Nov 8, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-009

બ્રાહ્મણની ગાયોની રક્ષા માટે,અસ્ત્રો લેવા,અર્જુનનું યુધિષ્ઠિરના આવાસમાં જવું,અને નારદજીએ કરેલા નિયમ

મુજબ અર્જુનનું વનમાં જવું,વનવાસમાં ઉલુપી ને ચિત્રાંગદાનો મેળાપ,ચિત્રાંગદાથી બબ્રુવાહનનો જન્મ,

ને બ્રાહ્મણોના શાપથી મગરી થયેલી પાંચ અપ્સરાઓનો અર્જુન દ્વારા ઉદ્ધાર-વિશેનું વર્ણન છે.

પછી,પ્રભાસતીર્થમાં અર્જુનનો શ્રીકૃષ્ણ સાથેનો મેળાપ,શ્રીકૃષ્ણની અનુમતિથી સુભદ્રા-હરણ,

સુભદ્રાથી અભિમન્યુનો જન્મ,અને પછી દ્રૌપદીના પુત્રોનું આખ્યાન કહેલ છે.

Nov 7, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-008

 પહેલું,અનુક્રમણિકા-પર્વ,બીજું પર્વ-સંગ્રહ,પછી પૌષ્ય-પર્વ,પૌલોમ પર્વ છે.

ત્યારથી માંડીને,ભવિષ્ય-પર્વ સુધીનાં સો પર્વો,વ્યાસજીએ કહ્યાં  છે.

(નોંધ-અહીં સર્વ સો પર્વોનાં નામ લખેલાં છે,તેનું હવે પછી પુનરાવર્તન થાય છે એટલે તે નામો લખવાનું ટાળ્યું છે)

હવે તે 'ભારત'નો સંક્ષિપ્ત (મુખ્ય અઢાર પર્વોમાં વિભાજીત) પર્વ-સંગ્રહ વિષે કહેવામાં આવે છે.(41-85)

Nov 6, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-007

 
પર્વસંગ્રહ-પર્વ

અધ્યાય-૨-સમંતપંચકનું વર્ણન,અક્ષૌહિણીની ગણના,પર્વસૂચિ ને મહાભારતની પ્રશંસા

II ऋषयः उचुः II 

समन्तपन्चकमिति यदुक्तं सूतनन्दन II एतत्सर्व यथातत्वं श्रोतुमिच्छामये वयम् II १ II 

ઋષિઓ બોલ્યા-હે સૂતનંદન (સૂતજી) તમે જે સમંતપંચક દેશનું નામ કહ્યું,તે વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ.


સૂતજી બોલ્યા-ત્રેતા અને દ્વાપર યુગના સંધિકાળમાં,પરશુરામે ક્રોધથી પ્રેરાઈને,વારંવાર ક્ષત્રિયકુળોનો નાશ કર્યો હતો,અને તે ક્ષત્રિયોનો સંહાર કરીને,તેમનાં લોહીનાં પાંચ સરોવરો,સમંતપંચકમાં કર્યાં હતાં.અને તે લોહીથી તેમણે પિતૃઓનું તર્પણ કર્યું હતું,ત્યારે ઋચિક-આદિ નામના પિતૃઓએ ત્યાં આવી પરશુરામને કહ્યું કે-હે રામ,અમે તારી આ પિતૃભક્તિથી અને તારા પરાક્રમથી અતિ પ્રસન્ન થયા છીએ,તું વરદાન માગી લે.(1-7)

Nov 5, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-006

સૂતજી કહે છે-આમ કહીને,અત્યંત દુઃખી થઈને,ધૃતરાષ્ટ્ર વિલાપ કરવા લાગ્યા,ને મૂર્ચ્છા પામ્યા,

ફરીથી તે જયારે ભાનમાં આવ્યા ત્યારે,તે સંજયને કહેવા લાગ્યા કે-આવી દશા થઇ છે,

એટલે હું,જલ્દી પ્રાણ કાઢી નાખવા ઈચ્છું છું,હવે મને જીવતા રહેવામાં કોઈ ફળ દેખાતું નથી (219-220)

Nov 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-005

 

જયારે,મેં સાંભળ્યું કે,કિરાત-રૂપધારી-દેવાધિદેવ મહાદેવને યુદ્ધમાં પ્રસન્ન કરીને અર્જુને પાશુપત નામનું મહા અસ્ત્ર મેળવ્યું છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,અર્જુને સ્વર્ગમાં રહી,ઇન્દ્રની પાસેથી વિધિપૂર્વક દિવ્ય અસ્ત્રો શીખી લીધાં છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,દેવોથી પણ અજેય એવા,કાલકેયો ને પૌલોમ નામના અસુરોને અર્જુને જીતી લીધા છે,ત્યારે,મેં 'જય'ની આશા ન કરી,જયારે,મેં સાંભળ્યું કે,મનુષ્યોના માટે અગમ્ય એવા કુબેરજીની ભેટ પાંડવોને થઇ છે,ત્યારે મેં 'જય'ની આશા ન કરી (162-166)

Nov 3, 2022

Pasaydan-with Gujarati translation-By Sant Gnaneshvar-પસાયદાન-ગુજરાતી અનુવાદ સાથે

 સંત જ્ઞાનેશ્વરજી રચિત 

પસાયદાન 

(મરાઠી ભાષાનો શબ્દ છે-કે જેનો સીધો અર્થ કૃપા પ્રસાદ (ભિક્ષા)  કે પ્રસાદ પણ કરી શકાય)

('પસા' એટલે બે હાથ પાસે પાસે રાખીને કરેલ ખોબો,અને દાન એટલે ભિક્ષા કે પ્રસાદ)


સંત જ્ઞાનેશ્વરજી કે જેમને વારકરી સંપ્રદાયવાળા 'મૌલી' (મા) પણ કહે છે,

તેમણે જે જ્ઞાનેશ્વરી ગીતા (કે ભાવાર્થ દીપિકા) કહેલી છે,

તેના છેલ્લા અઢારમા અધ્યાયની 1794 થી 1802 ઓવીઓને પસાયદાન કહે છે.

કે જે મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-004

 દુર્યોધન,એક 'ક્રોધ-રૂપી-મહાવૃક્ષ' છે,કર્ણ-શકુનિ તેનો શાખા-વિસ્તાર છે,દુઃશાસન તેનાં ફળ-ફૂલ છે,
અજ્ઞાનથી આંધળો તથા બુદ્ધિ-રહિત ધૃતરાષ્ટ્ર તેની જડ (મૂળ) છે.તો-

યુધિષ્ટિર,એક 'ધર્મ-મય-મહાવૃક્ષ' છે,અર્જુન-ભીમ તેનો શાખા-વિસ્તાર છે,નકુલ-સહદેવ તેનાં ફળ-ફૂલ છે,

અને શ્રીકૃષ્ણદેવ તથા બ્રાહ્મણ,તેની જડ છે (110-111)

Nov 2, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-003

     

 (સત્યવતી અને પરાશરના પુત્ર-દ્વૈપાયન) વ્યાસજીએ સનાતન વેદના વિભાગ કરી આ પવિત્ર ઇતિહાસ રચ્યો છે.

આ ઇતિહાસ (મહાભારત)ની રચના વખતે તેઓએ વિચાર્યું કે-આ ઇતિહાસ-ગ્રંથ રચ્યા પછી હું મારા શિષ્યોને કેવી રીતે ભણાવીશ? તેમની આ ચિંતા જાણીને બ્રહ્માજી (હિરણ્યગર્ભ) ત્યાં પધાર્યા.(54-59)

Nov 1, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-002

 પૃથ્વી પર,કોઈ કોઈ કવિઓએ પહેલાં આ ઇતિહાસ કહ્યો છે,આજે પણ કહે છે અને ભવિષ્યમાં પણ કહેશે.

અનંત જ્ઞાન આપવાવાળો આ ઇતિહાસ,ત્રણે લોકમાં પ્રશંસા પામ્યો છે.

આ (ઇતિહાસ-રૂપ) મહાભારત ગ્રંથ,અનેક પ્રકારના છંદો,સુંદર શબ્દો 

અને શ્રેષ્ઠ મનુષ્યોના સદાચારોથી સુશોભિત છે,તેથી વિદ્વાનો તેનો ઘણો આદર કરે છે.(26-28)

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-001(1-આદિપર્વ)

મહાભારત મુખ્ય એવા અઢાર પર્વોમાં વિભાજીત છે,
(1) આદિપર્વ (2) સભાપર્વ (3) આરણ્યક પર્વ (4) વિરાટ પર્વ (5) ઉદ્યોગ પર્વ (6) ભીષ્મ પર્વ (7) દ્રોણ પર્વ (8) કર્ણ પર્વ (9) શલ્ય પર્વ (10) સૌપ્તિક અને ઐષિક પર્વ (11) સ્ત્રી પર્વ (12) શાંતિ પર્વ (13) અનુશાસન પર્વ (14) આશ્વમેઘીક પર્વ (15) આશ્રમવાસિક પર્વ (16) મૌસલ પર્વ (17) મહા પ્રસ્થાનિક પર્વ (18) સ્વર્ગારોહણ પર્વ) 
આ પછી,પરિશિષ્ટ ભાગમાં હરિવંશ-પર્વ અને ભવિષ્ય-પર્વ (12000-શ્લોકોમાં)કહ્યા છે.

(અધ્યાય-1-51-52-53 માં કહ્યા મુજબ) ઘણા,જુદાજુદા સ્થાન(પર્વ)થી આ સંહિતા (મહાભારત)નો આરંભ કરે છે.કોઈ પંડિતો,नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् એ મંત્રથી (અધ્યાય-1 થી)આરંભ કરે છે,કોઈ પંડિતો (આ આદિપર્વમાં આવતા) આસ્તીક-પર્વ (અધ્યાય-13)થી આરંભ કરે છે,તો કોઈ રાજા ઉપરિચરની કથાથી (અધ્યાય -63)પ્રારંભ કરે છે.

સંક્ષિપ્ત મહાભારત અધ્યાય-61 માં કહ્યું છે.


(નોંધ-વ્યાસજીએ ચોવીસ હજાર શ્લોકનું (કાવ્ય-રૂપે) આખ્યાન લખ્યું તે 'જય' નામે પ્રસિદ્ધ થયું હતું.પછી વૈશંપાયને તેને 'ભારત' નામે અને છેવટે સૂતજી(સૌતી)એ તેનું નામ 'મહાભારત' કર્યું હતું.હાલમાં જેની જુદીજુદી આવૃત્તિઓમાં ચોર્યાસી હજાર થી એક લાખ શ્લોકોનું મહાભારત જોવા મળે છે. પ્રથમ અધ્યાયમાં મહાભારતની અનુક્રમણિકાનું વર્ણન છે તો બીજા અધ્યાયમાં પર્વોની અનુક્રમણિકા છે.મહાભારતના મુખ્ય પાત્રો (કૌરવો અને પાંડવોના (ચંદ્ર) વંશની કથા અધ્યાય-96 થી શરુ થાય છે)

મહાભારતની કથા પહેલીવાર વાંચવાની ઈચ્છા ધરાવનાર,અધ્યાય-100 થી શરુ કરી શકે?!!-અનિલ)


Oct 5, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-18

 

स कीत्र्यमानः शीघ्रमेवाविर्भवति अनुभावयति च भक्तान्।। ८० ।।

ભગવાનનું પ્રેમ-પૂર્વક કીર્તન કરવાથી ભગવાન પ્રગટ થાય છે 

અને ભક્તોને પોતાનો અનુભવ કરાવી દે છે (૮૦)


પરમાત્મા તો સર્વ જગ્યાએ હાજર જ છે,તેને કોઈ ખુશામતની (વખાણની) પડી નથી,

પણ,જયારે,ભક્ત તેના સ્મરણમાં સતત રહે છે ત્યારે તે ભક્ત ખુલે છે,તેના આંખ આગળનો પડદો હટી જાય છે,

અને પરમાત્મા પ્રગટ થાય છે,ને તે ભક્તને પોતાનો (પરમાત્માનો) અનુભવ કરાવે છે.

એટલે કે-કીર્તનથી,સતત સ્મરણથી,ભક્તને તન્મયતા થાય છે,ભક્ત ભગવાન બને છે.

ને સર્વમાં તેને પરમાત્માના દર્શન થાય છે.અને તે જ પરમાત્માની કીર્તિનું કીર્તન છે.

Oct 4, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-17

 

भक्तिशास्त्राणि मननीयानि तदुदबोधककर्माण्यपि करणीयानि ॥ ७६ ॥

(પ્રેમ-ભક્તિની પ્રાપ્તિ માટે) ભક્તિ-શાસ્ત્ર નું મનન કરતા રહેવું જોઈએ,

અને એવા કર્મ પણ કરવા જોઈએ કે-જેનાથી ભક્તિમાં વૃદ્ધિ થતી રહે. (૭૬)


ભક્તિશાસ્ત્ર,એ પરમ-પ્રેમનું શાસ્ત્ર છે.કે જેમાં ભાવના મુખ્ય છે.

શાસ્ત્રના મનનમાં,કોઈ વિચાર (કે ચિંતન) નથી.મોટે ભાગે મન એ વિચારો (ચિંતન) કરે છે.

પણ એ જ મન,જયારે શાંત બનીને (એટલે કે વિચારો શાંત બને ત્યારે) 

 એક જ વિચાર (કે શાસ્ત્ર) પર ધ્યાન આપે ત્યારે તે મનન કહેવાય છે.

Oct 3, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-16

 

नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादिभेदः ।। ७२ ।।

તે ભક્તોમાં જાતિ,વિદ્યા,રૂપ,કુલ,ધન અને ક્રિયા-એ કશાનો ભેદ નથી (૭૨)

यतस्तदीयाः ।। ७३ ।। કારણકે બધા ભક્તો તેમના ભગવાનના જ હોય છે. (૭૩)


ઈશ્વર 'એક' છે,અને ભક્તો જયારે ભક્તિને (પરમપ્રેમને)લીધે ઈશ્વર જ બની જાય છે તો 

સર્વ ભક્તો એક સમાન જ કે 'એક' જ છે.ઈશ્વરને પામવા તેમની પ્રત્યે પરમપ્રેમ જ જરૂરી છે,

એટલે તે ભક્તોમાં (બ્રાહ્મણ કે ક્ષુદ્ર વગેરે જેવો) જાતિભેદ હોઈ શકે જ નહિ.

Sep 30, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-15

 

तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम्।। ६५ ।।

બધા આચાર (કર્મો-ક્રિયાઓ) ભગવાનને અર્પણ કર્યા પછી કોઈ કામ,ક્રોધ,અભિમાન-વગેરે રહી ગયા હોય,તો તેને પણ ભગવાનને અર્પણ કરી દેવા જોઈએ (૬૮)


આગળ કહયા મુજબ,જયારે મનુષ્યે,જો સર્વ કર્મો અને તે કર્મોના ફળો ભગવાનને અર્પણ કરી દીધા હોય,

ને પછી,કામ,ક્રોધ,અભિમાનનો પણ ત્યાગ કર્યો હોય,છતાં,જો તે કામ-ક્રોધ-અભિમાન આદિ,

સંપૂર્ણ રીતે દૂર ન થયા હોય તો તે બાકી રહેલા કામ-ક્રોધ-આદિને પણ ભગવાનને સમર્પણ કરવા જોઈએ.

Sep 29, 2022

Bhakti Sutro By Narad-As it is-with simple translation in Gujarati and detail explaination-14

 

शान्तिरूपात्परमानन्दरूपाच्घ ॥ ६० ॥ 

ભક્તિ એ શાંતિ-રૂપા અને પરમાનંદ-રૂપા છે. (૬૦)


જેમ,ભક્ત અને ભગવાન એક બને છે,તેમ ભક્તિ(પ્રેમ)નું સ્વરૂપ  અને ભગવાનનું સ્વરૂપ એક જ છે,

જેમ,પરમાત્માને સચ્ચિદાનંદ (સત+ચિદ+આનંદ) પણ કહે છે,ને તે શાંત અને પરમાનંદ-રૂપ છે.

તેમ,ભક્તિનું સ્વરૂપ તે પરમાત્માનું જ છે.ભક્ત શાંત બને તો પરમાત્માનું રૂપ પ્રગટ થાય છે.

એટલે જ નારદ કહે છે કે-(આ ભક્તિ તે)શાંતિ-રૂપ અને પરમાનંદ-રૂપ છે.