વસિષ્ઠ કહે છે કે-હું ઊંચા હાથ કરીને પોકારું છું,કે "સંકલ્પ ના ઉઠવા તે પરમ કલ્યાણ-રૂપ છે" તેને શા માટે લોકો અંદર દૃઢ રીતે ધારણ કરતા નથી? મારી વાત કોઈ સાંભળતું જ નથી.
અહો,"મોહ"નો મહિમા કેટલો બળવાન છે! કે સર્વ દુઃખોની નિવૃત્તિ કરવા-વાળો "વિચાર" નામનો ચિંતામણિ,હૃદયમાં રહ્યા છતાં,મનુષ્યો તેનો ત્યાગ કરે છે ! "સંકલ્પ ના ઉઠવો" એટલે "ચિત્તમાં કોઈ જ જાતની વૃત્તિને સ્ફૂરવા ના દેવી" તેટલું જ માત્ર પરમ-કલ્યાણકારક છે,માટે,એનો અનુભવ તમે જાતે જ કરી લો.