Feb 1, 2013

ગીતા નો અંત-શ્લોક


ગીતા નો અંત-શ્લોક ...

સર્વધર્માન             =સર્વ ધર્મો નો (કર્મ ના આશ્રય નો )
પરિત્યજ્ય             =ત્યાગ કરીને
એકમ                  =(કેવળ ) એક
મામ                   =મારા ("સ્વ"ધર્મ -આત્મા -પરમાત્મા )
શરણમ                =શરણે
વ્રજ                    =આવ (પ્રાપ્ત થા )




અહમ                  =હું
ત્વા                    =તને
સર્વ પાપેભ્ય       =સર્વ પાપો થી
મોક્ષ્ પીશ્યામી    =મુક્ત કરી દઈશ
માં શુચ               =તું શોક કરીશ નહિ

અહી પહેલી લીટી ને "શક્તિ " કહે છે
અને બીજી લીટીને "કિલક "(ખીલી-કુંચી )કહે છે


અહી ભક્તિ યોગ = (સગુણ  ઈશ્વર )=પરમાત્મા શ્રી કૃષ્ણ હાજર છે
         જ્ઞાનયોગ =(નિર્ગુણ ઈશ્વર )=આત્મા (સ્વ ) પણ કહી શકાય
         કર્મ યોગ ="સ્વ"ધર્મ  (અનાશક્ત)


શરણે જવાથી અહમ ની મુક્તિ ?
અહમ ના રહે તો પછી પાપ અને પુણ્ય ક્યાં બાકી રહે ?
પાપ અને પુણ્ય ના રહે તો શોક(મોહ ) ક્યોંથી બાકી રહે ?

અને જયારે અર્જુન આવી રીતે "શરણે " જાય છે -
ત્યારેજ તે મોહ માં થી મુક્ત થાય છે ...

મુક્તતા તો હતી જ ---
મુક્ત થવાનું નહોતું ---
પણ બંધન (મોહ નું )જે જાતે જ ઉભું કર્યું હતું
તેમાં થી  મુક્ત થયો -----

આપણે બધા સર્વદા મુક્ત છીએ
બંધનો આપણા બનાવેલા છે

બંધનો પણ આપણા અને મુક્તિ પણ આપણી ......