Aug 31, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-914

 

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥२०॥

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥२१॥

यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥२२॥

જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વ ભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે તે જ્ઞાનને તું 

સાત્વિક જાણ.વળી પરસ્પર ભેદથી રહેલા સર્વ ભૂતોમાં એક બીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ.વળી જે જ્ઞાન એક કર્મમાં પરિપૂર્ણની જેમ,અભિનિવેશવાળું,હેતુ 

વિનાનું તત્વાર્થથી રહિત તથા અલ્પ વિષયવાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે.(૨૨) 

नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥२३॥

यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥२४॥

अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥२५॥

ફળની ઈચ્છા ન રાખતાં  નિત્ય નૈમિત્તિક કર્મો,કર્તુત્વના અભિમાનના ત્યાગ પૂર્વક રાગ-દ્વેષ રહિત કરવામાં આવે છે 

તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે.વળી સ્વર્ગાદિ ફળની કામનાવાળા તથા અહંકાર વાળા મનુષ્યો દ્વારા બહુ 

પરિશ્રમ વડે જે કરાય છે,તે રાજસ કહ્યું છે.જે કર્મ પરિણામનો,હાનિનો,હિંસાનો તથા પોતાના સામર્થ્યનો 

વિચાર કર્યા વગર અવિવેકથી આરંભ કરવામાં આવે છે તેને તામસ કર્મ કહે છે. (૨૫)


मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥२६॥

रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ॥२७॥

अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥२८॥

ફળની ઈચ્છા વગરનો. ‘હું કર્તા છું’ એમ નહિ કહેનારો,ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત,સિદ્ધિમાં અને અસિદ્ધિમાં વિકાર રહિત 

કર્મ કરનારો, સાત્વિક કહેવાય છે.રાગી, કર્મફળની ઇચ્છાવાળો,લોભી,હિંસા કરવાવાળો,અપવિત્ર તથા હર્ષ-શોકવાળા 

કર્તાને રાજસ કહેવામાં આવે છે.અસ્થિર ચિત્તવાળો,અસંસ્કારી,ઉદ્ધત,શઠ,બીજાની આજીવિકાનો નાશ કરનાર, આળસુ,વિષાદ કરવાના સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કર્તા તામસ કહેવાય છે.(૨૮)  


बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु ।प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय ॥२९॥

प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये ।बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ॥३०॥

यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥३१॥

अधर्मं धर्ममिति या मन्यते तमसावृता ।सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥३२॥

હે ધનંજય,બુદ્ધિના તેમજ ધૈર્યના સત્વાદિક ગુણોથી ત્રણ પ્રકારના ભેદને સંપૂર્ણ પણે જુદાં જુદા કહેવાય છે,તે તું સાંભળ.

જે બુદ્ધિ પ્રવૃતિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને,ભય તથા અભયને,બંધન તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ 

સાત્વિક છે.જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને,કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહિ જાણે તે બુદ્ધિ રાજસી છે.તમોગુણથી 

ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે,તે તામસી બુદ્ધિ છે.(૩૨)


धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः ।योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥३३॥

यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन ।प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी ॥३४॥

यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च ।न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥३५॥

હે પાર્થ,ચિત્તવૃતિના નિરોધરૂપ યોગથી કામનાઓ ચલિત નહિ થનારી ધીરજથી મન,પ્રાણ અને 

ઇન્દ્રિયોની ક્રિયાને ધારણ કરે છે.તે ધૈર્ય સાત્વિક કહેવાય છે.વળી પ્રસંગાનુસાર ફળની 

કામનાવાળો થઇ જે ધૈર્ય વડે ધર્મ, કામ અને અર્થને પ્રાપ્ત કરે છે તે ધૈર્ય રાજસી છે.ભાગ્યહીન 

મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન,ભય,વિષાદ તથા મદને પણ ત્યજતો નથી તે ધૈર્ય તામસી છે.(૩૫) 


सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति ॥३६॥

यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥३७॥

विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥३८॥

यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥३९॥

હે ભરત શ્રેષ્ઠ,હવે તું મારી પાસેથી ત્રણ પ્રકારનાં સુખને સાંભળ.જે સમાધિસુખમાં અભ્યાસથી રમણ કરે છે તથા દુઃખના 

અંતને પામે છે.જે તે સુખ આરંભમાં વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી ઉત્પન્ન થયેલું હોય તે સુખને સાત્વિક કહ્યું છે.જે તે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગથી ઉપજેલું છે તે આરંભમાં 

અમૃત જેવું લાગે છે પણ પછી પરિણામમાં વિષ જેવું લાગે છે તે સુખ ને રાજસ કહ્યું છે.

જે સુખઆરંભમાં તથા પરિણામે બુદ્ધિને મોહમાં નાખનારું,નિંદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે 

તે સુખ તામસ કહ્યું છે. (૩૯)