અધ્યાય-૧૦-વિભૂતિયોગ-૫
-વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
-‘તત્વ-નિર્ણય’ ને જાણવાની
ઈચ્છા થી કરવા માં આવતો –વાદ-હું છું.
-અક્ષરો માં –અ-કાર-હું
છું.અને સમાસો માં –દ્વંદ-નામનો સમાસ હું છું.
-સર્વ ને (કીડી થી લઈને
બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું...........(૩૨-૩૩)
---સર્વ નો સંહાર કરનાર –મૃત્યુ –હું છું
-ભવિષ્ય માં થનારાં પ્રાણીઓ
નું ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.
-સ્ત્રી જાતિ ની સાત શક્તિ
ઓ
કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું છું....(૩૪)
કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું છું....(૩૪)
---સામવેદ માં નો-બૃહ્ત્સામ-હું છું.
-છંદોમાં –ગાયત્રી છંદ-હું
છું.
-મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ
હું છું
-ઋતુઓમાં –વસંત ઋતુ-હું
છું...........................................................................(૩૫)
---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.
-પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું
છું.
-જીતનારાઓ નો –વિજય-હું
છું.
-નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું
છું.
-સાત્વિક પુરુષોનો-સાત્વિક
ભાવ-હું છું.
-યાદવો માં-વાસુદેવ-હું છું.
-પાંડવો માં –ધનંજય (
(અર્જુન) હું છું.
-મુનિઓ માં –વેદવ્યાસ-હું
છું
-કવિઓ માં –ઉશના-
હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિ નો પુત્ર હતો)..........(૩૬-૩૭)
---દમન કરનારાઓમાં –દંડ-હું છું.
-જય મેળવવાની ઈચ્છા
રાખનારાઓ ની –નીતિ-હું છું.
-ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય
ભાવો માં-મૌન-હું છું.
-જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું
છું...............................................................................(૩૮)
જેવી રીતે સમુદ્ર પરનાં તરંગો ની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે
પરમાત્મા ની ગુણ-વિશેષ વિભૂતિઓ ની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.
આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫)
વિભૂતિઓ બતાવી છે.
બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગત માં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.
પરમાત્મા ની દિવ્ય વિભૂતિઓ નો અંત નથી...............................................................(૩૯-૪૦)
ટૂંક માં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવ થી
યુક્ત હોય-
તે તે પરમાત્મા ના “તેજ ના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે...............................................(૪૧)
પૂર્ણ પરમાત્મા એ આ સંપૂર્ણ જગત ને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી
ધારણ કરી ને
સ્થિત થયેલા છે-માટે તે પરમાત્મા ને જ “તત્વ” થી જાણવા જોઈએ.................................(૪૨)
અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત