Aug 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-282

 
અધ્યાય-૭૫-ગાંધારીનાં વચન 

II वैशंपायन उवाच II अथाब्रवीन्महाराज धृतराष्ट्रं जनेश्वरम् I पुत्रहार्दाद्धर्मयुक्ता गान्धारी शोककर्शिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પુત્રસ્નેહથી શોક વિહવળ થયેલી ને ધર્મમાં પરાયણ એવી ગાંધારીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-

'દુર્યોધનનો જન્મ થયો હતો ત્યારે વિદુરે કહ્યું હતું કે આ કુલકલંકને પરલોકમાં પહોંચાડી દો તો સારું.જન્મતાં જ તે શિયાળની જેમ ભૂંક્યો હતો.કુરુઓ,આ સમજી લે કે-તે કુળનો ખરેખર ઉચ્છેદક છે.હે ભારત,તમે જાતના દોષ વડે મહાજલમાં ડૂબો નહિ,ને અસભ્ય મૂર્ખ લોકોની વાતને ટેકો આપો નહિ.તમે કુળના નાશના કારણરૂપ ન થાઓ.

Aug 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-281

 
અનુદ્યુત પર્વ 

અધ્યાય-૭૪-યુધિષ્ઠિરને જુગારનું ફરીથી આમંત્રણ 

II जनमेजय उवाच II अनुज्ञातांस्तान् विदित्वां सरत्नधनसंचयान् I पांडवान् धार्तराष्ट्राणां कथ्मासी न्मनस्तदा II १ II

જન્મેજય બોલ્યા-આમ,પાંડવોને રત્ન ને ધન સહિત જવાની આજ્ઞા મળેલી સાંભળીને, 

ધૃતરાષ્ટ્રના પુત્રોના મનમાં કેવું થયું હતું?

વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રે,પાંડવોને ધનસાહિત વિદાય આપી છે તે સાંભળીને દુઃશાસન શીઘ્ર,મંત્રીઓ સાથે બેઠેલા પોતાના ભાઈ દુર્યોધન પાસે ગયો ને દુઃખથી આર્ત થઈને કહેવા લાગ્યો કે-'હે મહારથીઓ,મહાકષ્ટે મેળવેલા ધનને પેલા બુઢ્ઢા બાપે રોળી નાખ્યું છે અને તે સર્વ ધન શત્રુઓને સોંપી દીધું છે' આથી તરત જ,દુર્યોધન,કર્ણ અને શકુનિ,ધૃતરાષ્ટ્ર પાસે પહોંચ્યા અને ત્યાં દુર્યોધન કોમળ વચને,તેમને કહેવા લાગ્યો કે--(6)

Aug 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-280

 
અધ્યાય-૭૩-પાંડવોનું ઇન્દ્રપ્રસ્થ તરફ પ્રયાણ 

II युधिष्ठिर उवाच II राजन किं करवामस्ते प्रशाप्यस्मांस्त्वमिश्वरः I नित्यं हि स्यातुमिच्छामस्तव भारत शासने II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે મહારાજ,અમે તમારું શું કામ કરીએ?તમે અમારા ઈશ્વર છો,

અમે નિત્ય તમારી આજ્ઞામાં રહેવા ઇચ્છીએ છીએ.

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હા અજાતશત્રુ,તારું મંગલ થાઓ.તમે સૌ નિર્વિઘ્ને કલ્યાણપુર્વક જાઓ.ને મારી આજ્ઞાથી ધનસમેત તમારા રાજ્યનું શાસન કરો.મારી વૃદ્ધની એ શિખામણ સ્મરણમાં રાખવી કે,મારુ કહેલું સઘળું હિતકારી ને પરમકલ્યાણમય છે.તું તો ધર્મોની સૂક્ષ્મ ગતિ જાણે છે,તું વિનીત છે,ને વૃદ્ધોનો ઉપાસક છે.હે ભારત,જ્યાં બુદ્ધિ છે ત્યાં શાંતિ છે,તમે શાંત થઈને જાઓ.તે જ ઉત્તમ પુરુષો છે કે જેઓ વેરને ઓળખતા નથી.જેઓ માત્ર ગુણોને જ જુએ છે,અવગુણો સામે નજર નાખતા નથી અને કોઈની સાથે વિરોધ કરતા નથી.(6)

Aug 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-279

 
અધ્યાય-૭૨-ભીમસેનનો ક્રોધ 

II कर्ण उवाच II या न श्रुता मनुप्येषु स्त्रियो रूपेण संमता: I तासामेताद्रशं कर्म न कस्याश्चन शुश्रुम II १ II

કર્ણ બોલ્યો-આપણે મનુષ્યોમાં જે સ્વરૂપવતી સ્ત્રી વિશે સાંભળ્યું છે,તેમાં કોઈ પણ સ્ત્રીનું આ દ્રૌપદી જેવું કર્મ સાંભળવામાં આવ્યું નથી.જયારે પૃથાપુત્રો પર ધૃતરાષ્ટ્રપુત્રો અત્યંત ક્રોધયુક્ત થયા,ત્યારે દ્રુપદપુત્રી કૃષ્ણા અહીં,પાંડુપુત્રો માટે શાંતિરૂપ થઇ,જળમાં પડી ડૂબકાં ખાઈ રહેલા પાંડવો માટે પર લઇ જનાર નૌકારૂપ થઇ છે.

Aug 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-278

 
અધ્યાય-૭૧-દ્રૌપદીને વરદાન 

II कर्ण उवाच II त्रयः किलेमे ह्यधना भवन्ति दासांपुत्रश्चास्वतंत्रा च नारी I 

दासस्य पत्नी त्वधनस्य भद्रे हीनेश्वरा दासधनं च सर्वम् II १ II

કર્ણ બોલ્યો-દાસ,પુત્ર ને પરાધીન સ્ત્રી,એ ત્રણ નિર્ધન જ ગણાય છે.આથી હે ભદ્રા,નિર્ધન એવા દાસની,

હીન પતિવાળી સ્ત્રી અને દાસનું ધન એ બધું દાસના સ્વામીનું જ છે એવો નિયમ છે,તો તું અંદર જઈ રાજપરિવારની સેવા કર.એવો અહીં આદેશ આપવામાં આવે છે.હવેથી સર્વ ધૃતરાષ્ટ્રપુત્રો જ તારા સ્વામીઓ ગણાશે.નહિ કે પૃથાપુત્રો ! હે ભામિની,તું જો તત્કાલ બીજા પતિને વરી લે તો જુગટા વડે આવેલું દાસીપણું તને આવશે નહિ.સૌ પાંડવો હાર્યા છે

ને તું પણ પરાજય પામી છે,માટે તે હારેલા પાંડવો તારા પતિ રહ્યા નથી.

દ્રુપદની પુત્રીને સભાની વચ્ચે દાવમાં મુકી રમનાર યુધિષ્ઠિર પોતાનું આ પરાક્રમ કેમ ન માને? માને જ.(5)

Aug 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-277

અધ્યાય-૭૦-ભીમસેનનાં વચન 

II वैशंपायन उवाच II तथा तु दष्ट्वा वहु तत्र देवीं रोरुपमाणां कुररीभिवार्तांम् I 

नोचुर्वचः साध्वथाप्यसाधुमहीक्षिता धार्तराष्ट्रस्य भीताः  II १ II

વૈશંપાયન બોલ્યા-આમ,ત્યાં,કુરરી પક્ષીની જેમ અત્યન્ત કલ્પાંત કરી રહેલી દેવી,દ્રૌપદીને જોવા છતાં,ધૃતરાષ્ટ્ર પુત્રોથી ભય પામેલા મહીપાલો,સારું કે નરસું કશું જ બોલ્યા નહિ,ને પાંડવોને પણ ચૂપ રહેલા જોઈને દુર્યોધન હસતાં હસતાં દ્રૌપદીને કહેવા લાગ્યો કે-હે યાજ્ઞસેની,તારો આ પ્રશ્ન,હવે ભીમ,અર્જુન,સહદેવ ને નકુલ જ આપી શકશે.તેઓ અહીં સભામાં સાફ કહી દે કે-યુધિષ્ઠિર તારો પતિ નથી અને તેઓ યુધિષ્ઠિરને જુઠા ઠરાવે,તો તું કદાચ દાસીપણામાંથી છૂટી શકે.અથવા યુધિષ્ઠિર પોતે જ આનો જવાબ આપે કે તે તને હોડમાં મુકવાને સમર્થ હતા કે અસમર્થ?એમના વચન પ્રમાણે તું તે વાત સ્વીકારી લે.અરે,આ સર્વ કૌરવો આ સભામાં તારા જ દુઃખમાં પડ્યા છે,

ને તારા અલ્પભાગી પતિઓને જોઈને એ મહાબળવાન રાજાઓ કશું યથાવત બોલતા નથી (6)

Aug 21, 2023

Ramayan Saar-Gujarati-70 Pages-રામાયણ સાર

 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-276

અધ્યાય-૬૯-ભીષ્મનાં વચન 

II द्रौपदी उवाच II पुरस्तात करणीयं मे न कृतं कार्यमुत्तमम् I विहवलास्मि कृतानेन कर्पता वलिना वलात II १ II

દ્રૌપદી બોલી-હે નીચ,દુર્બુધ્ધિ દુઃશાસન,થોભી જા,મેં હજુ પ્રથમ જ કરવા જેવું ઉત્તમ કાર્ય કર્યું નથી,હે કુરુશ્રેષ્ઠો,

આ બળિયો,મને બળપૂર્વક ખેંચી રહ્યો હતો એટલે હું વિહવળ થઇ ગઈ છું,તેથી મારે જે તમને પ્રણામ કરવાં હતા 

તે હું કરી શકી નથી,તે તેમાં મારો અપરાધ નથી,તમને મારા પ્રણામ હો' આમ છતાં પણ,દુઃશાસને તે દ્રૌપદીને જોરપૂર્વક ઢંઢોળી નાખી,એટલે તે દુઃખ વડે જમીન પર ગબડી પડીને વિલાપ કરવા લાગી.(4)

Aug 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-275

અધ્યાય-૬૮-દ્રૌપદીવસ્ત્રાહરણ 

II भीमउवाच II भवंति गेहे र्वधक्यः कितवानां युधिष्ठिर I न तामिरुत दीव्यन्ति दया चैवास्ति तास्वपि II १ II

ભીમ બોલ્યો-હે યુધિષ્ઠિર,જુગારીઓને ઘેર દાસીઓ તો હોય છે,પણ તેમને તેઓ દાવમાં મૂકીને ખેલતા નથી,

અને તે દાસીઓ પ્રત્યે તેમને દયા તો હોય જ છે.કાશીરાજ ને બીજા રાજાઓએ જે ઉત્તમ ભેટો,ધન,રત્નો,

વાહનો,કવચો,આયુધો આદિને, વળી,અમને અને તમે પોતાને પણ જુગારમાં હારી ગયા,તે માટે મને ગુસ્સો થયો નથી,કેમકે તમે અમ સર્વના સ્વામી છો,પણ,તમે જ્યારે દ્રૌપદીને હોડમાં મૂકી,ત્યારે હું માનું છું કે તમે મર્યાદા મૂકી છે.કેમ કે આ દ્રૌપદી તેને યોગ્ય તો નથી જ.પાંડવોને પતિ તરીકે પામીને,એ માત્ર તમારા જ કારણે,આ નીચ,ઘાતકી અને દુષ્ટ વિચારવાળા કૌરવોથી અત્યારે ક્લેશ પામી રહી છે,ને તેની આ દશા થઇ ગઈ છે.અને તે જ કારણે મારે આ કોપ તમારા પર કરવો પડે છે,તમારા બેઉ હાથોને હું બાળી મુકવા માગું છું,હે સહદેવ અગ્નિ લઇ આવ.(6)

Aug 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-274

અધ્યાય-૬૭-સભા વચ્ચે દ્રૌપદી 

II वैशंपायन उवाच II धिगस्तु क्षत्तारमिति ब्रुवाणो दर्पेण मत्तो धृतराष्ट्र पुत्र I 

अवैक्षत प्रतिकामीं सभाया मुवाच चैनं परमार्यमध्ये II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,મદથી છકી ગયેલા,ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને,વિદુરને 'ધિક્કાર હો' એમ કહ્યું અને સભામાં બેઠેલા પ્રાતિકામી નામે સારથી સામે જોઈને,તે આર્યોની સભાની મધ્યમાં તેને કહેવા લાગ્યો કે-

'હે પ્રાતિકામી,તું દ્રૌપદીને અહીં લઇ આવ,તને પાંડવોનો ભય નથી,આ દાસીપુત્ર ડરી ગયો છે,

એટલે અવળી વાતો બોલે છે,કેમ કે તે અમારી ચડતી થાય એમ કદી ઈચ્છતો નથી' (2)

Aug 18, 2023

Gita-Saar-Gujarati-ગીતાસાર-ગુજરાતી

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-273

 
અધ્યાય-૬૬-વિદુરનાં હિતવચન 

II दुर्योधन उवाच II ए हि क्षत्तद्रौपदीमानयस्य प्रियां भार्या संमतां पाण्डवानां I 

समार्जतां वेश्म परैतु शीघ्रं तत्रास्तु दासीर्भिर पुण्यशीला II १ II

દુર્યોધન બોલ્યો-એ વિદુર,અહીં આવો.તે પાંડવોની પ્રિય અને માનીતી પત્ની દ્રૌપદીને 

અહીં લઇ આવો.તિરસ્કારથી આણેલી તે દ્રૌપદી,ઝટ અમારા ઘરમાં દાસી તરીકે વાસીદું કરે 

ને એ પાપિણી,જ્યાં દાસીઓ રહે છે ત્યાં એમની સાથે ભલે રહે.

Aug 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-272

 
અધ્યાય-૬૫-યુધિષ્ઠિર દ્રૌપદી હાર્યા 

II शकुनिरुवाच II बहु वित्तं पराजैपिः पांडवानां युधिष्ठिर I आचक्ष्व वित्तं कौन्तेय यदि तेSस्तस्यपराजितम् II १ II

શકુનિ બોલ્યો-હે યુધિષ્ઠિર,તમે પાંડવોનું ઘણું ધન હારી ચુક્યા છો,

જો હજુ તમારી પાસે ન હાર્યું એવું કોઈ ધન હોય તો બોલો.

યુધિષ્ઠિર બોલ્યા-હે સુબલપુત્ર,મારી પાસે જે અસંખ્ય ધન છે તે હું જાણું છું,તું મને ધન વિષે શા માટે પૂછે છે?

ચાલ હવે,દશલાખ શંકુ,પદ્મ,અર્બુદ,ખર્વ,શંખ,નિખર્વ,મહાપદ્મ,કોટિઓ,મધ્ય ને પરાર્ધ-આદિ ધનનો દાવ નાખ.

આ સાંભળીને છળનો આશ્રય કરનારા શકુનિએ પાસા નાખ્યા ને બોલ્યો-'એ બધું મેં જીતી લીધું' (5)

Aug 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-271

અધ્યાય-૬૪-દુર્યોધનનાં દુર્વાકયો ને વિદુરનો હિતોપદેશ 

II दुर्योधन उवाच II परेपामैव यशसाश्लाघसे त्वं सदा क्षतः कुत्सयनधार्ताराष्ट्रान I 

जानीमहे विदुर यत्प्रियस्तवं वालानिवास्मानवमन्यसे नित्यमव II १ II

દુર્યોધન બોલ્યો-હે વિદુર,તમે દાસીપુત્ર,અમારા શત્રુઓનાં સદા કીર્તિગાન કરો છો ને અમારી નિંદા કરો છો.

અમે જાણીએ છીએ કે તમને કોણ વહાલા છે? એટલે અમે મૂરખા હોઈએ તેમ તમે અમને અવગણો છો.

અમારો પરાજય ઈચ્છો છો.તમને અમારા પ્રત્યે જે દ્વેષ છે તેના કરતાં વિશેષ,તમે વાણીથી જાહેર કરો નહિ.

જાણે અમે સાપને (તમને)ખોળામાં રાખ્યા છે,વળી,બિલાડાની જેમ તમે પોષણ કરનારને જ હણો  છો.

Aug 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-270

 
અધ્યાય-૬૩-વિદુરનાં હિતવચન (ચાલુ)

II विदुर उवाच II 

ध्युतं मूलं कलहस्याम्युपैति मिथोभेदं महते दारुणाय I तथा स्थितोय् धृतराष्ट्रस्य पुत्रो दुर्योधनः सृजते वैरमृगम्  II १ II

વિદુર બોલ્યા-જૂગટું કજિયાનું મૂળ છે,તે પરસ્પરમાં ભેદ પડાવે છે,ને આ ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનનું આ કૃત્ય,

મહાદારુણ ભય લાવશે ને ઉગ્ર વેર ઉભું કરશે.પ્રતીપવંશી શાંતનુ વંશજો ને બાહલીક રાજસમૂહો,એ સર્વ 

આ દુર્યોધનના અપરાધથી ક્લેશમાં પડશે.જેમ,બળદ મદમાં ગાંડો થઈને પોતાનાં જ શિંગડાંને ભરાવીને 

પોતે ઉખેડે છે,તેમ,આ દુર્યોધન મદે ભરાઈને રાષ્ટ્રમાંથી સુખમંગલનો નાશ કરશે.હે રાજન,જે વીર 

અને વિદ્વાન હોવા છતાં,પોતાની બુદ્ધિને અવગણે છે,ને બીજાની ઈચ્છાને અનુસરે છે,તે સમુદ્રમાં 

નાદાન સુકાનીવાળી હોડીમાં બેસનારા પુરુષની જેમ સંકટમાં આવી પડે છે (4)