Mar 13, 2024

શરણાગતિ-By અનિલ શુક્લ


સ્વીકારી જ્યાં શરણાગતિ,તો શરણાગતની કૃપા જ થઇ,
જ્યાં થઇ ગતિ પવનની બંધ,ને ગતિ તેનામાં શું મળી ગઈ?

બંધન છૂટ્યું જ્યાં શ્વાસનું,તો શૂન્યતા જ સર્વ પ્રસરી રહી,
શૂન્ય મળ્યું જ્યાં શૂન્યમાં તો કોઈ અજબ સ્થિતિ બની રહી.

નથી આવતું કશું એ યાદ,બસ જાણે આનંદની મસ્તી રહી, 
યાદ રાખવા જ આ સ્થિતિને, થોડીક પંક્તિઓ લખાઈ ગઈ.

અનિલ
ફેબ્રુઆરી-૧૨-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com