Jan 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-701

 

આત્મજ્ઞાનના અભાવને લીધે,સંકલ્પની સિદ્ધિ ન થાય તો દીક્ષિતવ્રત આચરવું.સત્પુરુષો તો સત્ય પરબ્રહ્મને જ શ્રેષ્ઠ માને છે.

જ્ઞાનનું ફળ પ્રત્યક્ષ છે અને તપનું ફળ પરોક્ષ હોય છે.જે દ્વિજ બહુ પઠન કરે તેને બહુપાઠી જાણવો.(48)

હે ક્ષત્રિય,તું કેવળ અધ્યયન વડે જ બ્રાહ્મણ માન નહિ,પણ જે સત્યથી ચલિત થાય નહિ તેને જ બ્રાહ્મણ માનવો (49)

Dec 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-700

 

મદ ના ઉપર જણાવેલ અઢાર દોષો છે અને (આગળ દર્શાવેલ) છ પ્રકારનો ત્યાગ છે.તે ત્યાગના વિપર્યાસ રૂપે છ (બીજા)દોષો છે.આ છ દોષો અને ઉપરના અઢાર મળીને ચોવીસ દોષો મદ ના કહેલા છે.છ પ્રકારનો ત્યાગ અતિશ્રેષ્ઠ છે,પરંતુ તેમાં ત્રીજો ત્યાગ દુષ્કર છે કારણકે તે ત્યાગ કરવાથી દ્વૈતનો વિજય થાય છે ને તેથી (તે અનિર્વચનીય) પુરુષ દુઃખને તરી જાય છે.(27)

છ પ્રકારનો ત્યાગ આ પ્રમાણે છે.લક્ષ્મી કે વિદ્યા પ્રાપ્ત કરીને ગર્વ કરવો નહિ,નિત્ય વૈરાગ્યને લીધે ઇષ્ટ (યજ્ઞ-આદિ)

તથા પૂર્ત (તળાવો બંધાવવા-આદિ)કર્મોનો ત્યાગ અને ત્રીજો કામનાનો ત્યાગ (29)

Dec 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-699

સનત્સુજાત બોલ્યા-હે રાજન,ક્રોધાદિક બાર દોષો અને તેર નૃશંગનો વર્ગ એ કલ્મષ (કામ-આદિ વાળું) તપ છે.

અને દ્વિજોના જાણીતા એવા ધર્માદિક બાર ગુણો છે કે જે પિતૃઓના શાસ્ત્રમાં કહેલા છે (15)

ક્રોધ,કામ,લોભ,મોહ,વિધિત્સા(તૃષ્ણા),અકૃપા(નિર્દયતા),અસૂયા(પારકામાં દોષ જોવા),માન,શોક,સ્પૃહા,

ઈર્ષ્યા અને જુગુપ્સા આ બાર મનુષ્યના દોષો છે તે મનુષ્યોએ સદા ત્યાગ કરવા યોગ્ય છે (16)

પારધી જેમ મૃગોનો લાગ ખોળે છે તેમ,આ દોષોમાંનો એકેક દોષ મનુષ્યોના છિદ્રો ચોમેરથી ખોળવાની ઉપાસના કરે છે (17)

Dec 22, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-698

 

અધ્યાય-૪૩-સનત્સુજાતનો ઉપદેશ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II कस्यैष मौनः कतरन्नु मौनं प्रब्रूहि विद्विन्नीह मौनभावं I मौनेन विद्वानुत याति मौनं कथं मुने मौनमिहाचरन्ति II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે વિદ્વાન,મૌનનું પ્રયોજન શું છે?વાણીનો નિયમ અને નિદિધ્યાસન એ બેમાંથી કયું મૌન 

કહેવાય છે?મૌનનું લક્ષણ શું છે?મૌન દ્વારા વિદ્વાન પુરુષ મૌન (નિર્વિકલ્પ)પદને પામે છે કે કેમ? 

અને આ જગતમાં મૌનનું કેવી રીતે આચરણ કરાય છે? એ સર્વ મને સારી રીતે કહો 

સનત્સુજાત બોલ્યા-જે કારણથી,મનની સાથે વેદો,એ પરમાત્મામાં પ્રવેશ કરી શકતા નથી,તે કારણથી જ પરમાત્માનું નામ મૌન છે.જે પરમાત્મામાંથી વેદશબ્દ તથા આલૌકિક શબ્દ (ૐ)પ્રગટ થયો છે,તે ભૂમાત્મા (વ્યાપક)શબ્દમયપણાથી પ્રકાશે છે (2)

Dec 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-697

 

ધૃતરાષ્ટ્ર બોલ્યા-પુણ્યકર્મ કરનારા દ્વિજાતિઓને પોતાના ધર્મના ફળરૂપ સનાતન લોકો મળે છે એમ વેદો કહે છે.

તેઓના ક્રમ કહો અને તેનાથી બીજા લોકો પણ કહો.હું નિષિદ્ધ તથા કામ્યકર્મ જાણવાની ઈચ્છા રાખતો નથી (26)

Dec 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-696

 

વિષયોને અનુસરનારો પુરુષ,વિષયોની પાછળ વિનાશ પામે છે અને જે પુરુષ વિષયોનો ત્યાગ કરે છે,તે જે કંઈ દુઃખરૂપ હોય તે સર્વનો નાશ કરે છે (13) વિષયની એ કામના,પ્રાણીઓને અજ્ઞાન કરનારી,વિવેકનો નાશ પમાડનારી તથા નરકરૂપ દુઃખદાયી જણાય છે.જેમ,મદિરાથી ગાંડા થયેલાઓ,માર્ગમાં ચાલતા,ખાડાઓ તરફ દોડે છે,તેમ,કામનાવાળા પુરુષો સુખ જેવા જણાતા,ભાર્યા વગેરે વિષયોની પાછળ દોડે છે (14)

Dec 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-695

 

અધ્યાય-૪૨-સનત્સુજાતનો ઉપદેશ 


II वैशंपायन उवाच II 

ततो राजा धृतराष्ट्रो मनीषी संपूज्य वाक्यं विदुरेरितं तत् I सनत्सुजातं रहिते महात्मा पप्रच्छ्म् बुद्धिं परमां वुभुषन II १ II

વૈશંપાયને કહ્યું-પછી બુદ્ધિમાન તથા મહાત્મા ધૃતરાષ્ટ્ર રાજા,વિદુરનાં કહેલાં વાક્યને સારી રીતે અભિનંદન આપી,

પોતે પરબ્રહ્મરૂપ થવાની ઈચ્છાથી એકાંતમાં સનત્સુજાતને બ્રહ્મવિદ્યા પૂછવા લાગ્યા.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સનત્સુજાત,'મૃત્યુ નથી'એવું તમારું જે દ્રઢતાથી કહેવું છે,તે મેં વિદુરના મુખેથી સાંભળ્યું.

પણ (એવું પણ સંભળાય છે કે)દેવો-અસુરોએ મૃત્યુરહિત થવા માટે બ્રહ્મચર્ય પાળ્યું હતું,તો આ બંનેમાં સત્ય શું છે?

Dec 18, 2024

Chatu Sloki Bhagvat-Gujarati-ચતુશ્લોકી ભાગવત

ચતુશ્લોકી(ચાર શ્લોકનું) ભાગવત 

(શ્રીમદ ભાગવત-સ્કંન્ધ-૨-અધ્યાય-૯-શ્લોક-૩૨,૩૩,૩૪,૩૫)

૧.

અહમેવાસમેવાગ્રે ન્યાયદ યત સદસત પરમ I પશ્ચાદહં યદેતચ્ય યોSવશિષ્યેત સોSરમ્યહમ II 

---સૃષ્ટિના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો

('હું જ હતો' એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો,માયા,અંતર્મુખ-પણે મારામાં લીન હતી)

Bhishma Stuti-Gujarati with meaning

 શ્રીમદ ભાગવત-સ્કંધ-1-અધ્યાય-9-માં શ્લોક 32 થી 42-માં ભીષ્મે કરેલી શ્રીકૃષ્ણની સ્તુતિ છે 

Chatu Sloki Bhagvat-Gujarati-ચતુશ્લોકી ભાગવત અને ભાગવતના પહેલા ત્રણ સ્કંધનો ટૂંક સાર

  શ્રીમદ ભાગવત  ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધનું સાર-રૂપ લખાણ --નવ ભાગમાં નીચે ની લીંક પર થી  .

010203040506070809

ભાગવત-૧

ચતુશ્લોકી(ચાર શ્લોકનું) ભાગવત 

(૨/૯/૩૨,૩૩,૩૪,૩૫)

૧.

અહમેવાસમેવાગ્રે ન્યાયદ યત સદસત પરમ I પશ્ચાદહં યદેતચ્ય યોSવશિષ્યેત સોSરમ્યહમ II 

---સૃષ્ટિના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો

('હું જ હતો' એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો,માયા,અંતર્મુખ-પણે મારામાં લીન હતી)                                                      

---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું (પ્રલય પછી જે બાકી રહે છે તે)

---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.

ટુંકમાં,ત્રણે કાળ-ભૂત-ભવિષ્ય-અને વર્તમાનમાં,અધિષ્ઠાનરૂપે મારી સત્તા (હોવા-પણું) વ્યાપક છે (૨/૯/૩૨)

૨.

ઋતેSર્થ યત પ્રતીયેત ન ચાત્મનિ I તદ્વિદ્યાદાત્મનો માયાં યથાSSભાસો યથા તમઃ II 

---'માયા'ને લીધે,મારું 'આત્મા-રૂપ-અંશ-પણું' (આશ્રયપણું) દેખાતું નથી.

---જેવી રીતે,શરીરના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.(૨/૯/૩૩)

(નોધ-શરીરના ધર્મો-દેહ ધર્મ-(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ-( બહેરા-કાણા પણું ),પ્રાણ ધર્મ-(ભુખ-તરસ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)

૩.

યથા મહાન્તી ભૂતાનિ ભુતેષુચ્ચાવચેશ્વનુ I પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં II 

---જેમ,પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'માં સૃષ્ટિની પછી,દાખલ થયેલા છે (જે દેખાય છે)

    --અને,દાખલ થયેલા પણ નથી.(સૃષ્ટિની પૂર્વે 'કારણ-રૂપે' ત્યાં રહેલા જ છે)

---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થોમાં,રહ્યો છું અને નથી પણ રહ્યો (૨/૯/૩૪ )

૪.

એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાSSત્મન I અન્વયવ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા II 

---આવી મારી 'સર્વત્ર'સ્થિતિ છે.

---આત્માનું તાત્વિક સ્વરૂપ જાણવા ઇચ્છતા પુરુષે (જિજ્ઞાસુએ) માત્ર એટલું જ જાણવાનું બસ છે કે-

જે વસ્તુ.-અન્વય -અતિરેકથી -સર્વ સ્થળે-સર્વદા છે -તે  આત્મા છે.( ૨/૯/૩૫ )

(આત્માનું ભાન થવું-તે-અન્વય એટલે કે-'વિધિ'-રૂપે આ બ્રહ્મ છે-આ બ્રહ્મ છે-તે ભાવ થવો) અને,આત્માનું ભાન થવાથી 

-દેહનું વિસ્મરણ થવું તે-અતિરેક-એટલે કે 'નિષેધ'-રૂપે આ બ્રહ્મ નથી-આ બ્રહ્મ નથી-તે ભાવ થવો તે)