Mar 30, 2024

ઉન્મતતા-By અનિલ શુક્લ

 

સમાઈ ગઈ છે જે બુંદ સાગરમાં,તે બીજી બુંદને શું સમજાવે?
આકાશમાં મુક્ત ફરતું પંખી.પિંજરાના પંખીને શું સમજાવે?

મૌન માફક આવી ગયું,હવે વાણીનો વિલાસ બાકી ના રહ્યો,
વર્ણવી ન શકાય તેને વર્ણવવાની ચેષ્ઠા કરી પણ શકાય કેમ?

મદહોશી કહો,મદમસ્ત કહો,દીવાનગી કહો,કે કહો પાગલતા,
ઉન્મતતા જ કામ આવી ગઈ,ના વતાવું કોઈને,કોઈ ના વતાવે !

અનિલ
ડીસેમ્બર-૬-૨૦૧૮

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com