Showing posts with label દેહાધ્યાસ કેમ દૂર કરવો ?. Show all posts
Showing posts with label દેહાધ્યાસ કેમ દૂર કરવો ?. Show all posts

Feb 1, 2013

દેહાધ્યાસ કેમ દૂર કરવો ?




દેહાધ્યાસ કેમ દૂર કરવો ?

દેહાધ્યાસ એટલે કે
હું દેહ (શરીર ) છું એવું માનવું તે .....

દેહાધ્યાસ દૂર કરવા ગીતા ના ષ્લોક નીચે મુજબ ના છે -

૨-૨૦
આ આત્મા
કોઈ કાળે નથી જન્મતો અને નથી મરતો
અથવા
ના આ આત્મા થઈને (નવો થઈને )પછી થવાનો છે
(કારણકે )
આ આત્મા
અજન્મા --નિત્ય --શાશ્વત (અને )પુરાતન છે .
શરીર નો નાશ થવા છતાં (તેનો) નાશ થતો નથી .

ઉદાહરણ તરીકે જ્ઞાનેશ્વર કહે છે કે ---
ઘટ(ઘડા ) માં ના આકાશ નો આકાર ઘટ જેવો જ છે પણ
ઘટ નો નાશ થતાં તે આકાશ નાશ પામતું નથી

૨-૨૩
આ આત્માને શસ્ત્રો વગેરે ના કાપી શકે છે (અને )
એને (આત્માને )આગ જલાવી શકતી નથી (તથા )
એને જળ ભીનું કરી શકતું નથી અને
એને વાયુ નથી સુકવી શકતો .

નોંધ-અહી ચાર મહાભૂતો એ બાકીના એક મહાભૂત (આકાશ ) ને અસર નથી કરી
શકતા એવું સમજી શકાય ??
આત્મા ને આકાશ સાથે સરખાવવાનું કેટલું યોગ્ય લાગે છે !!!!!

૨-૧૯
જે આ આત્માને
મારવા વાળો સમજે છે તથા
જે
એને મરેલો માને છે
તે બંને નથી જાણતા(સાચું નથી જાણતા-અજ્ઞાની છે) કે
આ આત્મા નથી મારતો કે નથી મરાતો.