુદ્ધિ--શક્તિ તરીકે ઓળખાય છે.
   આ બુદ્ધિ તે પુરૂષ-પરમાત્મા  ની સહુથી નજીક છે.અને
    પરમાત્માથી પ્રકાશિત છે.
--બીજું સર્જન તે ત્રણ જાતના અહંકાર(અહમ) પૈકી
     ---- વૈકારીક અહંકાર (સાત્વિક)
         કે જેમાં મન- પાંચ જ્ઞાનેદ્રીઓ અને પાંચ કર્મેન્દ્રિઓ આવે છે.
     ----ભુતાદિ અહંકાર (તામસિક)
          કે જેમાં પાંચ તન્માત્રાઓ-ને પંચ મહાભૂતો આવે છે.(આકાશ-વાયુ-તેજ-જલ-પૃથ્વી)
     ---તેજસ અહંકાર (રાજસિક)
         સાત્વિક અને તામસિક અહંકાર ને શક્તિ આપે છે.
      






Sep 10, 2011

સર્ગ સિધ્ધાંત અને કુંડલીની



 Go to Page   1......2......3......4......5 ..   



કુંડલીની  નું વર્ણન જે કર્યું છે તે આ સર્ગ સિધ્ધાંત (લીંક ) પર થી હોય તેવું
લાગે છે .

૧ --સહસ્ત્રાર ચક્ર
    નું કોઈ
     "તત્વ "નથી -જેથી તત્વાતીત પણ કહે છે.  અને તેનું
     બીજ "વિસર્ગ" છે.
      જેમ
      પુરૂષ -પરમાત્મા -એ તત્વાતીત અને વિસર્ગ  છે.

૨ --આજ્ઞાચક્ર
     નું
     તત્વ -"મહત્"-છે.અને
      બીજ "ઓમ" છે.
      એ સર્ગ થયા પછીનું ચક્ર છે

૩ --વિશુદ્ધિ ચક્ર
     નું
    તત્વ-"આકાશ" છે.અને
    બીજ "હં " છે.

આ જ્ઞાન "અનુભવ" ની સીડી પર ચઢતી વખતે કદાચ ઉપયોગી બને.

એવું યે બને કે આ જ્ઞાન અનુભવ વગર ના પણ સમજાય .

માત્ર બુદ્ધિ થી આ વસ્તુ સમજાવવી કે સમજવી મુશ્કેલ છે.

અનુભવ ની સીડી ચઢતાં જો "કૃપા" થાય તો
ઘણી બધી -ગોપનીયતા -જે આની પાછળ  છે તેનો "અનુભવ" થાય છે.

પણ આ જાણ્યા પછી કશું જાણવાનું રહે કે કેમ તે "સવાલ" રહે છે.

આનંદ-આનંદ-પરમાનંદ

 Go to Page   1......2......3......4......5 ..   


વધુ-કુંડલીની સરળ સમજ માટેની લીંક 

વધુ-સર્ગ સિદ્ધાંત  માટેની લીંક

બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો