Feb 28, 2024

મનહર-By અનિલ શુક્લ


મનને હરનાર મનહર,હરિએ હરી જ લીધું છે જ્યાં મનને,

ના ચિતા,ના ચાહના,મન જ નથી તો નાથવું કયા મનને?


ન રહ્યું કોઈ ભાન દેશ-કાળ કે શરીરનું,હરિમાં જ્યાં સમાણાં,

અનંગ ઉન્માદ,પ્રેમ-મસ્ત આનંદમાં,નયનમાં નીર ના સમાણાં.


વ્હાલાને કર્યું વ્હાલ,ચિત્તચોરે ચોર્યું ચિત્તને,પ્રેમ-વહાણાં વાયાં,

સમાઈ હરિમાં ગયા,બેસી ગોદમાં તેની,બન્યા હરિના જાયા.


અનિલ-એપ્રિલ-3-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com