Jan 1, 2013

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૪



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10



બ્રાહ્મણો ના મુખમાંથી આવો નિર્ણય સાંભળી,
જો કોઈ ને વિષય-લાલસા હોય તો –તો-તેનું હૃદય શોક થી ભરાઈ જાય-

પરંતુ અહીં તો જેમની સર્વ વિષય વાસનાઓ અનેક જન્મ ના પુણ્યકર્મ થી બળી ગઈ છે,
જેમના હૃદય મંદિર માં હરિ એ સ્થાયી નિવાસ કરેલો છે,અને જે પહેલાથી જ નિવૃત્ત થઈને બેઠા છે,
તેમને તો-બ્રાહ્મણો નો ઉપર નો નિર્ણય જોઈ ને ઉલટો આનંદ જ થાય.-એમાં કોઈ આશ્ચર્ય નથી!!!

જેમને વિષય નું ભાન નથી –તેમને વિષય-સેવન છોડી દેવાની આજ્ઞા એ કાંઇ શિક્ષા નથી.
બ્રાહ્મણો એ જે નિર્ણય આપ્યો તે –નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વરને તો ઉપદેશરૂપ જ લાગ્યો.
તેમના મુખ પર શોક ની જરા પણ છાયા નહોતી.

ઘણા બ્રાહ્મણોને આ જોઈ ને તેમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થયો,પણ કેટલાક અસંતુષ્ટ બ્રાહ્મણો એ-
સભા ના વિસર્જન થવાના સમયે-“તમારાં નામનો અર્થ શું ?” એમ પૂછ્યું-
ત્યારે નિવૃત્તિનાથે –ચારે ભાઈ બહેન ના નામનો જ્ઞાન થી સભર અર્થ સમજાવ્યો.

નાનાં છોકરાંના મુખે થી “જ્ઞાન” ની મોટી વાતો સાંભળી-
ઘણા જ્ઞાન ના અભિમાન થી ભરપૂર બ્રાહ્મણો તથા કોઈ અજ્ઞાની લોકોથી  હસ્યા વગર રહેવાયું નહિ.
એકાદ ટીખળી બ્રાહ્મણે રસ્તા પરથી જતા પાડા તરફ આંગળી ચીંધી અને કહ્યું-કે-
“નામ માં શું છે ? લોકો ગમે તેને ગમે તેવું નામ આપે છે,આ રસ્તા પર જે પાડો જાય છે
તેનું નામ પણ જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર) છે.”

આ સાંભળી ને જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર) બોલી ઉઠયા કે-
“ખરેખર, આ પાડા માં અને મારામાં “આત્મ” ભાવે જરા પણ ભેદ (ફરક) નથી. તે પાડો મારો જ આત્મા છે.
સર્વ દેહો માં “એક” જ પરમાત્મા રહેલો છે. સર્વ વસ્તુઓ “એક”જ તત્વ થી બનેલી છે.

પાણી થી ભરેલા જુદા જુદા અસંખ્ય ઘડાઓમાં જેમ “એક” જ સૂર્ય પ્રતિબિંબિત થાય છે,તો તેનાથી
“એક” સૂર્ય કંઈ અસંખ્ય સૂર્ય બની જતો નથી, સૂર્ય તો “એક” જ હોય છે,
એમ જ્ઞાની પુરુષો તે “એકત્વ” પ્રતિ જ લક્ષ્ય રાખે છે.
સોનાના વિવિધ અલંકારો માં જેમ એક જ સોનું રહેલું છે,
તેમ જુદા જુદા નામો વાળું- (“નામ-રૂપ” વાળું) જગત પણ “એક” પરમાત્મા નું જ બનેલું છે.”

જ્ઞાનેશ્વર ના અંતરમાં આવી જે અભેદ-દૃષ્ટિ (આત્મા-પરમાત્મા જુદા નથી તે) ઉત્પન્ન થયેલી હતી,
તેની પ્રતીતિ ત્યાં રહેલા સર્વ મનુષ્યો ને થોડીક વારમાં  જ થઇ ગઈ.
પેલા ટીખળી બ્રાહ્મણે પાડા ની પીઠ પર સોટીથી ત્રણ ફટકા માર્યા,
કે તરત જ જ્ઞાનેશ્વર ની પીઠ પર તે સોટીના સોળ ઉઠયા અને તેમાંથી લોહી વહેવા માંડ્યું.!!!!!

આ જોઈ સર્વ સભાસદો (બ્રાહ્મણો) આશ્ચર્ય માં પડી ગયા !!!
પણ આટલે થી સંતોષ ના થયો હોય –તેમ –હજુ પણ પેલો ટીખળી-અસંતોષી  બ્રાહ્મણ કહે છે કે-
“તારે જો તારું કુળ પાવન કરવું હોય તો-અને આ પાડો પણ જો તારો જ આત્મા હોય-
તો - આ પાડા ના મુખે થી વેદ બોલાવ”

આ શબ્દો સાંભળતાજ જ્ઞાનેશ્વર ઉભા થયા અને બ્રાહ્મણ ને સાદર વંદન કરી બોલ્યા કે-
“આપ ભૂદેવ (બ્રાહ્મણ-દેવ) છો,આપણા મુખમાંથી જે શબ્દ નીકળે તે નિષ્ફળ થાય નહિ”
એમ બોલી ને તે પાડા ની નજીક જઈ તેના માથા પર જમણો હાથ મુક્યો......

અને બધાના આશ્ચર્ય વચ્ચે-પાડા ના મુખે થી વેદ ની ઋચાઓ બોલાવા માંડી.!!!!!!!

પછી તો પૂછવું શું ? આખા ગામ માં કોલાહલ મચી ગયો,ગામના સર્વ માણસો એકઠા થઇ ગયા
અને આ આશ્ચર્યજનક –ચમત્કારિક ઘટના જોવા લાગ્યા.

આ બનાવ શકે ૧૨૦૯ (ઈસ્વીસન- ૧૨૮૭) માઘ સુદ પંચમી ના દિવસે પૈઠણ માં બનેલો.



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10