Feb 27, 2024

કેવળ હરિ નામ-By અનિલ શુક્લ

 

વલોવો ભલે  વેદ ને શાસ્ત્રો,ને મથો ઘણું,અંતે તો છે હરિ-નામ,

જીવન ટૂંકું,કલિમાં,ન થઇ શકે તપ-સાધન,હરિ-કીર્તન જ ઉપાય.


મુશ્કેલ છે ઘણો,તરી જવો,આ સંસાર-રૂપી સાગરને,આ કલિમાં,

હરિનામની હોડી બનાવી,હરિ-કીર્તનથી તરી જવું,એ જ ઉપાય.


મુક્તિ કે ભુક્તિની આશા રહેવા દે જીવ,ઘોર છે આ કલિયુગ,

કેવળ હરિ નામ,કેવળ હરિ-કીર્તન કરી,યાચું માત્ર તને ભગવાન.


અનિલ 

એપ્રિલ-7-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com