Mar 15, 2024

પ્રભુના પ્યારથી-By અનિલ શુક્લ

 

અચાનક જ આવી,નજરમાં વસી ગયા,તમે જ્યારથી,
ને ચૂપચાપ હૃદયમાં પણ પૂરાઈ ગયા, તમે,પ્યારથી.

કોઈ અજબ નશો કહું તો ચાલશે? ના,કહી જ નાખું,
અજબ-ગજબ,નશીલી મસ્તી જ છાયી રહી ત્યારથી.

પૂછ્યું તો નથી જગતે કે કેમ છો? છતાં કહી દઉં છું,
મસ્તીના સમંદરો જ ઉછળી રહે છે,પ્રભુના પ્યારથી !

અનિલ
જાન્યુઆરી,૩૧,૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com