Mar 8, 2024

સ્થિર અનિલ-By અનિલ શુક્લ

 

સળગી રહી ધૂણી,રાખના ઢગલે ઢગલા થયા,
તન પર થયા થર ભભૂતિના,વરસો વીતી ગયા.

વૈરાગી થયો મનવો,ને ભજનમાં જ લાગી ગયો,
સંસારમાં લોકને મળ્યે.જાણે,વરસો વીતી ગયા.

ગમે નહિ કશું કરવું,નાદ અનંતનો લાગી ગયો,
વહેવાનું બંધ થયે અનિલને,વરસો વીતી ગયા.

છંછેડો નહિ,રહેમ કરો,હલાવો કાં અનિલને?
સ્થિર થયે તેને તો જાણે,વરસો જ વીતી ગયા.

અનિલ
માર્ચ-૨૨-૨૦૨૦


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com