ડોંગરેજી મહારાજ ની કથા પર
આધારિત
સ્કંધ ત્રીજો-૩૦ (સર્ગ
લીલા)
મહાભારત ના શાંતિ-પર્વ માં
એક કથા આવે છે.
વૃંદાવન માં એક મહાત્મા
રહેતા હતા. એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા,ત્યારે એક ઉંદર આવી તેમની ગોદ માં
ભરાયો.
ઉંદર ની પાછળ –બિલાડી પડી
હતી. મહાત્મા ને દયા આવી. તેમણે ઉંદર ને કહ્યું-તું મારી ગોદમાં છે. તને કોઈ મારી
નહિ શકે.
તું જે માંગીશ તે હું તને
આપીશ. બોલ તારે શું થવું છે ? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં......
(સાચાં સંતો-ઈશ્વરની
સૃષ્ટિમાં કોઈ ફેરફાર કરતા નથી-જે કરવા જાય તે પાછળથી પસ્તાય છે.-આ તો માત્ર
ઉદાહરણ છે)
ઉંદર ની બુદ્ધિ કેટલી ?તેણે
વિચાર્યું-આ બિલાડી બહુ સુખ ભોગવે છે.હું બિલાડી બની જાઉં તો-પછી તેની બીક રહે
નહિ.
એટલે તેણે મહાત્મા ને
કહ્યું –મને બિલાડી બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ....
એક દિવસ તે બિલાડી ની પાછળ
કૂતરો પડ્યો. બિલાડી રડતી રડતી મહાત્મા પાસે આવી-અને કહે-મને ખાતરી થઇ કે –
બિલાડી થવા માં સુખ નથી. મને
કૂતરો બનાવી દો....મહાત્માએ કહ્યું-તથાસ્તુ.....
થોડા દિવસ સુખ જેવું
લાગ્યું.પણ એક દિવસ જંગલ માં કુતરાની પાછળ વાઘ પડ્યો. કુતરાએ વિચાર્યું-આના કરતા
વાઘ થવું સારું.
એટલે ફરી રડતો રડતો મહાત્મા
પાસે ગયો. અને કહે મને વાઘ બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ.....
વાઘ થયા પછી તેની બુદ્ધિ
બગડી ગઈ. હિંસા કરતાં કરતાં તેની હિંસક વૃત્તિ જાગૃત થઇ ગઈ. તેણે વિચાર્યું-
આ મહાત્મા –જો કોઈ દિવસ
નારાજ થશે-તો પાછો મને ઉંદર બનાવી દેશે.માટે ચલ મહારાજ ને જ પતાવી દઉં. તો પછી
કાયમ નો
વાઘ રહી શકીશ. મહાત્મા
કહે-અચ્છા, બેટા,તું મને ખાવા આવ્યો છે? તું ઉંદર હતો એ જ સારું હતું.
મહાત્મા એ તેને પાછો ઉંદર
બનાવી દીધો.
જરા વિચાર કરો-
આ ઉંદર-બિલાડીની કથા નથી. આ
આપણી જ કથા છે.
આ જીવ એક વખત ઉંદર હતો-એક
વખત બિલાડી હતો.એક વખત કૂતરો કે પછી વાઘ હતો.
(માનવ- જીવન માં કદી કદી –આ
વિવિધ પશુઓની જેવું જ વર્તન કરે છે-તે બતાવે છે-કે તે એક વખત આવો પશુ હતો)
આ જીવ ની પાછળ કાળ પડ્યો
છે. કાળ જીવ ને વારંવાર કચડે છે. અનેક યોનિ ઓ માં જીવ રખડતો રખડતો છેવટે
તે-પ્રભુની
ગોદમાં જાય છે. પ્રભુ કૃપા
કરી-જીવ ને મનુષ્ય બનાવ્યો. પવિત્ર વિચાર કરવા મન-બુદ્ધિ આપ્યાં. કે જેથી તે કાળ
અને કામ પર
વિજય મેળવી શકે. પ્રભુ એ
વિચાર્યું-તે કાળ પર વિજય મેળવી મારી શરણ માં આવશે.
પણ માનવ થાય પછી-કુસંસ્કાર
અને કુસંગ થી માનવ –એવો બગડે છે (વાઘ બની જાય છે) કે જેણે તેને બનાવ્યો,તેને જ તે
માનતો નથી. કહે છે-હું
ઈશ્વર માં માનતો નથી,
ભગવાન તે વખતે વિચારે છે-કે
બેટા તું ક્યાં જઈશ ? હું તને ફરી થી ઉંદર બનાવી દઈશ.
પરમાત્મા એ માત્ર –મનુષ્ય ને
જ બુદ્ધિ (શક્તિ) આપી છે. પશુ ને પોતાના સ્વ-રૂપ નું ભાન નથી. ત્રણ
વર્ષ પછી તો તે ભૂલી જાય છે-
કે આ મારી મા છે-કે આ મારો
બાપ છે. જેણે પોતાના સ્વ-રૂપ નું ભાન નથી તે આત્મ-સ્વ-રૂપ ને ક્યાંથી જાણી શકે ?
આ મનુષ્ય જન્મ માં –તેની પાસે
બુદ્ધિ હોવાથી- જો-તે-ઈશ્વરને ઓળખવાનો-ઈશ્વર નો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન ના
કરે-તો-
ચોર્યાસી લાખ ના ચક્કર માં
તે ફરે છે. તે ફરી ફરી સંસાર માં રખડે છે.
જન્મ-મરણ નું દુઃખ તે ભોગવે
છે. અને આ દુઃખ છે ત્યાં સુધી તે જીવ ને શાંતિ પ્રાપ્ત થતી નથી.