Dec 31, 2012

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૮



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10
જ્ઞાનેશ્વર અને સંત મંડળી એ પ્રભાસ,સોમનાથ,દ્વારકા,ગિરનાર,ડાકોર,બહુચરાજી,સિદ્ધપુર,પુષ્કરરાજ,
કુરુક્ષેત્ર,જ્વાલાદેવી,હરિદ્વાર,ગંગોત્રી,યમુનોત્રી,બદ્રીનાથ,કેદારનાથ,પ્રયાગ,વૃંદાવન –વગેરે
તીર્થો ની યાત્રા કરી ને પવિત્ર કાશી ધામ માં આવી પહોંચી.

ત્યાં વિશ્વનાથ દર્શન અને પ્રદિક્ષણા –વગેરે કરી શ્રીરામ ભક્ત મહાન સાધુ પુરુષ કબીર જોડે સત્સંગ કર્યો.

તે વખતે મણિકર્ણિકા ના ઘાટ પર મુદગલાચાર્ય મોટો યજ્ઞ કરતા હતા.
તેથી કાશીમાં વૈદિક,શાસ્ત્રી,પુરાણી-વગેરે વિદ્વાન બ્રાહ્મણો ની મોટી મંડળી જામી હતી. અને
આ મંડળી માં અગ્રપૂજાનું માન કોને આપવું? તે વિષે વાદ-વિવાદ ચાલતો હતો.

આ વિવાદ નો પાર નહિ આવવાથી મુદગુલાચાર્યે એક યુક્તિ શોધી અને તેમણે એક હાથણી લાવી,
તેની સૂંઢ માં એક પુષ્પમાળા આપી,અને જેના કંઠમાં તે હાથણી પુષ્પમાળા પહેરાવે તેની અગ્રપૂજા કરવી
તેવો ઠરાવ કર્યો. પ્રત્યેક જન આ માન મેળવવા તલપી રહ્યો હતો,
પરંતુ જ્ઞાનેશ્વર કે જેમને આ માળા પહેરવાની જરા પણ ઈચ્છા નહોતી તેમના કંઠ માં જ –
હાથણી એ માળા આરોપી. આ ઘટના બનતાં જ સંત મંડળે જયઘોષ કર્યો.

જે ખરેખર શ્રેષ્ઠ હોય છે,તે સર્વત્ર શ્રેષ્ઠ તરીકે પુજાય તેમાં આશ્ચર્ય નથી.
જ્ઞાનેશ્વર ની વય નાની હોવા છતાં જ્યાં જ્યાં જતા ત્યાં તે પૂજાતા.

આ રીતે કાશી-ક્ષેત્ર માં મહાન આદર ને પ્રાપ્ત થયા પછી-
ગયાજી,ચિત્રકૂટ,અનસૂયા,જગન્નાથ,બૈજનાથ,ઓમકારેશ્વર,ઉજ્જૈન,સપ્તશ્રુંગ,નાસિક-ત્ર્યંબક,પુણ્યસ્તંભ,
નાગનાથ-વગેરે તીર્થો ની યાત્રા કરીને મંડળી પાછી પંઢરપુરમાં આવી.
ત્યાંથી સર્વ પોતપોતાને સ્થાને ગયા અને જ્ઞાનેશ્વર ,ભાઈ બહેન ની સાથે આળંદી માં આવી પહોંચ્યા.

કેટલાક દિવસ પછી જ્ઞાનેશ્વર ની કીર્તિ –તાપી નદીના તટ પર રહેતા ચાંગદેવ સુધી પહોંચી.
ચાંગદેવ આ ચારે મૂર્તિ (ચાર ભાઈ બહેન) ના દર્શન કરવા માટેની ઈચ્છા થઇ.
ચાંગદેવ મહાન સિદ્ધ હતા,અનેક સિદ્ધિઓ તેમની દાસી હતી.
તેમણે જ્ઞાનેશ્વર પર એક પત્ર મોકલવાનો નિર્ણય કર્યો.પણ પત્ર લખવામાં તેમનો અહંભાવ –
આડો આવ્યો.પત્ર માં જ્ઞાનેશ્વર ને સંબોધવા શી રીતે ?એ મોટો પ્રશ્ન થયો.
“ચિરંજીવ” લખવામાં આવે તો માનવંત પુરુષ નું અપમાન કર્યા –જેવું થાય, અને “પૂજ્ય” લખે તો
પોતે એક વૃદ્ધ પુરુષ ,૧૫ વર્ષના બાળક ને ,બહુ મહત્વ આપે તે પોતાની પ્રતિષ્ઠાને હાનિકર્તા થાય.

આથી કાગળ માં કંઈ પણ ના લખતાં –કોરો કાગળ મોકલવાનો જ નિશ્ચય કર્યો.
શિષ્ય ને કોરો કાગળ –જ્ઞાનેશ્વર ને આપવાનું કહ્યું અને જ્ઞાનેશ્વર કેવી જાતની ઉપાસના કરે છે,
કેવું અધ્યયન કરે છે,તેમનો જીવનનિર્વાહ કેવી રીતે ચાલે છે? એ બાબતની તપાસ કરવાનું કહ્યું.

ચાંગદેવ નો શિષ્ય આળંદી માં આવ્યો ત્યારે ચારે ભાઈ બહેનો સત્સંગ કરતાં હતાં.
શિષ્ય ને જોતાં જ જ્ઞાનેશ્વર તેને ઉદ્દેશીને બોલ્યા-કેમ ?ચાંગદેવે કોરો જ કાગળ મોકલ્યો કે શું ?
દર્શન થતાની સાથે જ આ પ્રશ્ન થયેલો જોઈ –તે બ્રાહ્મણ ચકિત થયો,તેણે વંદન કરી ચાંગદેવ નો
કાગળ આપ્યો.મુક્તાબાઈએ કાગળ હાથમાં લઇ –જોઈ બોલ્યાં કે-
“શું આટઆટલાં વર્ષો પઠન પાઠન કર્યા છતાં પણ તે કોરો ને કોરો જ રહ્યો ?”

નિવૃત્તિનાથે ચાંગદેવ નું ચરિત્ર કહી સંભળાવ્યું અને જ્ઞાનેશ્વર ને કહ્યું કે-
સિદ્ધિના આડંબર થી ભરપૂર અને અહંકાર માં ડૂબેલો ચાંગદેવ બ્રહ્મજ્ઞાન ના સંબંધ માં સર્વથા કોરો જ છે,
માટે તેનું અંતર બોધ પામે તેવો સુંદર પત્ર લખો.

ગુરુની (નિવૃત્તિનાથની) આજ્ઞા સાંભળતાં જ જ્ઞાનેશ્વરે ,ચાંગદેવ પર ૬૫ “ઓવી” ઓનો એક પત્ર લખ્યો.
તે પત્ર “ચાંગદેવ પાસષ્ટિ” ના નામથી પ્રસિદ્ધ  છે.



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10