Dec 31, 2012

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૧૦


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10


બીજે દિવસે ચાંગદેવ  નો એક પણ ચેલો ત્યાં બાકી રહ્યો નહિ,તે જોઈ ને ચાંગદેવે જ્ઞાનેશ્વર ને કહ્યું કે-
“હવે તો -હું મારા જ શરીર નો બલિ આપીશ.”
ત્યારે જ્ઞાનેશ્વર કહે છે-મેં તો અન્ય કોઈ માણસ નો બલિ માગ્યો હતો,તારો નહિ,વળી તને ચેલાઓ ની
માયાજાળ માંથી મુક્ત કરવો હતો,અને ચેલાઓ ની કસોટી કરવી હતી.
તારો જીવભાવ (હું શરીર છું-હું પુરુષ છું)જયારે દૂર થશે ત્યારે જ તને પાશષ્ટિ નો અર્થ સમજાશે.
મુક્તાબાઈ તને તેનો અર્થ સમજાવશે,તે જ તારા ગુરૂ થવાને લાયક છે.

એક દિવસ મુક્તાબાઈ નિર્વસ્ત્ર અવસ્થામાં સ્નાન કરી રહ્યાં હતા તે વખતે અકસ્માત ચાંગદેવ ત્યાં આવી ચડ્યા.આ દૃશ્ય ચાંગદેવ ની નજરે ચડ્યું,ને તરત જ સંકોચ વૃત્તિ થી ત્યાંથી દૂર જવા લાગ્યા.
આ જોઈ ને મુક્તાબાઈ “આ મુઓ નુગરો (ગુરૂ વિનાનો) છે” એવા શબ્દો બોલ્યાં.

સ્નાન થઇ રહ્યા પછી ચાંગદેવે તેમને પૂછ્યું કે તમે મને નુગરો શાથી કહ્યો?
મુક્તાબાઈએ કહ્યું કે-તારા પર ગુરૂ ની કૃપા થયેલી નથી,તારામાં હજુ “હું પુરુષ છું”અને પુરુષ અને સ્ત્રી નો
ભેદ ભાવ  છે,તારા “હું” નું અભિમાન  હજુ ગયું નથી.
તારા પર ગુરૂ ની કૃપા હોત તો- તારામાં વિકાર આવત નહિ.

ચાંગદેવે આ મહાન સ્ત્રી ની યોગ્યતા થી અત્યંત પ્રભાવિત થયા અને પોતાની સંકોચવૃત્તિ બદલ માફી માગી.
ચાંગદેવ વિચારે છે-આ ચાર ભાઈબહેન કેટલી ઉચ્ચ્તાએ પહોંચ્યા છે અને હું કેટલો નીચી કક્ષામાં છું!!
તેમને ગુરુકૃપાની મહત્ત્તા સમજાઈ.

ત્યાર બાદ જ્ઞાનેશ્વર ના કહેવાથી,મુક્તાબાઈએ ,ચાંગદેવને મહાવાક્ય (તત્વમસિ) નો ઉપદેશ કરીને કૃતાર્થ કર્યો,અને તે પછી પાશષ્ટિ નો અર્થ સમજાવી “સ્વ-આનંદ” ના સામ્રાજ્ય પર બેસાડ્યો.
જે વટવૃક્ષ ની નીચે-ચાંગદેવને બોધ કરવામાં આવ્યો હતો ,તે વટવૃક્ષ ને “વિશ્રાંતિ વટ” કહેવામાં આવે છે.

ચાંગદેવ જેવા મહાન યોગી ને બોધ કરનાર મુક્તાબાઈ ની યોગ્યતા કેટલી બધી હશે તે આના પરથી સમજાય છે.તે વખતે તો તે તરુણી હતી,પણ તે વયમાં તેનો વિષય વૈરાગ્ય,સમચિત્તતા,સ્થિતપ્રજ્ઞતા.અને
અખંડ બ્રહ્મ સ્થિતિ નો પરિચય થાય છે.

જગતના ઉદ્ધાર નું કાર્ય ૨૨ વર્ષસુધી કર્યા પછી,જ્ઞાનેશ્વરે આળંદી માં શકે ૧૨૧૮ કાર્તિક વદ-૧૩ –ગુરુવાર ના મધ્યાહ્ન સમયે,જીવતા સમાધિ લીધી.(૨૫ ઓક્ટોબર.૧૨૯૬).
સમાધિ સમયે તેમની ઉંમર ૨૧ વર્ષ, ૩ માસ અને ૧૫ દિવસની હતી.

સોપાનદેવે, સાસવડ ગામ માં માગસર વદ ૧૩ ના દિવસે દેહ છોડ્યો.
ચાંગદેવે પુણતાંબા ગામમાં માઘ વદ ૧૩-ના દિવસે દેહ છોડ્યો.
મુક્તાબાઈ વિષે અનેક મતો પ્રચલિત છે.કેટલાક કહે છે-કે-ખાનદેશમાં એદલાબાદ માં તેમની સમાધિ છે.
નિવૃત્તિનાથે ત્ર્યંબકેશ્વર માં જેઠ વદ બારશે સમાધિ લીધી.

આ રીતે શકે-૧૨૧૮ ના કાર્તિક થી ૧૨૧૯ ના જેઠ માસ સુધી માં –આઠ માસમાં જ –
આ પાંચે સંતો દેહથી મુક્ત થઇ “સ્વ-રૂપ”સ્થ થયાં.

પુના નજીક આવેલા આળંદી માં જ્ઞાનેશ્વર નું સમાધિસ્થાન છે.

જ્ઞાનેશ્વર ના ચાર ગ્રંથો –પ્રસિદ્ધ છે.જ્ઞાનેશ્વરી ગીતા (ભાવાર્થ દીપિકા).અમૃતાનુભવ.હરિપાઠ ના અભંગ,
અને ચાંગદેવ પાશષ્ટિ.
એ સિવાય તેમના રચેલા સાતસો –આઠસો અભંગો મળી આવ્યા છે.
તેમને યોગવશિષ્ઠ પર ટીકા કરી હતી તેમ –નામદેવ મહારાજે તેમની સમાધિ પહેલાં કહેલું છે,

જ્ઞાનેશ્વરી અને અમૃતાનુભવ ના તો જેટલાં વખાણ થાય તેટલાં ઓછાં છે.
અધિકાર સંપન્ન ને જ તેની આંતરીક રચના પુરી સમજાય છે.
હરિપાઠ ના અભંગ માં છ પ્રકરણો છે.
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન

આં ઉપરાંત રમતગમત સાથે સુબોધ પ્રાપ્ત થાય તે માટે ની “જ્ઞાનપટ અને સોપાનપટ” ની રમત પણ
તેમણે કાઢી હતી.(બનાવી હતી)
.............................................................................................................................
જ્ઞાનેશ્વરના પહેલા પુસ્તક-
ચાંગદેવ પાસષ્ટિ-ની વધુ માહિતી માટે -બુક ની નીચેની લીંક પર ક્લિક કરો 
...............................................................................................................................
જ્ઞાનેશ્વર ના બીજા પુસ્તક “હરિપાઠ ના -28-અભંગ”  છે.

જ્ઞાનેશ્વર ના ત્રીજા પુસ્તક “અમૃતાનુભવ” માં 
(૧) જગતની ઉત્પતિ નો ક્રમ (૨) જીવ અને આત્મા ના ભેદ નું કારણ (૩) ચાર પ્રકાર ની વાણી ની ઉત્પત્તિ
(૪) ત્રણ પ્રકાર ના અહંકાર નું નિરૂપણ અને તેમાંથી ઇન્દ્રિયો ને વિષયો ની ઉત્પત્તિ.
(૫) શરીર માં ના છ ચક્ર અને દશ વાયુ નું વર્ણન (૬) ઈડા ,પિંગલા અને સુષુમણા નું વર્ણન
અમૃતાનુભવ-હરિપાઠ-ચાંગદેવ-પાસષ્ટિ-જ્ઞાનેશ્વર-રચિત-ગુજરાતી
................................................................................................................................

અને ચોથું “જ્ઞાનેશ્વરી ગીતા”-અથવા “ભાવાર્થ દીપિકા” વિષે આ બ્લોગ માં વિસ્તાર થી લખેલું છે.
નીચેની લીંક પર ક્લિક કરો
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય

જ્ઞાનેશ્વરી ગીતા-મૂળ રૂપે
....................................................................................................................................
રજૂઆત-અનિલ શુકલ www.sivohm.com

(સંદર્ભ ગ્રંથ-સસ્તું સાહિત્ય ની –જ્ઞાનેશ્વરી ગીતાની પહેલી આવૃત્તિ-ઈસ્વીસન -૧૯૧૨)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10