Apr 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-152

 
અધ્યાય-૧૬૦-કુંતીનો બ્રાહ્મણને પ્રશ્ન 

II कुन्त्युवाच II कुतोमुलमिदं दुःखं ज्ञातुमिच्छामितत्वत्तः I विदित्वाप्यकर्पेयं शक्यं चेदपकर्पितुम् II १ II

કુંતી બોલી-તમારા આ દુઃખનું મૂળ ક્યાં છે?તે હું તત્ત્વતઃ જાણવા ઈચ્છું છું,

તે જાણીને,તે દુઃખ દૂર કરવાનું શક્ય હશે તો હું તેમ કરીશ,માટે તે તમે મને કહો (1)

બ્રાહ્મણ બોલ્યો-હે તપોધના,તમે જે બોલો છે તે સંતોને છાજે તેવું છે,પણ મારુ આ દુઃખ કોઈ માનવીથી દૂર 

થાય તેમ નથી.આ દુઃખ એ છે કે-નગરની સમીપ મહાબળવાન બક (બકાસુર) નામનો રાક્ષસ રહે છે જે આ નગર અને પ્રદેશનો સ્વામી છે.માણસનું માંસ ખાઈને તે દુર્બુદ્ધિ પુષ્ટ થયો છે,(જો કે) તે આ પ્રદેશનું નિત્ય રક્ષણ કરે છે 

કે જેથી,અમને કોઈ શત્રુઓને પ્રાણીઓની ભીતિ નથી.(2-5)

Apr 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-151

અધ્યાય-૧૫૯-બ્રાહ્મણપુત્ર ને પુત્રીનાં વચન 

II वैशंपायन उवाच II तयोर्दुखितयोर्वाक्यमतिमात्रं निशम्य तु I ततो दुःखपरितांगी कन्या तावम्यभाषत II १ II

વૈશંપાયન બોલ્યા-તે બેઉ (પતિ-પત્ની)નાં વચનોને પુરાં સાંભળીને સર્વાંગે દુખે ઘેરાયેલી તે કન્યા (પુત્રી)

તે બંનેને કહેવું લાગી કે-'તમે બંને અત્યંત દુઃખાતુર થઇ અનાથની જેમ કેમ રોઈ રહ્યા છો? તમે મારુ વચન સાંભળો અને તે સાંભળીને તમને યોગ્ય લાગે તેમ કરો.ધર્મ અનુસાર તમારે બંને મારો જ ત્યાગ કરવો ઘટે છે,એમાં સંશય નથી.ટી ત્યજવાને યોગ્ય એવી મને ત્યજીને તમે સૌની રક્ષા કરો.'સંતતિ પોતાને તારશે' એ હેતુથી જ સૌ સંતતિને ઈચ્છે છે,તો આ આવી ઉભેલા સંકટકાળે તમે મને હોડી રૂપ કરીને તરી જાઓ.(1-4)

Apr 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-150

 
અધ્યાય-૧૫૮-બ્રાહ્મણીનાં વચન 

II ब्राह्मण्युवाच II न संतापस्तव्या कार्यः प्राकृतेनेव कहिचित् I न हि संतापकालोऽयं वैद्यस्य तव विद्यते II १ II

બ્રાહ્મણી બોલી-પ્રાકૃત માણસની જેમ,તમારે,ક્યારેય આવો સંતાપ કરવો ન જોઈએ.તમારા જેવા વિદ્વાનને માટે આ સંતાપનો સમય નથી.આ લોકમાં સૌ મનુષ્યોને,એક દિવસ તો મરણના પંથે જવાનું જ છે.માટે,તેને માટે સંતાપ કરવો યોગ્ય નથી.પત્ની,પુત્ર,પુત્રી -એ સૌને,સર્વ લોક સ્વકલ્યાણ માટે જ ઈચ્છે છે.તમે સદબુદ્ધિ ધારણ કરીને વ્યથાને છોડી દો,

હું પોતે જ (બકાસુર રાક્ષસ પાસે) ત્યાં જઈશ,કેમ કે સ્ત્રીઓનું સનાતન કર્તવ્ય છે કે પત્નીએ પ્રાણને ઓવારીને પણ સ્વામીની હિત આચરવું.પત્નીનો એ મહાન ધર્મ છે.

Apr 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-149

બકવધ પર્વ 

અધ્યાય-૧૫૭-બ્રાહ્મણની ચિંતા 


II जनमेजय उवाच II एकचक्रां गतास्ते तु कुन्तीपुत्रा महारथाः I अत ऊर्ध्वं द्विजश्रेष्ठ किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,તે મહારથી કુંતીપુત્ર પાંડવોએ એકચક્રમાં ગયા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-તે કુંતીપુત્રો,થોડો વખત તે બ્રાહ્મણના ઘરમાં રહ્યા.તે સૌ,વનો,સરિતાઓ,સરોવરોની મુલાકાતો લેતા,ને રાતે નગરમાંથી ભિક્ષા લાવીને,કુંતીને અર્પણ કરતા,ને કુંતી જે અલગ અલગ ભાગ પાડી આપતી તે ખાતા.

ભિક્ષાનો અર્ધો ભાગ ભીમ ખાતો ને અર્ધા ભાગમાંથી,માતા ને બીજા ભાઈઓ ખાતા.પોતાના ગુણોને લીધે,

તે કુન્તીપુત્રો,નગરના લોકોમાં પ્રિય થઇ પડ્યા હતા.એ રીતે ઘણો કાળ વહી ગયો (1-7)

Apr 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-148

 
અધ્યાય-૧૫૫-ઘટોત્કચનો જન્મ 

II भीमसेन उवाच II स्मरंति वैरं रक्षांसि मायमाश्रित्य मोहिनीं I हिडिम्बे व्रज पन्थानं स्वमिमं भ्रातृसैवितम् II १ II

ભીમ બોલ્યો-'હે હિડિમ્બા,રાક્ષસો મોહિની માયાનો આશ્રય કરીને પોતાના વેરોને સંભારી રાખે છે,

તો તું પણ તારા ભાઈએ સેવેલા (રાક્ષસી)રસ્તે પડ.'

યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,તું ક્રોધમાં સ્ત્રીનો વધ કરીશ નહિ,શરીરના રક્ષણ કરતાં ય તું ધર્મનું અધિક રક્ષણ કર,

વધની ઈચ્છાએ આવેલા તે હિડિમ્બને તે માર્યો છે,તો તે રાક્ષસની બહેન ક્રોધે ભરાઈને આપણને શું કરી શકશે?'

Apr 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-147

અધ્યાય-૧૫૪-હિડિમ્બનો વધ 

II वैशंपायन उवाच II प्रबुद्वास्ते हिडिम्बाय रूपं द्रष्टात्तिमानुपम् I विस्मिताः पुरुषव्याघ्रा वभूवुः पृथया सह II १ II

વૈશંપાયન બોલ્યા-જાગરાત થયેલા તે પુરુષસિંહો (પાંડવો) અને કુંતી(પૃથા) તે હિડિમ્બાનું માનવરૂપ જોઈ વિસ્મિત થયાં.પછી કુંતીએ તેને કહ્યું કે-'હે દેવકન્યા જેવી ઉત્તમાંગી,તું કોણ છે?કોની પુત્રી છે? શા માટે  ને ક્યાંથી તારું અહીં આવવું થયું છે?તું વનદેવી છે કે અપ્સરા છે? તું અહીં કેમ ઉભી છે? તે તું મને કહે.(1-4)

Apr 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-146

અધ્યાય-૧૫૩-ભીમ અને હિડિમ્બનું યુદ્ધ 

II वैशंपायन उवाच II तां विदित्वा चिरगतां हिडिम्बो राक्षसेश्वरः I अवतीर्य द्रुमात्तस्मादाजगामाशु पाण्डवान II १ II

વૈશંપાયન બોલ્યા-તે હિડિમ્બાને પાછા આવતાં બહુ વાર થઇ,એટલે તે ભયંકર રાક્ષસનાથ હિડિમ્બ,ઝાડ પરથી નીચે ઉતર્યો ને ઝડપથી પાંડવો તરફ ચાલવા લાગ્યો.હિડિમ્બને આવતો જોઈને હિડિમ્બા ગભરાઈ ને ભીમને કહેવા લાગી કે-'આ તે નરભક્ષી દુરાત્મા ક્રોધ કરીને છલાંગ મારતો આવે છે તો તમે ભાઈઓ સાથે,હું કહું તેમ કરો,

હે વીર,હું ઇચ્છામાં આવે તેમ ગગનમાં વિચરી શકું છું,મારામાં રાક્ષસનું બળ છે,તમે તમારા ભાઈઓ ને

માતાને જગાડો,હું તમને સર્વેને,ઉપાડીને આકાશમાર્ગે લઇ જઈશ.(1-6)

Apr 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-145

 
હિડિમ્બ વધ પર્વ 

અધ્યાય-૧૫૨-ભીમ અને હિડિમ્બાનો સંવાદ 

II वैशंपायन उवाच II तत्र तेपु शयानेपु हिडिम्बो नाम राक्षसः I अविदूरे वनात्तस्मा च्छालवृक्षं समाश्रितः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો જ્યાં સૂતા હતા,ત્યાંથી થોડે છેટે સાગના ઝાડ પર હિડિમ્બ નામે,નરમાંસભક્ષી,રાક્ષસ 

રહેતો હતો.તેનો વર્ણ શ્યામ હતો ને તેની આંખો પીળા રંગની હતી,ને આકારે તે મહાભયંકર હતો.તેનું મુખ વિકરાળ હતું,ને ભૂખથી પીડાયેલો તે માંસની આકાંક્ષા કરતો હતો.તેણે એકાએક પાંડુપુત્રોને જોયા.

તેમને વારંવાર જોઈને,પોતાના સૂકા વાળને ધુણાવવા લાગ્યો,ને નરમાંસ મળશે,તેવી આશાથી હર્ષ પામ્યો.

Apr 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-144

અધ્યાય-૧૫૧-હિડિમ્બ વનમાં ભીમ પાણી લાવે છે 

II वैशंपायन उवाच II तेन विक्रममाणेन ऊरुवेगसमीरितं I वनं सवुक्षविटपं व्याधुणिंतमिवाभवत II १ II

વૈશંપાયન બોલ્યા-તે વિક્રમી,ભીમસેને પોતાના સાથળના વેગથી ઘુમીને,તે ઝાડપાલોથી ભરેલા આખા વનને 

જાણે ડોલાવી મૂક્યું.તેની જાંઘના ઝપાટાથી,જાણે જેઠ-અષાડનો પવન વાવા લાગ્યો હોય તેમ લાગતું હતું,

તે મહાબળવાન,આમ,વેલાઓ ને વૃક્ષોને ઢાળીને માર્ગ કરતો આગળ ચાલતો હતો.જાણે,કોઈ મદઝરતા,પરાક્રમી ગજરાજની જેમ,તે વનમાં મહાવૃક્ષીને કચડતો ચાલી રહ્યો હતો.તેમ જણાતું હતું.ગરુડના જેવી અને પવનની ગતિએ જતા એ ભીમના વેગને લીધે.પાંડુપુત્રોને જાણે મૂર્છા આવી ગઈ.(1-5)

Apr 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-143

અધ્યાય-૧૪૯-પાંડવોએ ગંગા પર કરી 

II वैशंपायन उवाच II एतस्मिन्नेव काले तु यथा संप्रत्ययं कविः I विदुरः प्रेषयामास तद्वनं पुरुषं शुचिम् II १ II

વૈશંપાયન બોલ્યા-તે વખતે,કવિ વિદુરે,મોકલેલો વિશ્વાસપાત્ર માણસ ત્યાં વનમાં આવ્યો,ને તેણે,પાંડવોને,માતા સાથે નદીના જળનું માપ કાઢતા જોયા.તેણે પાંડવોને એક નાવ બતાવી,કે જે મન અને પવનની ગતિએ જનાર હતી,સર્વ વાયુઓ (પવન) સામે ટક્કર ઝીલે તેવી હતી,ને યંત્ર તથા ઝંડાથી સજેલી હતી.

અને તે નાવને ખાતરીલાયક વિશ્વાસુ માણસોએ ગંગાતટે જ બનાવી હતી (1-5)

Apr 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-142

અધ્યાય-૧૪૭-લાક્ષાગૃહમાં સુરંગ ખોદાવી 

II वैशंपायन उवाच II विदुरस्य सुह्रत् कश्चित् खनकः कुशलो नरः I विविक्ते पाण्डवात्राजन्निदं वचनमब्रवीत II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,ત્યારે,વિદુરના જાણકાર,એક ખાણિયાએ,પાંડવોને એકાંતમાં કહ્યું કે-

'મને વિદુરે મોકલ્યો છે,હું ખોદકામમાં કુશળ છું,તેમણે મને કહ્યું છે કે-'મારે પાંડવોનું પ્રિય કરવું'

તો તમે કહો કે હું તમારું શું કામ કરું? અંધારિયાની ચૌદશની રાત્રે,પુરોચન તમારા ભવનના દ્વારે અગ્નિ મુકશે,

તમને માતા સાથે બાળી મુકવા-એવી દુર્યોધનની ગોઠવણ છે.હે પાંડવ,વિદુરે તમને મ્લેચ્છ વાણીમાં કંઇક કહ્યું હતું,ત્યારે તમે 'હું સમજી ગયો' એવો જવાબ આપ્યો હતો.આ મારા પર વિશ્વાસ મુકવાના કારણરૂપ છે (1-6)

Apr 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-141

અધ્યાય-૧૪૬-લાક્ષાગૃહમાં યુધિષ્ઠિર અને ભીમનો સંવાદ 

II वैशंपायन उवाच II ततः सर्वा: प्रकृतयो नगराद्वारणावतात I सर्वमंगलसंयुक्ता यथाशास्त्रमतंद्रिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવોને આવેલા સાંભળીને,વારણાવતના લોકો હજારોની સંખ્યામાં,મંગલ પદાર્થો લઈને,તેઓને મળવા આવ્યા.ને તેમને વીંટળાઈને ઉભા.ને નગરવાસીઓએ પાંડવોનો સત્કાર કર્યો,સામે,પાંડવોએ પણ તે નગરજનોને સત્કાર્યા,ને પછી પાંડવોએ વારણાવતમાં પ્રવેશ કર્યો.નગરમાં જઈને તેઓએ,પ્રથમ બ્રાહ્મણો ત્યાં ગયા ને પછી,નગરના અધિકારીઓ,રથીઓ,વૈશ્યો ને શુદ્રોને ઘેર પણ ગયા.ત્યાર બાદ,પુરોચનને આગળ કરીને તેઓ પોતાના ભવનમાં ગયા,પુરોચને તેમને ભોજન,આસન ને શુભ શૈય્યાઓ આપ્યાં.(1-9)

Apr 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-140

 
અધ્યાય-૧૪૫-વારણાવતમાં પાંડવોનું આગમન 

II वैशंपायन उवाच II पाण्डवास्तु रथान युक्त्वा सद्श्वैरनिलोपमैः I आरोहमाणा भीष्मस्य पादौ जगृहुरार्त्तवत् II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,પાંડવોએ રથોને સરસ અને પવનવેગી ઘોડાઓ જોડાવ્યા,ને તેમાં બેસતી વખતે,તેઓ,

ભીષ્મ,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,કૃપ તેમજ વિદુર આદિને દીનતાપૂર્વક પગે લાગ્યા.ને આમ સર્વ કુરુવૃદ્ધોને પ્રણામ કરીને,

સમોવડિયાઓને આલિંગન આપીને,સર્વ માતાઓની પ્રદિક્ષણા કરીને,તેમની આજ્ઞા લઈને,

તે નિયમવ્રતી પાંડવો,માતા સાથે વારણાવત જવા નીકળ્યા.(1-4)

Apr 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-139

અધ્યાય-૧૪૩-પાંડવોનું વારણાગત જવું 


II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज सर्वाः प्रकृतयः शनैः I अर्थमानप्रदानाभ्यां संजहार सहानुजः II १ II

પછી,રાજા દુર્યોધન,પોતાના નાના ભાઈઓ સાથે,સર્વ પ્રજાજનોને ધીરેધીરે ધ્યાનમાં આપીને પોતાને આધીન કરવા લાગ્યો.ધૃતરાષ્ટ્રે ગોઠવેલા,કેટલાક કુશળ મંત્રીઓએ,એવી વાત ચલાવી કે-'રમણીય વારણાવત નગરમાં,પાશુપતિનો

અત્યંત રમણીય એવો ઉત્સવ આવ્યો છે,તે રત્નોથી ભરપૂર દેશમાં,માણસોનો મહામેળો થાય છે'

આવી વાતોથી પાંડુપુત્રોએ ત્યાં જવાનો વિચાર કર્યો,ત્યારે તેમની પાસે જઈને ધૃતરાષ્ટ્રે તેમને કહ્યું કે-(1-6)

Apr 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-138

 
અધ્યાય-૧૪૨-દુર્યોધનની મંત્રણા 

II वैशंपायन उवाच II एवं श्रुत्वा तु पुत्रस्य प्रज्ञाचक्षुर्नराधिपः I कणिकस्य च वाक्यानि तानि श्रुत्वा स सर्वशः II १ II

વૈશંપાયન બોલ્યા-પુત્રનું આવું કહેવું સાંભળીને,પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્ર રાજાએ,કણિકનાં સર્વ વચનો સંભાર્યા.તે દ્વિધામાં

પડ્યો ને શોક કરવા લાગ્યો.પછી,દુર્યોધને,શકુનિ,કર્ણ-આદિ સાથે મંત્રણા કરી ને તે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે-

'તમે કોઈ સારી યુક્તિ કરીને પાંડવોને વારણાવત નગરમાં ખસેડી મુકો,તો પછી તેમનો ભય રહેશે નહિ'

પુત્રનું વચન સાંભળીને ધૃતરાષ્ટ્રે થોડીવાર વિચાર કર્યો ને પછી તે દુર્યોધનને કહેવા લાગ્યો કે-(1-5)