અધ્યાય-૧૬-દૈવાસુરસંપદ્વિભાગયોગ-૨
સંસાર નું બંધન પ્રાપ્ત થાય છે.હે અર્જુન તુ દૈવી
સંપત્તિ માં જન્મેલો છે માટે તુ શોક ન કર...(૫)
આ જગતમાં દૈવ અને આસુર –એવા બે પ્રકારના મનુષ્યો
નો વર્ગ છે.
દૈવી સંપત્તિ ધરાવતા-દૈવ વર્ગ ના લક્ષણો નું
વર્ણન આગળ આવી ગયું,એટલે હવે
આસુર વર્ગ ના (આસુરી સંપત્તિના) લક્ષણો નું વર્ણન
કર્યું છે. (૬)
આસુરી સંપત્તિ વાળા લોકો ને
-કયું કાર્ય કરવું (નિવૃત્તિ માર્ગ કરવાનો છે-તેનું) અને
-કયું કાર્ય ન કરવું (પ્રવૃત્તિ માર્ગ નથી કરવાનો-તેનું)
-કયું કાર્ય કરવું (નિવૃત્તિ માર્ગ કરવાનો છે-તેનું) અને
-કયું કાર્ય ન કરવું (પ્રવૃત્તિ માર્ગ નથી કરવાનો-તેનું)
એનું જ્ઞાન હોતું નથી. તેમજ અંતર્બાહ્ય
પવિત્રતા,આચાર,વિચાર અને સત્યનો પણ અભાવ
હોય છે. (૭)
આવા લોકો માને છે-કે-આ જગત માં ઈશ્વર જેવું કશું
નથી,જગત એ ઈશ્વરમાંથી નહિ પણ સ્ત્રીપુરુષ ના સંયોગ થી પેદા થયું છે. “કામ” જ એનું
મૂળ કારણ છે. આ જગત માં ધર્મ કે અધર્મ ની કોઈ મર્યાદા નથી.
આવા વિચારો કરી ને તથા ઈશ્વર નો તિરસ્કાર કરી ને
કેવળ મિથ્યા (ખોટો) બબડાટ કર્યા કરે છે,
તેમના મન માં કોઈ એક પ્રકાર નો નિશ્ચય હોતો
નથી.તેથી પોતાને અત્યંત બુદ્ધિશાળી માની ને-
કોઈ એક પ્રકાર નો એવો-વિચિત્ર નિર્ણય કરીને-“અમે
નાસ્તિક છીએ “એવું જગત માં કહેતા ફરે છે.
તેમને કશામાં યે શ્રદ્ધા કે છેવટે પોતાની જાતમાં
પણ શ્રદ્ધા (આત્મ શ્રદ્ધા) હોતી નથી,
સત્ય રીતે જોવા જતાં તો આવા અલ્પ-બુદ્ધિ અને
ભયંકર કર્મો કરનારા લોકો સર્વ ના વેરી છે,
તે પોતાની જાત નો પોતાની જાતે જ નાશ તો કરે
છે,સાથે સાથે જગતનો પણ નાશ કરે છે (૮-૯)
કદી તૃપ્ત ના થાય તેવા કામ ને આધીન બની ને તથા
મોહ માં ફસાઈ ને ખોટા ખોટા માર્ગો પર ચાલે છે,
દુરાચારી,દંભી અને માન-અભિમાન થી ભરેલા આવા લોકો
ની ઈચ્છા ની દોડ એટલી બધી હોય છે-કે-
ચારે ય દિશાઓ પણ તેમને પુરી પડતી નથી.
જે પ્રમાણે ગાય ને ખેતર માં છૂટતી મૂકી દીધી એટલે
તે ફાવે ત્યાં ચરે છે,તે પ્રમાણે-
આવા આસુરી સંપત્તિ ધરાવતા લોકો ગમે તેવા કર્મો
માં પ્રવૃત્ત થઇ પાપાચરણ ની વૃદ્ધિ કરે છે.(૧૦)
દુનિયાની સર્વ ચિંતાઓ વિષે વિચારવાનું
છોડી,કામોપભોગ માં નિમગ્ન થયેલા આવા લોકો –માત્ર
એટલું જ વિચારે છે-અને એવોજ નિર્ણય લે છે-કે-કામ
ની શાંતિ એ એકમાત્ર પુરુષાર્થ (પ્રવૃત્તિ) છે.
સેંકડો આશાઓ –ઈચ્છાઓ- થી બંધાયેલા અને કામ,ક્રોધ
થી યુક્ત –આવા લોકો –પોતાની ઈચ્છા પ્રમાણે
ભોગ ભોગવવા માટે અન્યાય થી પુષ્કળ ધન કમાવાની
ઈચ્છા પણ રાખે છે.(૧૧-૧૨)
આવા લોકો મન ની અંદર તરંગો કર્યા કરે અને પોતાની
જાત ની બડાઈ હાંકે જઈ ને કહે છે-કે-
“આ મેં આજે મેળવ્યું,આ મનોરથ ને હું કાલે મેળવીશ,
આટલું ધન આજે મારી પાસે છે,અને બીજું આટલું
આવતીકાલે મને મળનાર છે,હું અતિ ધનવાન અને કુલીન
છું”
“આ શત્રુ ને મેં માર્યો,બીજા ને પણ મારીશ,હું અતિ
સમર્થ છું,સંપન્ન છું અને હું જ એકલો સુખી છું.
આ જગત માં મારા જેવો કોઈ બીજો નથી,”
જેમ સમુદ્ર માં તરંગો ઉપર તરંગો આવે છે,તેમ તેમના
મન માં અનેક મનોરથ ની ઈચ્છાઓ થાય કરે છે,
આવા મનોરથો ની અને મોહની જાળ માં ફસાયેલા તથા
કામ-ભોગ માં અતિ આસક્ત થયેલા-
મનુષ્યો ની વિષયવાસનાઓ ની વૃદ્ધિ થયે જાય છે,અને તેમના
પાપો પણ બળવાન થઇ ને જેમ જેમ વધે છે-તેમ તેમ જીવંત અવસ્થા માં જ તેમને નરક-યાતના
ભોગવવી પડે છે,
ભોગો ભોગવવામાં તે પોતે જ ભોગવાઈ જાય છે, અને
અંતે નરક માં પડે છે. (૧૩ થી ૧૬)