Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૨

પ્રકરણ-૬

 

॥ अष्टावक्र उवाच ॥

आकाशवदनन्तोऽहं घटवत् प्राकृतं जगत् । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-“હું” (આત્મા) આકાશની જેમ “અનંત” છું.અને જગત ઘડાની જેમ પ્રકૃતિજન્ય છે.

આ સત્ય “જ્ઞાન” છે.--તો પછી આ જગત-વગેરેનો ત્યાગ પણ થઇ શકતો નથી,

--કે તે જગત ને ગ્રહણ પણ નથી કરી શકાતું,--વળી તે જગતનો લય પણ સંભવિત નથી. (૧)

 

महोदधिरिवाहं स प्रपञ्चो वीचिसऽन्निभः । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ २॥

“હું” (આત્મા) મહાસાગર જેવો છું,અને આ જગત (પ્રપંચ) તરંગ જેવો છે,આ સત્ય “જ્ઞાન” છે,

--તો પછી આ જગત-વગેરેનો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૨)

 

अहं स शुक्तिसङ्काशो रूप्यवद् विश्वकल्पना । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ३॥

“હું” (આત્મા) છીપ સમાન છું,અને જગતની કલ્પના “રૂપા સમાન” (વિવર્ત) છે,આ સત્ય “જ્ઞાન” છે.

--તો પછી આ જગત-વગેરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૩)

 

अहं वा सर्वभूतेषु सर्वभूतान्यथो मयि । इति ज्ञानं तथैतस्य न त्यागो न ग्रहो लयः ॥ ४॥

“હું” (આત્મા) જ સર્વ ભૂતોમાં (જીવોમાં) છું અને સર્વ ભૂતો મારામાં છે,આ સત્ય “જ્ઞાન” છે.

--તો પછી આ જગત-વગરે નો ત્યાગ,ગ્રહણ કે લય સંભવતો નથી. (૪) 

 

પ્રકરણ-૬-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE