સ્કંધ પહેલો-૨૨ (ચાલુ)
નારદજી કહે છે-
ભગવાન ને કિર્તન ભક્તિ અતિ
પ્રિય છે. આ વીણા- લઇ હું જગત માં ફરું છુ. નાદ સાથે કિર્તન કરું છુ.
હું જગત માં ફરું છું-અને અધિકારી
જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામ માં લઇ જઉં છું.
સમુદ્ર માં એક ડૂબકીએ રત્ન
મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.
મને રસ્તામાં ધ્રુવ
મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવો ને –આવા ભક્તો ને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ
જાઉં છું.
સત્સંગ માં મેં ભગવત કથા
સાંભળી-કૃષ્ણ કિર્તન કર્યું-અને કૃષ્ણ-પ્રેમ ને પુષ્ટ કર્યો. હવે હું જયારે –ઈચ્છું
ત્યારે કનૈયો-મને
ઝાંખી આપે છે.મારી સાથે
કનૈયો નાચે છે. હું મારા કનૈયા નુ કામ કરું છું –તેથી-તેને વહાલો લાગુ છુ.”
નામદેવ મહારાજ કિર્તન કરતાં
તે વખતે –વિઠ્ઠલનાથ નાચતા હતા.
કિર્તન માં સંસારનું ભાન
ભુલાય-તો આનંદ આવે. કિર્તન માં તન્મય થયો-એ સંસાર ને ભૂલે છે. કિર્તન માં સંસાર
સાથેનો
સંબંધ તૂટે છે.અને પ્રભુ
સાથે સંબંધ બંધાય છે.
સંસારનું ધ્યાન છોડવાનો
પ્રયત્ન કરી જુઓ.
કિર્તન માં આનંદ ક્યારે આવે
છે ? જયારે જીભ થી પ્રભુ નુ કિર્તન-મનથી તેનું ચિંતન-અને દ્રષ્ટિ થી –તેમના
સ્વરૂપને
જોશો-તોજ આનંદ આવશે.
કળિયુગ માં નામ-સંકીર્તન એ
જ ઉગારવાનો ઉપાય છે.
કિર્તન કરવા થી પાપ બળે
છે.હૃદય વિશુદ્ધ થાય છે.પરમાત્મા હૃદય માં આવે છે. અને પરમાત્મા ની પ્રાપ્તિ થાય
છે.
એટલે કથા માં કિર્તન થવું જ
જોઈએ. કિર્તન વગર કથા પૂર્ણ થતી નથી.
કળિયુગ માં સ્વરૂપ સેવા
જલ્દી ફળતી નથી. સ્મરણ સેવા-નામ-સેવા તરત જ ફળે છે.
“વ્યાસજી, આ સર્વ નુ મૂળ
છે-સત્સંગ. સત્સંગ નો મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે-તે સંત બને છે. કૃષ્ણકથા થી
મારું જીવન
સુધર્યું છે-સાચું જીવન
મળ્યું છે-આપ જે મને માન આપો છો –તે સત્સંગ ને માન છે. સત્સંગ થી –ભીલ બાળકો સાથે
રખડનાર
હું દેવર્ષિ બન્યો.”
માનવ દેવ થવા સર્જાયો છે.
માનવ ને દેવ થવા ચાર ગુણો ની
જરૂર છે. સંયમ-સદાચાર-સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર
આવતા નથી.
નારદ ચરિત્ર એ ભાગવત નુ
બીજારોપણ છે. સત્સંગ અને સેવા
નુ ફળ બતાવવાનો-આ ચરિત્ર નો ઉદ્દેશ છે-
એટલે વિસ્તાર કર્યો છે.
આપણે એ પણ જોયું –કે જપ
વિના જીવન સુધરતું નથી.
દાન થી ધન ની શુદ્ધિ થાય
છે. જપ-ધ્યાન થી મન ની શુદ્ધિ થાય છે-સ્નાન થી શરીરની શુદ્ધિ થાય છે.
જપ કરનાર ની સ્થિતિ કેવી
હોવી જોઈએ ? શ્રી બ્રહ્મ ચૈતન્ય સ્વામી એ કહ્યું છે-કે-સહજ સુમિરન હોત હય,રોમ રોમ
મેં રામ-
વ્યવહારનું કામ કરતાં પણ
અંદર- જો મંત્ર ની ધારા ચાલુ રહે તો-માનજો-હવે મંત્ર સિદ્ધ થયો છે.
વ્યવહારનું કામ-છોડ્યા
પછી-જ મંત્ર ની ધારા ચાલુ રહે તો –સમજજો કે મંત્ર હજુ સિદ્ધ થયો નથી.
જપ ના વખાણ ગીતામાં પણ થયેલા
છે-ભગવાન કહે છે કે-
યજ્ઞાનાજપયજ્ઞોસ્મી---યજ્ઞો
મા જપ યજ્ઞ હું છું. (ગીતા-૧૦ -૨૫)
રામદાસ સ્વામી
એ-દાસ-બોધ માં –લખ્યું છે કે-જપ કરવાથી
જન્મ-કુંડલી ના ગ્રહો પણ સુધરે છે.
નારદજી-વ્યાસજી ને કહે છે-તમે
જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી-હવે પ્રેમ પ્રધાન કથા કરો. કૃષ્ણ પ્રેમ માં તરબોળ થઇ –કથા
કરશો-તો તમારુ અને સર્વ નુ
કલ્યાણ થશે-આપની ચિંતા ટળશે.
વ્યાસજી કહે છે-કે તમે જ
મને એવી કથા સંભળાવો-તમે કથા કરો ને હું લખી લઉં.
નારદજી કહે છે-તમે જ્ઞાની
છો-તમારુ સ્વરૂપ તો તમે ભૂલ્યા નથી ને ? તમે સમાધિ માં બેસો-અને સમાધિ
માં જે દેખાય તે
લખજો. સમાધિમાં હંમેશા –સત્ય જ દેખાય છે. કોઈવાર પ્રત્યક્ષ દેખાય
એ પણ ખોટું હોય છે.
બહિર્મુખ ઈન્દ્રિયોને
અંતર્મુખ કરવાથી-સમાધિ સમીપ પહોચાય છે. ઈશ્વર સાથે એક થવું –લીન થવું-તે સમાધિ.
નારદ ના મળે ત્યાં
સુધી-નારાયણ ના દર્શન થતાં નથી.
સંસાર મા આવ્યા પછી જીવ
પોતાનું સ્વરૂપ ભૂલે છે.
જામ્બવાને –હનુમાનજી ને
તેમની શક્તિ નુ ભાન કરાવ્યું-ત્યારે તેઓ દરિયો ઓળંગી ગયા.
કોઈ સંત કૃપા કરે(સત્સંગ
થાય)-ત્યારે –તે-જીવ ને તેના સ્વરૂપ નુ ભાન કરાવે છે .
જ્ઞાની હોવાં છતાં-વ્યાસ
નારાયણ ને પણ નારદજી ની જરૂર પડી હતી. નારદે-તેમને સ્વરૂપ નુ ભાન કરાવ્યું.
નારદજી તે પછી બ્રહ્મ લોક
મા પધાર્યા છે.
વ્યાસજી એ-પ્રાણાયામ થી અંતર્મુખ
દ્રષ્ટિ કરી-ત્યાં-હૃદય ગોકુલ મા-બાલકૃષ્ણ દેખાયા-સર્વ લીલા ઓ ના દર્શન થયા
છે.
વ્યાસજી ને જે સમાધિ મા
દેખાણું-તે બોલ્યા છે.
તેથી જેની બહિર્મુખી
પ્રકૃત્તિ છે-એ ભાગવત નુ રહસ્ય બરોબર સમજી શકશે નહિ.
ભાગવત મા તત્વજ્ઞાન ઘણું
છે-પણ તેનો પ્રધાન વિષય છે-પ્રેમ.
બીજા પુરાણો
મા-જ્ઞાન-કર્મ-આચાર-ધર્મ-વગેરે પ્રધાન છે. પરંતુ ભાગવત પુરાણ એ પ્રેમ પ્રધાન
છે.ભક્તિ પ્રધાન છે.
જે ભગવાન સાથે-પ્રેમ કરી
શકે છે-એ જ ભાગવત નો અધિકારી થઇ શકે છે.