જડ પદાર્થ અને વિચારની ગુલામીમાંથી મુક્તિ અને બાહ્ય તથા આંતરિક પ્રકૃતિ પર સ્વામિત્વ.
બીજા મનુષ્ય તરફથી આવતો દરેક ઈચ્છા-પ્રવાહ
(પછી તે ગમે તે સ્વરૂપમાં હોય -
ઇન્દ્રિયો પર પરાણે લાદી લીધેલા કાબુરૂપે કે મન ને કોઈ વિકૃત સ્થિતિ નીચે લાવી દેવાના રૂપે હોય)
તે-જૂના ભૂતકાળના વિચારો,વહેમો ના બંધનની --હયાત (હાજર) રહેલી વજનદાર મજબૂત સાંકળ માં
એક કડી વધારે ઉમેરી ને -મુક્તિ તો દૂર રહી પણ તે સાંકળ -બંધન ને વધુ મજબૂત કરે છે.
એટલા માટે બીજાઓની સંમોહન વગેરે-ક્રિયાઓ ના પ્રભાવ આપણા પર પડે તે પહેલાં સાવચેત રહેવું જરૂરી છે,તે જ રીતે પોતાની પાસે જો સંમોહન શક્તિ હોય તો તેનો બીજા પર પ્રભાવ પાડીને અજાણપણે પણ
તેનો સર્વનાશ કરતાં પહેલાં-પણ સાવચેત રહેવું એટલું જ જરૂરી છે.
એ કદાચ સાચું હશે કે-કેટલાક લોકો (શ્રદ્ધા થી રોગ મટાડનાર) બીજાઓને માનસિક વૃત્તિ નું એક નવું
વલણ આપીને -અમુક સમય પૂરતા તેમને ફાયદો કરવામાં સફળ થાય,પણ,
એ સાથે જ તેઓ અજાણપણે જે સૂચનો આજુબાજુ ફેલાવી મૂકે છે-તે બીજા હજારો મનુષ્યો ના મન ની અંદર-
જે વિકૃત,નિષ્ક્રિય અને અચેતન જેવી સ્થિતિ પેદા કરી મૂકે છે કે જે વિનાશ નોતરે છે.
તેથી,જે કોઈ માણસ બીજાને અંધ-શ્રદ્ધા થી માનવાનું કહેછે,અથવા તો પોતાની પ્રબળ ઈચ્છા-શક્તિની
આકર્ષક શક્તિ વડે -બીજા લોકો ને પોતાની તરફ ખેંચે છે-તેમનો ભલે-પોતાનો કોઈ હેતુ ના હોય -
તો પણ એ માનવ જાતિનું ભલું કરવાને બદલે - નુકશાન પહોંચાડે છે.
એટલા માટે-- આપણે પોતાના મન નો ઉપયોગ કરી ને પોતાના મન અને શરીર પર કાબૂ મેળવવો કોઈએ.
જો,આપણે પોતે આપણા પોતાના મન થી માંદા પડીએ,તો જ બહારની બીજા કોઈ ની પ્રબળ ઈચ્છા-વૃત્તિ,
આપણા પર પ્રભાવ પાડી શકે-નહિતર નહિ.
વળી,કોઈ પ્રબળ-ઈચ્છા-શક્તિ વાળો મનુષ્ય આપણ ને અંધ-શ્રદ્ધા થી માનવાનું કહેતો હોય, તો તે -
ગમે તેટલો મહાન કે સારો હોય પણ તેનાથી દૂર રહેવું એ વધારે સારું છે.
અત્યારે -દુનિયામાં બધેય,નાચવા-કૂદવાના જે ધૂન-કીર્તન ના બરાડા પડનારા જે ધાર્મિક-સંપ્રદાયો
પેદા થઇ ગયા છે-તેઓ જયારે ગાવા-નાચવા નો પ્રચાર કરવા માંડે છે ત્યારે તે ચેપી રોગ ની પેઠે સમાજમાં
ફેલાય છે, કારણ કે તેઓ પણ -એક પ્રકારના સંમોહન કરનારાઓ જ છે.
તેઓ નબળા મનના લાખો મનુષ્યો પર તત્પુરતો-થોડા સમય માટે અજબ કાબૂ જમાવે છે,પણ,
લાંબે ગાળે-ઉપર બતાવ્યું તે મુજબ તે માનવ-જાતિ ને અધોગતિ એ લઇ જાય છે.
આવા વિકૃત બાહ્ય કાબૂ વડે -"માત્ર દેખાવમાં સારા" બનવા કરતાં -"ખરાબ" રહેવું એ બહેતર છે.
આવા શુભ હેતૂવાળા લાગતા પણ બેજવાબદાર ધર્મ-ઝનૂનીઓ થી માનવ-જાતિ ને પારાવાર નુકશાન થયું છે.
એ ધર્મ-ઝનૂનીઓ ને ખબર નથી હોતી (અને ખબર હોય તો તેમણે તેની પડી નથી હોતી) કે-
સંગીત,ધૂન,પ્રાર્થના,કીર્તન ના બૂમ-બરાડા અને નાચવા ના તેમનાં સુચનો ની અસર ને લીધે,
જે મનુષ્યો ના મન "ઓચિંતી આધ્યાત્મિક ઉન્નતિ" એ ચડે છે તેઓ કેવળ પોતાના મનને -અજાણે
નિષ્ક્રિય,વિકૃત અને નિર્બળ બનાવે છે,અને બીજા ગમે તે સૂચનને વશ થવા પણ તૈયાર બને છે,કે જે,
ભલે ને ગમે તેટલું અનિષ્ટકારી હોય!!!!
એ અજ્ઞાની અને ધર્મ-ઝનૂની માણસો ને સ્વપ્ને ય ખ્યાલ નથી (અને હોય તો તેમને બીજા ની પડી નથી) કે-
તેઓ "પોતાના માનવા મુજબ" ઉપર ક્યાંક વાદળોમાં બેઠેલા કોઈક "દેવતાઓએ" તેમના પર વરસાવેલી.
"બીજા માણસોના મનમાં પરિવર્તન લાવી મુકવાની શક્તિ" નો ઉપયોગ કરી,
પોતાના અહમ ને પોષણ મળે અને લોકો તેમને જાણે ને આદરભાવ આપે-તેના માટે-
ઉપર મુજબ ના સંપ્રદાયો બનાવી ને -
ભવિષ્યના સડાનાં,ગુનાનાં,ગાંડપણ નાં,અને મોત નાં-બીજ વાવી રહ્યા છે.
એટલા માટે જ -જે કોઈ આપણું સ્વાતંત્ર્ય ખૂંચવી લે.એવી હરકોઈ બાબત થી ચેતતા રહીને,તે જોખમકારક
છે તેમ સમજી ને પોતાની શક્તિમાં હોય તે-બધા ઉપાય કરી તેમનાથી દૂર રહેવું જોઈએ.