Aug 25, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-908

 

અધ્યાય-૩૯-પુરુષોત્તમ-યોગ (ગીતા-૧૫-પુરુષોત્તમ-યોગ)


श्री भगवानुवाच--ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१॥

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः ।अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥२॥

શ્રી ભગવાન કહે છે-આ સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે.એનો 

કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ વૃક્ષના પાન છે.જે આ રહસ્ય ને જાણે છે તે જ વેદવેત્તા છે.(૧)

તે વૃક્ષની શાખાઓ સત્વાદિ ગુણોથી વધેલી છે.શબ્દાદિ વિષયોના પાનથી તે ઉપર-નીચે સર્વત્ર પ્રસરેલી છે.

નીચે મનુષ્યલોકમાં આ વૃક્ષના કર્મરૂપી મૂળો એક બીજામાં ગૂંથાઈ રહ્યા છે.(૨)

न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।अश्वत्थमेनं सुविरूढमूलमसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥३II

ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः ।तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥४॥

એ પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે,તેવું તેનું શુદ્ધ સ્વરૂપ અનુભવાતું નથી.એનો અંત,આદિ તથા સ્થિતિ 

પણ નથી.આવા બળવાન મૂળવાળા વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે જ છેદીને;(૩) 

ત્યાર પછી તે પરમ પદને શોધવું જોઈએ.વળી,એવી ભાવના કરવી કે-'જે પદને પામનારા ફરીને આ સંસારમાં આવતા નથી.

ને જેનાથી આ સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ પ્રસરેલી છે' એવા તે આદ્ય પુરુષને જ શરણે હું જાઉં છું.(૪)


निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः । द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥५॥ 

न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥६॥

અહંકાર (અમાની) તથા મોહ વિનાના,સંગદોષને જીતનારા,પરમાત્મસ્વરૂપનો વિચાર કરવામાં તત્પર,જેમની કામનાઓ 

શાંત પામી છે તેવા સુખદુઃખરૂપી દ્વંદોથી મુક્ત થયેલા વિદ્વાનો એ અવિનાશી પદને પામે છે.તે પદને પ્રકાશિત કરવા માટે 

સુર્ય,ચંદ્ર કે અગ્નિ સમર્થ નથી અને જે પદને પ્રાપ્ત થયેલા લોકો પુનઃ પાછા આવતા નથી તે મારું પરમ પદ છે.(૬)


ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥७॥ 

शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥८॥

આ સંસારમાં મારો જ અંશ સનાતન જીવરૂપે રહેલો છે.પ્રકૃતિમાં રહેલી મન સહિત છ શ્રોતાદિક ઈન્દ્રિયોને તે આકર્ષે છે.

જેમ,વાયુ પુષ્પમાંથી સુવાસ લઇ જાય છે તેમ,શરીરનો સ્વામી જીવાત્મા,જે પૂર્ણ દેહ ત્યાગ કરે છે,તેમાંથી 

મન સહિત ઈન્દ્રિયોને ગ્રહણ કરી જે બીજો દેહ ધારણ કરે છે તેમાં તેમને પોતાની સાથે લઇ જાય છે.(૮)


श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥९॥

उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१०॥

તે જીવ કાન,આંખ,ત્વચા,જીભ,નાક વગેરે ઇન્દ્રિયો તથા મનનો આશ્રય કરીને વિષયોનો ઉપભોગ કરે છે.બીજા દેહમાં 

જનારો કે દેહમાં નિવાસ કરનારો,શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરનારો અથવા સુખદુખાદિ યુક્ત રહેનારો જે 

જીવ છે તેનું સત્સ્વરૂપ મૂઢજનોને દેખાતું નથી પણ જેમને જ્ઞાનચક્ષુ હોય છે તેમને જ દેખાય છે.(૧૦)


यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।यतन्तोऽप्यकृ तात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥११॥

यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१२॥

યત્ન કરનારા યોગીઓ પોતાનામાં રહેલા જીવાત્માને જુવે છે અને જેઓ અશુદ્ધ અંત:કરણવાળા અને 

અવિવેકી છે તેને એ જીવનું સ્વરૂપ દેખાતું નથી.સૂર્યમાં રહેલું જે તેજ સર્વ જગતને પ્રકાશિત કરે છે 

અને જે અગ્નિ તથા ચંદ્રમાં પણ રહેલું છે તે તેજ મારું છે એમ તું સમજ (૧૨)


गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१३॥

अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१४॥

હું જ આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વ ભૂતોને ધારણ કરું છું તથા રસાત્મક ચંદ્ર થઈને 

સર્વ ઔષધિઓને પોષું છું.(૧૩) હું પ્રાણીઓના દેહમાં પ્રવેશીને પ્રાણ,અપાન ઈત્યાદિ વાયુમાં 

મળીને જઠરાગ્નિ બની ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું.(૧૪)


सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् ॥१५॥

द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१६॥

વળી હું સર્વના હૃદયમાં રહેલો છું.મારા વડે જ સ્મૃતિ અને જ્ઞાન તથા એ બંનેનો અભાવ ઉત્પન્ન થાય છે.

સર્વ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું.વેદાંતનો સિદ્ધાંત કરનાર અને તેનો જ્ઞાતા પણ હું છું.(૧૫) 

આ લોકમાં ક્ષર અને અક્ષર અવિનાશી બે જ પુરુષ છે. સર્વ ભૂતોને ક્ષર કહેવામાં આવે છે

અને કુટસ્થ-સર્વ ભૂતોની ઉત્પત્તિના કારણરૂપને અક્ષર કહેવામાં આવે છે.(૧૬)  


उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१७॥

यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१८॥

ઉત્તમ પુરુષ તો આ બંનેથી અલગ છે. તેને પરમાત્મા કહેવામાં આવે છે. એ અવિનાશી ઈશ્વરરૂપ બની આ 

જગતત્રયમાં પ્રવેશી ને તેનું ધારણ-પોષણ કરે છે.(૧૭)હું ક્ષરથી તો સર્વથા પર છું અને માયામાં સ્થિત અવિનાશી 

જીવાત્મા અક્ષરથી પણ ઉત્તમ છું.તેથી લોકોમાં અને વેદોમાં પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું.(૧૮)


यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१९॥

इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।एतद्‌बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥२०॥

હે ભારત,જે સંમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે છે,તે સર્વજ્ઞ છે.અને તે સર્વ 

ભક્તિયોગથી મને ભજે છે.હે નિષ્પાપ,હે ભારત,મેં આ પ્રમાણે તને ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર કહ્યું છે. 

એને જાણીને આત્મા જ્ઞાનવાન થાય છે અને કૃતાર્થ થાય છે.(૨૦)


અધ્યાય-૩૯-પુરુષોત્તમ-યોગ સમાપ્ત  (ગીતા-૧૫-પુરુષોત્તમ-યોગ-સમાપ્ત)