Mar 27, 2024

આત્મારામ-By અનિલ શુક્લ

 

ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું?
મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું?

ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું?
આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું?

જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું?
અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું?

સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું? 
જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું? 

સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું, 
રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું? 

અનિલ
ડીસેમ્બર-૨૧-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com