Mar 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૯

પરમાત્મા (શ્રીકૃષ્ણ-બ્રહ્મ-ઈશ્વર)ની મુખ્ય-મુખ્ય વિભૂતિઓ કઈ કઈ છે ? 
અથવા તો –પરમાત્મા ક્યાં ક્યાં વિરાજેલા છે ?
તો શ્રીકૃષ્ણ (પરમાત્મા-બ્રહ્મ) કહે છે-કે-
---પ્રત્યેક જીવમાં (પ્રાણીમાં) જે -આત્મા -છે –તે હું (પરમાત્મા) છું. અને
   -તે સર્વ જીવો (પ્રાણીઓ) નો  આદિ-મધ્ય અને અંત પણ હું છું..(૨૦)
---બાર આદિત્યોમાં (અદિતિના બાર પુત્રો) માં- વિષ્ણુ(વામન અવતાર) હું છું.
   - તેજસ્વી વસ્તુઓમાં કિરણોવાળો સૂર્ય હું છું.
   -૪૯ –મરુદગણોમાં (વાયુદેવતાઓમાં)- મરીચિ- હું છું.
   -આકાશમાંના નક્ષત્રોમાં -ચંદ્ર -હું છું (૨૧)
---વેદોમાં- સામવેદ- હું છું.
   -દેવોમાં –ઇન્દ્ર- હું છું.
   -ઇન્દ્રિયોમાં –મન- હું છું.
   -સર્વ પ્રાણીઓ (જીવો)માં –ચેતના (જ્ઞાન) શક્તિ-હું છું.(૨૨)
---૧૧-રુદ્રોમાં –શંકર-હું છું.
   -યક્ષ-રાક્ષસોમાં ધનનો સ્વામી–કુબેર-હું છું.
   -૮-વસુઓ માં–અગ્નિ- હું છું.
   -શિખરધારી સર્વ પર્વતોમાં ઉચ્ચ –મેરુ પર્વત- હું છું.(૨૩)
---પુરોહિતોમાં (ગુરુઓમાં)–બૃહસ્પતિ-હું છું.
   -સેનાપતિઓમાં –કાર્તિક સ્વામી-હું છું.
   -જળાશયોમાં–સમુદ્ર-હું છું.
   -સિદ્ધ મહર્ષિઓમાં –ભૃગુઋષિ-હું છું.
   -વાણીમાં (ધ્વનિમાં) એકાક્ષર –  કાર –હું છું.
   -સર્વ પ્રકારના યજ્ઞોમાં –જપયજ્ઞ-હું છું.
   -અચળ વસ્તુઓમાં- હિમાલય- હું છું.(૨૪-૨૫)
---સર્વ વૃક્ષોમાં –પીપળો-હું છું.
   -દેવર્ષિઓમાં –નારદ-હું છું.
   -ગંધર્વોમાં –ચિત્રરથ-હું છું.
   -સિદ્ધોમાં –કપિલમુનિ –હું છું.
   -અશ્વોમાં (ઘોડાઓમાં)–ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું,
   -હાથીઓમાં –ઐરાવત- હાથી હું છું.
   -મનુષ્યોમાં-રાજા-હું છું.(૨૬-૨૭)
---આયુધોમાં (શસ્ત્રોમાં) –વજ્ર-હું છું.
   -ગાયોમાં –કામધેનું-હું છું.
   -પ્રજાને ઉત્પન્ન કરનારમાં-મદન-હું છું.
   -સર્પોમાં-વાસુકિ- હું છું.
   -નાગોમાં-નાગરાજ અનંત (શેષ)-હું છું.
   -જળદેવતાઓમાં-વરુણ-હું છું.
   -પિતૃગણોમાં (પિતૃ દેવતાઓમાં) –અર્યમા-હું છું.
   -નિયંત્રકો (નિયમન કરનારા) માં-યમ-હું છું.(૨૮-૨૯)
---દૈત્યોમાં –પ્રહલાદ-હું છું.
   -કાળની (સમયની)ગણત્રી કરનારાઓમાં –કાળ-હું છું.
   -પશુઓમાં –સિંહ- અને પક્ષીઓમાં-ગરુડ- હું છું.(૩૦)
---પવિત્ર કરનારી વસ્તુઓમાં –વાયુ-હું છું.
   -શસ્ત્રધરોમાં –રામ-હું છું.
   -મત્સ્યોમાં-મકર-હું છું અને
   -નદીઓમાં –ભાગીરથી  (ગંગા હું છું.(૩૧)   

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત