May 11, 2024

નાદ અલખનો-By અનિલ શુક્લ

 
ઝુલાવે ડાળ પવન ને ?કે પવન ઝુલાવે ડાળ ને?
થયી ઘડીક સ્થિરતા,તો નાદ અલખનો લાગી ગયો.

છોડી તો દીધા હતા -વાદ.વિવાદ ને વિખવાદ ને ,
લઇ સુગંધ ચમનની પવને,ને સુગંધમય બની ગયો.

સફર તો લાંબી ક્યાં હતી? શરુ શૂન્યથી જવું શૂન્યમાં,
ઘડીક તો લાગે છે એમ કે તે પવન શૂન્ય બની ગયો !!

પણ,ના નથી એવું,નાદ તો ઉદ્ભવે પવનના ઘસાવાથી,
સ્થિર,શૂન્ય કે ભલે વહે,અનુભવ અલખનો કરાવી ગયો

અનિલ
માર્ચ-12-2015