Mar 2, 2024

સસ્તી સલાહ-By અનિલ શુક્લ

 

નર કપડાની ચિંતા કરે નરક પડવાની નહિ 

દુઃખ આવી મળવાની ચિંતા કરે મરવાની નહિ. 


કોઈ મરે તો ચિંતા કરે- પોતાના મરવાની નહિ

સ્મસાનમાં વૈરાગ્યની વાતો,પણ સંસારમાં નહિ


ટીલાં-ટપકાં કરી,ભક્તિની વાતો કરે આ સંસારમાં,

ભક્તિ શું વધી ગઈ છે કે શું ? એની ખબર પડે નહિ.


માગ્યા વગર દીધી છે,તો મને ય મન થાય છે,આપું,

સસ્તી એ સલાહને કોઈ માંગે ત્યાં સુધી દેશો  નહિ.


અનિલ 

૧૯,ઓક્ટોબર-૨૦૨૦



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com