II वैशंपायन उवाच II अथाब्रवीन्महाराज धृतराष्ट्रं जनेश्वरम् I पुत्रहार्दाद्धर्मयुक्ता गान्धारी शोककर्शिता II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પુત્રસ્નેહથી શોક વિહવળ થયેલી ને ધર્મમાં પરાયણ એવી ગાંધારીએ,ધૃતરાષ્ટ્રને કહ્યું કે-
'દુર્યોધનનો જન્મ થયો હતો ત્યારે વિદુરે કહ્યું હતું કે આ કુલકલંકને પરલોકમાં પહોંચાડી દો તો સારું.જન્મતાં જ તે શિયાળની જેમ ભૂંક્યો હતો.કુરુઓ,આ સમજી લે કે-તે કુળનો ખરેખર ઉચ્છેદક છે.હે ભારત,તમે જાતના દોષ વડે મહાજલમાં ડૂબો નહિ,ને અસભ્ય મૂર્ખ લોકોની વાતને ટેકો આપો નહિ.તમે કુળના નાશના કારણરૂપ ન થાઓ.