કુંભમુનિ કહે છે કે-જેમ બહુ ઠંડી પડવાથી જળ,બરફ બની પથ્થર જેવું થાય છે,તેમ આ જગત-રૂપી-ભ્રમ મિથ્યા છતાં,સૃષ્ટિ-કર્તા-હિરણ્યગર્ભનું,
સત્ય-સંકલ્પ-પણું હોવાથી તેમના સંકલ્પ માત્રથી જ દૃઢ થઇ જઈને,
સત્ય-સંકલ્પ-પણું હોવાથી તેમના સંકલ્પ માત્રથી જ દૃઢ થઇ જઈને,
તમારા કહેવા પ્રમાણેની ઉપરની ક્રિયાઓ કરે છે.જન્મ-મરણ આદિ દુઃખ પણ ઉત્પન્ન કરે છે માટે,જ્ઞાન ઉત્પન્ન થવાના ક્રમ વડે,અજ્ઞાન શિથિલ થઇ જવાથી,
અજ્ઞાનનો નાશ થયા વિના પ્રથમ અજ્ઞાનથી દેખાતા આ જગતના આકારનો કદી નાશ થતો જ નથી.
અજ્ઞાનનું શિથિલપણું થવામાં,સર્વ બાહ્ય પદાર્થોના જ્ઞાનના આકારે સ્ફૂરેલી વૃત્તિઓનું,ચિત્ત-નિરોધ વડે,
જે ઓછું થવું-તે જ કારણ-રૂપ છે.અને તે જ જ્ઞાનની ઉત્પત્તિ થવાના ક્રમથી,પરમાત્મા-રૂપ-પરમ-પદનો
સાક્ષાત્કાર થઈને,તે (સાક્ષાત્કાર) આ સર્વ સૃષ્ટિનો અભાવ,અનુભવવામાં કારણ-રૂપ થાય છે.
જગતમાં પણ,જે પદાર્થનું ઓછાપણું થવા માંડે,તે પદાર્થ ક્રમે કરી,પોતાનો પૂર્વ-આકાર નાશ પામી જવાથી,
પોતાની મેળે જ નાશ પામી જાય છે.માટે પ્રથમ જ્ઞાન ઉતપન્ન થાય તેવા ક્રમથી બહારના પદાર્થોના આકાર-વાળી-વૃત્તિઓનો નાશ થવો જોઈએ,પછી આત્મ-સાક્ષાત્કાર થતાં આ જગત આત્માથી જુદું ના જણાવાથી,નાશ પામી જાય છે.અને આ ક્રમથી તમે પોતે જ આદિ-પુરુષ છો અને
ભ્રાંતિથી અનેક આકારે દેખાતું આ જગત ઝાંઝવાના જળ પેઠે મિથ્યા છે.
આ પ્રમાણે સૃષ્ટિ-કર્તા બ્રહ્માની પણ પરબ્રહ્મની સત્તાથી,જુદી સત્તા ના હોવાને લીધે,
આ દેખાતી સૃષ્ટિ પણ કોઈ દિવસે છે જ નહિ.કેમ કે જે પોતે જ ના હોય તે,બીજાને શું બનાવી શકે?
કારણ જ ના હોવાથી આ જગત-રૂપી કાર્ય થયું જ નથી.
છતાં,તે છે-એમ જે દેખાય છે,તેનું કારણ તપાસવા જતાં,મિથ્યા જ્ઞાન સિવાય કશું દેખાતું નથી.
શિખીધ્વજ કહે છે કે-અનંત,જન્મ-રહિત,અદૃશ્ય,શાંત,પોતાના સ્વરૂપમાંથી કદી પણ ભ્રષ્ટ ન થનાર,
આકાશના જેવું વ્યાપક,તથા અસંગ પરબ્રહ્મ જ સર્વના આદિ -શ્રુષ્ટિ-કર્તાનું શા માટે "કારણ" નથી?
કુંભમુનિ કહે છે કે-હેતુપણાનો કે કાર્યપણાનો-એ બંનેનો અભાવ જ હોવાથી,પરબ્રહ્મ કારણ-રૂપ કે કાર્ય-રૂપ નથી જ.એ પોતે એક અદ્વિતીય હોવાથી સર્વ દૃશ્ય-જડ-વર્ગ (જગત) થી અલગ પોતાના શુદ્ધ-રૂપમાં જ રહે છે.
જે પરબ્રહ્મ કર્તા નથી,કર્મ નથી,કરણ (સાધન) નથી,નિમિત્તકારણરૂપ નથી,ઉપાદાન કારણરૂપ નથી.
જે તર્કમાં ન આવી શકે, કે જે જાણવામાં ના આવી શકે તેવું છે,તે પરબ્રહ્મમાં કર્તાપણું કેવી રીતે હોઈ શકે?
બ્રહ્મમાં કોઈ ધર્મો રહી શકતા નથી,એટલે તે કારણ પણ નથી કે કાર્ય પણ નથી.