અધ્યાય-૨૯૯-દ્યુમત્સેનને રાજ્યપ્રાપ્તિ
II मार्कण्डेय उवाच II तस्यां रात्र्यां व्यतीतायामुदिते सूर्यमण्डले I कृतपौर्वाह्निकाः सर्वे समेपुस्ते तपोधनाः II १ II
માર્કંડેય બોલ્યા-તે રાત્રિ વીતી ગઈ ને જયારે સૂર્યમંડળ ઉદય પામ્યું,ત્યારે તપોધની ઋષિઓ પ્રાતઃકર્મો કરીને ભેગા થયા અને તે દ્યુમત્સેનને સાવિત્રીનું સર્વ મહાભાગ્ય ફરીફરી કહીને તૃપ્તિ પામ્યા નહિ.એવામાં શાલ્વદેશનું પ્રધાનમંડળ ત્યાં આવી પહોંચ્યું ને દ્યુમત્સેનને કહેવા લાગ્યું કે-તમારા તે શત્રુને,તમારા પ્રધાને જ તેના સહાયકો તથા બંધુઓ સાથે મારી નાખ્યો છે.શત્રુસેના ભાગી ગઈ છે,તેથી સર્વ પ્રજાજનો એક વિચાર પર આવ્યા છે કે તમે જ અમારા રાજા થાઓ.માટે
હે મહારાજ તમે પાછા પધારો અને તમારા બાપદાદાના રાજ્યાસને વિરાજો'








