Feb 1, 2013

દેહાધ્યાસ કેમ દૂર કરવો ?




દેહાધ્યાસ કેમ દૂર કરવો ?

દેહાધ્યાસ એટલે કે
હું દેહ (શરીર ) છું એવું માનવું તે .....

દેહાધ્યાસ દૂર કરવા ગીતા ના ષ્લોક નીચે મુજબ ના છે -

૨-૨૦
આ આત્મા
કોઈ કાળે નથી જન્મતો અને નથી મરતો
અથવા
ના આ આત્મા થઈને (નવો થઈને )પછી થવાનો છે
(કારણકે )
આ આત્મા
અજન્મા --નિત્ય --શાશ્વત (અને )પુરાતન છે .
શરીર નો નાશ થવા છતાં (તેનો) નાશ થતો નથી .

ઉદાહરણ તરીકે જ્ઞાનેશ્વર કહે છે કે ---
ઘટ(ઘડા ) માં ના આકાશ નો આકાર ઘટ જેવો જ છે પણ
ઘટ નો નાશ થતાં તે આકાશ નાશ પામતું નથી

૨-૨૩
આ આત્માને શસ્ત્રો વગેરે ના કાપી શકે છે (અને )
એને (આત્માને )આગ જલાવી શકતી નથી (તથા )
એને જળ ભીનું કરી શકતું નથી અને
એને વાયુ નથી સુકવી શકતો .

નોંધ-અહી ચાર મહાભૂતો એ બાકીના એક મહાભૂત (આકાશ ) ને અસર નથી કરી
શકતા એવું સમજી શકાય ??
આત્મા ને આકાશ સાથે સરખાવવાનું કેટલું યોગ્ય લાગે છે !!!!!

૨-૧૯
જે આ આત્માને
મારવા વાળો સમજે છે તથા
જે
એને મરેલો માને છે
તે બંને નથી જાણતા(સાચું નથી જાણતા-અજ્ઞાની છે) કે
આ આત્મા નથી મારતો કે નથી મરાતો.