Aug 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-906

 

અધ્યાય-૩૮-ગુણયત્રવિભાગયોગ(ગીતા-૧૪-ગુણયત્રવિભાગયોગ)


श्री भगवानुवाच--परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१॥

इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥२॥

શ્રીભગવાન કહે છે-જે જ્ઞાનને,જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે,તે,જ્ઞાનનો આશ્રય લઈને,

જે મારામાં એકરૂપ થઇ ગયા છે,તે સૃષ્ટિના ઉત્પતિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્યથા પામતા નથી.(૨)

मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।संभवः सर्वभूतानां ततो भवति भारत ॥३॥

सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः ।तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥४॥

હે ભારત,'મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ'મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે.તેમા હું ગર્ભને ધારણ કરું છું.

આથી સર્વ ભૂતોની ઉત્પતિ થાય છે.હે કાન્તેય,સર્વ યોનીમાં જે પ્રાણી ઉત્પન થાય છે,

તે પ્રાણીઓની 'પ્રકૃતિ'(માયા) માતા છે તથા હું ગર્ભાધાન કરનારો પિતા છું.(૪)


सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः ।निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥५॥

तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥६॥

હે મહાબાહો,'સત્વ,રજ અને તમ' એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે.

તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે.તે ત્રણ ગુણોમાં,

'સત્વગુણ' નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર,ઉપદ્રવરહિત સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે.  


रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥७॥

तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ॥८॥

હે કાન્તેય,પ્રીતિસ્વરૂપ જે 'રજોગુણ' તે આશા અને આસક્તિના સંબંધથી જ ઉત્પન્ન થયેલો છે.

તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે.વળી 'તમોગુણ'ને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો 

તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ.તે જીવાત્મા ને પ્રમાદ,નિદ્રા વગેરે વડે બાંધે છે.(૮) 


सत्त्वं सुखे संजयति रजः कर्मणि भारत ।ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत ॥९॥

रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१०॥

હે ભારત,સત્વગુણ આત્માને સુખમાં જોડે છે,રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને તમોગુણ તો 

જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્યવિમુખ બનાવે છે.હે ભારત,રજોગુણ, સત્વગુણ અને તમોગુણને 

જીતી વૃદ્ધિ પામે છે.તમોગુણ, સત્વગુણ અને રજોગુણને જીતીને વૃદ્ધિ પામે છે.(૧૦) 


सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते ।ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥११॥

लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥१२॥

अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥१३॥

દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે,ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.(૧૧)

લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ,ઉચ્છુંખલતા અને ઈચ્છા એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૨)  

વિવેકનો નાશ,કંટાળો,દુર્લક્ષ અને મોહ  એ  તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.(૧૩)


यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४॥ 

रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥१५॥

कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१६॥

सत्त्वात्संजायते ज्ञानं रजसो लोभ एव च ।प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥१७॥

સત્વગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણીમૃત્યુ પામે,તો તે મહતત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમલોકમાં જાય છે.(૧૪)રજોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે.અને  તમોગુણની વૃદ્ધિ થઇ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુ-આદિ મૂઢ યોનીમાં જન્મ થાય છે.(૧૫)

પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું, રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું.(૧૬)

સત્વગુણમાંથી જ્ઞાન,રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ,મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે.(૧૭)