May 5, 2024

ફુરસદ નથી-By અનિલ શુક્લ

 

અંગે લગાવી થરો ભભૂતના જુઓને દેખાવ કર્યા  છે કેવા?
અંતરમાં થોડીક પણ ભભૂત લગાવવાની હિંમત કરે છે કોણ?

અવળી અવળી જ વાતો છે,ને એ જ સાચી છે એવી કરે ઠાવકાઈ,
સત્ય ખુલ્લું જ  છે,પણ તે સત્યને ખોળવાની  દરકાર કરે છે કોણ?

ફુરસદ નથી પવન થી બનેલા એ સંગીત ને સાંભળવાની કોઈને,
તો નાદ અનહત નો તો ક્યાંથી સંભળાય,દરકાર તેની કરે છે કોણ?

જરૂર છે શું કહેવાની કે? છેડાં ના કરે એ પવન સાથે,નહિતર ચેતજો,
ખોટી ભભૂતિ એ તન પરની ઉડાવી,ખુલ્લા કરી દેશે,તમને ઓ,લોકો

અનિલ
30 એપ્રિલ,2015