પ્રકરણ-૧-૧
જનકરાજા,અષ્ટાવક્ર મુનિ ને પ્રશ્ન કરે છે –
--મુક્તિ
કેવી રીતે મળે છે.?
--જ્ઞાન
અને વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય છે? (૧)
અષ્ટાવક્ર
મુનિ જવાબ આપતાં કહે છે કે-રાજન,જો તું મુક્તિ ને ઈચ્છતો હોય તો-
--વિષયો
ને (ઇન્દ્રિયો ના વિષયોને) વિષ (ઝેર) જેવા સમજી ને છોડી દે.અને
--ક્ષમા,સરળતા,દયા,સંતોષ
અને સત્ય નું અમૃત ની જેમ સેવન કર (૨)
તું
પંચમહાભૂત (પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ,આકાશ) નથી કે
--તું
પંચમહાભૂત થી બનેલું શરીર પણ નથી,(તું વિશુદ્ધ આત્મા છે) તેથી
--મુક્તિના
માટે આ બધાના સાક્ષીરૂપ (તારામાં) રહેલા આત્મા ને જાણ (૩)
જો
તું આત્મા ને શરીર થી (દેહ થી) છુટો પાડીને
--આત્મા
માં જ સ્થિર થઇ ને રહેશે તો-
--હમણાં
જ તું સુખી,શાંત અને બંધન થી મુક્ત બનીશ.(તને મુક્તિ મળશે) (૪)
તું
કોઈ વર્ણ (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય,શૂદ્ર) નથી, તું કોઈ આશ્રમી (બ્રહ્મચર્યાશ્રમ,,,વગેરે) પણ નથી, અને
--તું
ઇન્દ્રિયો (આંખ-કાન..વગેરે) થી પામી શકાય તેવો નથી. પણ
--તું
તો “અસંગ”, “નિરાકાર” અને આખા વિશ્વ નો “સાક્ષી”
છે –એમ વિચારીને સુખી થા. (૫)
ધર્મ
અને અધર્મ, સુખ અને દુઃખ –તો મન ને લાગે છે-તને નહિ,
--તું
તો કર્તા (કર્મો નો કરનાર) નથી કે ભોક્તા (ફળ નો ભોગવનાર) પણ નથી.
--એટલે
તને કોઈ બંધન નથી,
--પણ
તું તો સદા-સર્વદા (હંમેશ) માટે મુક્ત જ છે. (૬)
તું
સર્વ નો એક માત્ર દ્રષ્ટા (સાક્ષીરૂપે જોનાર) છે, અને તેથી તું સર્વદા મુક્ત જ છે.પણ,
--તું,
પોતાને (આત્માને) દ્રષ્ટા તરીકે જોવા ને બદલે, બીજા ને દ્રષ્ટા તરીકે જુએ છે,
--તે
જ તારા બંધન નું કારણ છે. (૭)
અષ્ટાવક્ર ગીતા-૦૧