Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૧

પ્રકરણ-૫

 

 ॥ अष्टावक्र उवाच ॥

न ते सङ्गोऽस्ति केनापि किं शुद्धस्त्यक्तुमिच्छसि । सङ्घातविलयं कुर्वन्नेवमेव लयं व्रज ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-તારો કશાની ય સાથે “સંગ” નથી,

--તું શુદ્ધ (આત્મા) છે,તો પછી તું શાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે ?

--આ પ્રમાણે “દેહાભિમાન”નો નાશ કરી “સ્વ-રૂપ”માં લીન થઇ જા.(૧)

 

उदेति भवतो विश्वं वारिधेरिव बुद्बुदः । इति ज्ञात्वैकमात्मानमेवमेव लयं व्रज ॥ २॥

સમુદ્રમાં જેમ (ફેણથી) પાણીનો પરપોટો ઉદય પામે છે (પેદા થાય છે) તેમ,

--તારામાંથી (તારા આત્મામાંથી) વિશ્વ (જગત) ઉદય પામે છે (પેદા થાય છે) –એ પ્રમાણે,

--આત્માને “એકમાત્ર” જાણી “સ્વ-રૂપ” માં લીન થઇ જા.     (૨)

 

प्रत्यक्षमप्यवस्तुत्वाद् विश्वं नास्त्यमले त्वयि । रज्जुसर्प इव व्यक्तमेवमेव लयं व्रज ॥ ३॥

અવ્યક્તમાંથી વ્યક્ત બનેલું જગત,પ્રત્યક્ષ હોવા છતાં,અવાસ્તવિક (મિથ્યા) હોઈ,

--તે જગત દોરડામાં દેખાતા સર્પની જેમ તારા નિર્મલ આત્મામાં છે જ નહિ,

--આથી તું (જગતના વિચારો છોડીને) “સ્વ-રૂપ”માં લીન થઇ જા. (૩)

 

समदुःखसुखः पूर्ण आशानैराश्ययोः समः । समजीवितमृत्युः सन्नेवमेव लयं व्रज ॥ ४॥

સુખ-દુઃખને સરખાં ગણી,આશા-નિરાશાને સમાન ગણી,તેમજ

--જીવન અને મરણને પણ સરખાં ગણીને,--પૂર્ણતાને પ્રાપ્ત કરીને, તું “સ્વ-રૂપ” માં લીન થઇ જા.(૪) 

 

પ્રકરણ-૫-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE