Jan 1, 2013

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૫



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10
જ્ઞાનેશ્વર નો જમણો હાથ પાડા ના માથા પર છે અને પાડા ના મુખે થી,
પુરા એક પ્રહર (ત્રણ કલાક) સુધી વેદ ની રુચા ઓ બોલાતી રહી.

આ જોઈ ને (સાંભળીને) બ્રાહ્મણો ને નિશ્ચય થયો કે-જ્ઞાનેશ્વર એ સાક્ષાત વિષ્ણુ નો અવતાર છે.
શુદ્ધિપત્ર માંગવા આવેલાં બાળકો કેટલી ઉચ્ચ કોટિનાં છે,અને
તેમની આગળ પોતાની યોગ્યતા કેટલી તુચ્છ છે,તે બ્રાહ્મણો ને હવે સમજાયું.
અને તેથી પોતાની વિદ્વતા નો ગર્વ છોડી ને –જ્ઞાનેશ્વર ની સ્તુતિ કરવા લાગ્યા.

પણ કેટલાક કુટિલ અને કુતર્કી લોકો આ ચમત્કાર પ્રત્યક્ષ જોયા છતાં પણ બોલવા લાગ્યા કે-
“કોઈ મેલી સાધના કે જાદુબળ થી આ દેખાવ દેખાડવામાં આવ્યો છે,સન્યાસી નાં છોકરાંઓનું મોઢું પણ
ના જોવું જોઈએ, જે ભટ્ટજી ને ત્યાં તે છોકરાંઓ ઉતર્યા છે,તેમને પણ નાત બહાર મુકવા જોઈએ.
તેમના ત્યાં કોઈએ કોઈ જાતનો વ્યવહાર રાખવો નહિ”

બન્યું એવું કે –બીજે દિવસે ભટ્ટજી –(જેના ત્યાં જ્ઞાનેશ્વર ઉતર્યા હતા તે)
શ્રાદ્ધ નિમિત્તે તે બ્રાહ્મણો ને જમવાનું આમંત્રણ આપવા ગયા ત્યારે સહુએ આમંત્રણ નો અસ્વીકાર કર્યો.
બ્રાહ્મણો ના ના પડવાથી ભટ્ટજી ઝંખવાણા પડી અને ઉદ્વેગ કરતા ઘરમાં બેઠા હતા.
ત્યારે જ્ઞાનેશ્વરે તેમને તેમના ઉદ્વેગ નું કારણ પૂછ્યું,એટલે ભટ્ટજી એ સર્વ હકીકત કહી.

જ્ઞાનેશ્વરે કહ્યું કે-ભલે તે બ્રાહ્મણો ના આવે,પણ તમે રસોઈ ની તૈયારી કરો અને –
એ બ્રાહ્મણો ને ભોજન જમાડી-સંતુષ્ટ કરીને તમે જે (મરી ગયેલા) પિતૃઓને સંતુષ્ટ કરવા માગો છે-એ
(મારી ગયેલા) પિતૃઓ પોતે જ ઈશ્વરની ઈચ્છા થી ભોજન કરવા પધારશે.
ભટ્ટજી એ પોતાની સ્ત્રી ને રસોઈ બનાવવાની આજ્ઞા આપી.

પત્રાવળીઓ પીરસાઈ,ત્યારે જ્ઞાનેશ્વરે ભટ્ટજી પાસેથી થોડા ચોખા લઇ અને સર્વ આસનો પર છાંટી,
પોતાના અસાધારણ યોગ સામર્થ્ય વડે,પિતૃઓ નું આવાહન કર્યું, અને સર્વ ના આશ્ચર્ય ની વચ્ચે,
સર્વ પિતૃઓ આસન પર વિરાજમાન થયેલા જણાયા.જ્ઞાનેશ્વર અને ઘરનાં સર્વે પણ સાથે જમવા બેઠા,
અને હર હર મહાદેવ ના ઘોષ સાથે સહુએ ભોજન આરોગવા માંડ્યું.

ભટ્ટજી ની ફજેતી કરવા ઇચ્છનાર જેઓ આજુબાજુ રહેતા હતા તેઓ ના સાંભળવામાં આ જયઘોષ આવતા,
આશ્ચર્ય ચકિત થઇ ગયા,અને વિચારવા લાગ્યા કે –આખા ગામમાંથી કોઈ નાના બાળક ને પણ ભટ્ટજી ને ત્યાં જવા દીધું નથી તો –આટલા માણસો નો અવાજ અંદર થી કેવી રીતે આવે છે ?
બારણું બંધ હતું એટલે લોકોએ બારણાની તિરાડ માંથી દ્રશ્ય જોયું-ને આભા થઇ ગયા.

બીજી બાજુ-ભટ્ટજી એ સર્વ પિતૃઓ ને તૃપ્ત કરી,મુખવાસ આપ્યા.અને પિતૃઓ વિદાય થયા.

આ બનાવ જોનાર સર્વ બ્રાહ્મણો ને –આમંત્રણ નો અસ્વીકાર કરવાનો પસ્તાવો થવા લાગ્યો.
અને પોતાના વર્તણુંક નો પશ્ચાતાપ થયો.અને તે સર્વે બ્રાહ્મણો એ ભટ્ટજી ને બારણાં ખોલવાની વિનંતી કરી.તેથી ભટ્ટજી એ બારણાં ખોલી સર્વ ને ઘરની અંદર આવવા દીધા.
સર્વ બ્રાહ્મણો એ ઘણા પ્રેમભાવ થી અને ખરા અંતઃકરણ થી,
નિવૃત્તિનાથ,જ્ઞાનેશ્વર,સોપાનદેવ અને મુક્તાબાઈ ના ચરણ માં સાષ્ટાંગ વંદન કરી સ્તુતિ કરી.ક્ષમા માગી.

આ પ્રમાણે જ્ઞાનેશ્વર મહારાજે કરેલા ચમત્કાર અને તેમની સર્વ પ્રકારની યોગ્યતા જોઈ,
પૈઠણ ના બ્રાહ્મણો એ એવો નિર્ણય કર્યો કે-આ તો મૂર્તિમંત “દેવ” છે,એમને પ્રાયશ્ચિત ની કોઈ આવશ્યકતા નથી. અને તે બ્રાહ્મણોની વતી બોપદેવે -શુદ્ધિપત્રક લખી આપી નિવૃત્તિદેવ ને અર્પણ કર્યું.
(શકે ૧૨૦૯-માઘ-સુદ-પાંચમ-ઈસ્વીસન-૧૨૮૭)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10