Sep 8, 2023
Dongreji Ramyan Katha-09-ડોંગરેજી રામાયણ કથા-09
Sep 3, 2023
Dongreji Ramyan Katha-08-ડોંગરેજી રામાયણ કથા-08
Sep 2, 2023
Dongreji Ramyan Katha-07-ડોંગરેજી રામાયણ કથા-07
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-288-Mahabharat-Book-Part-1-End
II वैशंपायन उवाच II वनं गतेषु पार्थेषु निजितेपु दुरोदरे I धृतराष्ट्रं महाराज तदाचिन्ता समाविशत् II १ II
વૈશંપાયન બોલ્યા-દ્યુતમાં હારીને જયારે પૃથાપુત્રો વનમાં ગયા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતાએ ઘેરી લીધો.વિચારમાં
બેસી રહેલા,નિસાસા નાખતા અને વ્યગ્ર થયેલા તે રાજાને સંજયે કહ્યું કે-હે રાજન,તમે ધનથી ભરેલી
વસુંધરાને પામ્યા છો,ને પાંડવોને રાજ્યબહાર કાઢયા છે,છતાં પણ તમે શાનો શોક કરો છો?
ધૃતરાષ્ટ્ર બોલ્યો-જેમને યુદ્ધવિશારદ,બળવાન અને મહારથી એવા પાંડવો સાથે વેર ઉભું થવાનું છે
તેમને શોક ન કરવા જેવું ક્યાંથી હોય? (એટલે કે મને ભવિષ્યનો ડર લાગે છે) (4)
Sep 1, 2023
Dongreji Ramyan Katha-06-ડોંગરેજી રામાયણ કથા-06
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-287
II वैशंपायन उवाच II तमागतमथोराजा विदुरं दीर्घदर्शनम् I साशंक इव पप्रच्छ धृतराष्ट्रोSम्बिकासुत II १ II
વૈશંપાયન બોલ્યા-હવે,આવી પહોંચેલા,તે દીર્ઘદર્શી વિદુરેને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રે શંકાશીલ થઇ પૂછ્યું કે-
'હે વિદુર,પાંચે પાંડવ ભાઈઓ,દ્રૌપદી ને ધૌમ્ય ઋષિ,એ બધાં કેવી રીતે વનમાં જઈ રહ્યાં છે?
તે હું સાંભળવા ઈચ્છું છું,તમે તેમની તમામ ચેષ્ટાઓ મને કહો.(3)
વિદુર બોલ્યા-યુધિષ્ઠિર,વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકીને જાય છે,ભીમ વારંવાર પોતાના બે વિશાળ હાથોને જોતો જોતો જાય છે,અર્જુન પગથી રેતી ઉડાવતો ઉડાવતો યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,સહદેવ મુખને લપેટા
લગાવીને ચાલે છે ને નકુલ સર્વાંગે ધૂળ ચોળીને વિહ્વળ ચિત્તે યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,કૃષ્ણા,પોતાના
મુખને વાળોથી ઢાંકીને રોતી રોતી રાજાની પાછળ ચાલે છે.ને ધૌમ્ય મુનિ હાથમાં દર્ભ લઈને
યમદેવતાના ભયંકર સામમંત્રો ગાતા ગાતા માર્ગ પર ચાલ્યા જાય છે (8)
Aug 31, 2023
Dongreji Ramyan Katha-05-ડોંગરેજી રામાયણ કથા-05
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-286
અધ્યાય-૭૯-કુંતીનો વિલાપ
II वैशंपायन उवाच II तस्मिन् संप्रस्थिते कृष्णा पृथां प्राप्य यशस्विनीं I अप्रच्छदमृशदुखार्ता यास्चान्यास्तत्रयोपितः II १ II
વૈશંપાયન બોલ્યા-યુધિષ્ટિરે ત્યાંથી ચાલવા માંડ્યું,એટલે કૃષ્ણા,યશસ્વિની કુંતી પાસે ગઈ.અત્યંત દુખાર્ત થયેલી તેણે,પોતાની સાસુની અને બીજી સ્ત્રીઓને યથાયોગ્ય વંદન કરી રજા માગી.દ્રૌપદીને જતી જોઈ કુંતી અત્યંત સંતાપ પામી અને શૉકથી વિહવળ થયેલી વાણીમાં બોલી-'હે દ્રૌપદી,આ મહાસંકટમાં આવ્યાથી તારે શોક કરવો નહિ.તું સ્ત્રીઓના ધર્મને જાણે છે,તું શીલ અને આચારવાળી છે.તારા સ્વામીઓ સંબંધમાં હું તને શો ઉપદેશ આપી શકું? તું ગુણવતી છે ને પિયર અને સાસરું-એ બંને કુળોને તે શોભાવ્યા છે.આ કુરુઓનું ભાગ્ય છે કે તેં એમને બાળી મુક્યા નથી.તારો માર્ગ નિર્વિઘ્ન હો,તું મારો માતાનો વાત્સ્લય ગુણ ધરીને વનમાં જા.(6)
Aug 30, 2023
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-285
અધ્યાય-૭૮-પાંડવોનું વનપ્રસ્થાન
II युधिष्ठिर उवाच II आमन्त्रयामि भरतांस्तथा वृध्धं पितामहम् I राजानं सोमदत्तं च महाराजं च बाल्ह्कम II १ II
યુધિષ્ઠિર બોલ્યા-ભરતવંશીઓને,વૃદ્ધ પિતામહને,સોમદત્તને,બાહલીકને,દ્રોણાચાર્યને,કૃપાચાર્યને,વિદુરને,સર્વ ધૃતરાષ્ટ્ર પુત્રોને,યુયુત્સુને,સંજયને અને અન્ય સર્વ સભાસદોને હું પ્રણામ કરું છું ને સર્વની રાજા લઈને હું જાઉં છું,
હવે,પાછો આવીને જ હું તમારાં સર્વનાં દર્શન પામીશ' સર્વ સભાસદો શરમને લીધે કશું બોલ્યા નહિ,
માત્ર મનથી જ નીચી નજરે તેમણે યુધિષ્ઠિરનું કલ્યાણ ચિંતવ્યું.(4)
Dongreji Ramyan Katha-04-ડોંગરેજી રામાયણ કથા-04
Aug 29, 2023
Dongreji Ramyan Katha-03-ડોંગરેજી રામાયણ કથા-03
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-284
અધ્યાય-૭૭-પાંડવોએ પ્રતિજ્ઞા લીધી
II वैशंपायन उवाच II ततः पराजिताः पार्था वनवासाय दीक्षिताः I अजिनान्युत्तरियाणि जगहुश्च यथाक्रमम् II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી,જુગારમાં હારેલા પૃથાપુત્રોએ વનવાસની દીક્ષા લીધી ને કાળાં મૃગચર્મો ને ઉત્તરીયો ધારણ કરવા લાગ્યા.તેમને જોઈએને દુઃશાસન કહેવા લાગ્યો કે-હવે દુર્યોધનનું શાસન ચક્ર પ્રવર્ત્યું છે,
પાણ્ડવો મહાવિપત્તિને પામ્યા છે.આજે સર્વ દેવો અમારી તરફ પધાર્યા છે,ને દૈવ અમને અનુકૂળ થયું છે.કેમ કે વયમાં ને ગુણમાં શ્રેષ્ઠ એવા શત્રુઓ કરતાં અમે ચડિયાતા થયા છીએ.પાંડવો હવે વર્ષો સુધી વિનાશ પામ્યા છે.
જે પાંડવો ધ્યાનમાં છકી જઈને કૌરવોની હાંસી કરતા હતા તે હવે હાર પામી ને ધાનને ખોઈને વનમાં જાય છે.
Aug 28, 2023
Dongreji Ramyan Katha-02-ડોંગરેજી રામાયણ કથા-02
Dongreji Ramyan Katha-01-ડોંગરેજી રામાયણ કથા-01
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-283
II वैशंपायन उवाच II ततो वयध्वगतं पार्थप्रातिकामी युधिष्ठिरम् I उवाच वचनाद्राज्ञो धृतराष्ट्रस्य धीमतः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઘણે દૂર સુધી પહોંચી ગયેલ,પાર્થના પુત્ર યુધિષ્ઠિરની પાસે પ્રાતિકામી જઈ
પહોંચ્યો ને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી કહેવા લાગ્યો-'હે યુધિષ્ઠિરરાજ,પિતા ધૃતરાષ્ટ્રે કહેવડાવ્યું છે કે-
સભા પાથરીને તૌયાર કરી છે,તમે અહીં આવી ને પાસા નાખી ફરીથી દ્યુત રમો' (2)