Jan 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-400

 

અધ્યાય-૧૦૬-સગરની સંતતિનું કથન 


II लोमश उवाच II तानुवाच समेतांस्तु ब्रह्मा लोकपितामहः I गच्छध्वं विवुधा सर्वे यथाकामं यथेप्सितम् II १ II

લોમશ બોલ્યા-લોકના પિતામહ બ્રહ્માએ એકઠા થયેલા દેવોને કહ્યું કે-'હે દેવો,તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા સ્થાને જાઓ.લાંબા કાળયોગે અને જાતિને નિમિત્તરૂપ કરીને મહારાજા ભગીરથથી એ સમુદ્ર પોતાની અસલ સ્થિતિને પામશે' બ્રહ્માનાં વચન સાંભળી,સર્વ દેવો સમયની રાહ જોતા જોતા પોતાના સ્થાને પાછા ફર્યા.(3)

Jan 18, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-399

 

અધ્યાય-૧૦૫-અગસ્ત્યે સમુદ્રપાન કર્યું 


II लोमश उवाच II समुद्रं स समासाद्य वारुणिर्भगवान नृपिः I उवाच सहितान्देवानृपाश्रैव समामतान् II १ II

લોમશ બોલ્યા-'સમુદ્ર પર આવીને તે વારુણિ ઋષિએ ત્યાં એકઠા થયેલા દેવો ને ઋષિઓને કહ્યું કે-

'લોકહિતાર્થે આ જલનિધિનું હું પાન કરું છું તેથી (પછી) તમારે જે કરવા યોગ્ય હોય તે તરત જ કરો' આમ કહીને અગસ્ત્યે સૌ લોકોના દેખાતા સમુદ્રને પીવા માંડ્યો.તે જોઈને દેવો આશ્ચર્ય પામ્યા ને તેમને સ્તુતિઓથી પૂજવા લાગ્યા 'હે લોકપાલક,તમે અમારા રક્ષણ કરનાર છો અને તમારી કૃપાથી જ દેવો સાથેનું આ જગત ઉચ્છેદ પામતું નથી'

ત્યારે દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને અગસ્ત્યે તે મહાસાગરને જળ વિનાનો કર્યો.(6)

Jan 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-398

 

અધ્યાય-૧૦૪-વિંધ્યને અગસ્ત્યે વધતો રોક્યો 


II युधिष्ठिर उवाच II किमर्थ सहसा विन्ध्यः प्रपुद्वः क्रोधमुर्छित: I एतदिच्छाम्यहं श्रोतुं विस्तरेण महामुने II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે મુનિ,શા માટે વિંધ્યાચલ પર્વત ક્રોધી બનીને એકદમ વધી રહ્યો હતો? તે સાંભળવા ઈચ્છું છું'

લોમશ બોલ્યા-'સૂર્ય,ઉદય ને અસ્ત સમયે પર્વતોના રાજા એવા સુવર્ણમય મેરુપર્વતની પ્રદિક્ષણા કરતા હતા,એ જોઈને વિંધ્યાચલે સૂર્યને કહ્યું કે-'હે ભાસ્કર,તમે જેમ મેરુની પ્રદિક્ષણા કરો છો તેમ મારી પણ પ્રદિક્ષણા કરો'

સૂર્યે જવાબ આપ્યો કે-'હું કોઈ મારી ઈચ્છાથી એ મહાગિરીની પ્રદિક્ષણા કરતો નથી,જેમણે આ જગત બનાવ્યું છે તેમણે જ મને આ માર્ગ બતાવ્યો છે' સૂર્યના જવાબથી વિંધ્યને ક્રોધ ચઢી આવ્યો અને એકદમ વધીને સૂર્યનો માર્ગ રોકવાની ઈચ્છા કરવા લાગ્યો.ત્યારે સર્વ દેવો એકઠા થઈને વિંધ્ય પાસે ગયા,પણ તેણે તેમનું વચન ગણકાર્યું નહિ.

એટલે દેવો અગસ્ત્ય પાસે ગયા ને બોલ્યા કે-'હે દ્વિજોત્તમ,વિંધ્ય ક્રોધને વશ થઈને સૂર્યની ગતિ રોકવા ઈચ્છે છે,

તેને અટકાવવા તમારા સિવાય કોઈ સમર્થ નથી તો હે મહાભાગ,તમે એને રોકો'

Jan 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-397

 

અધ્યાય-૧૦૩-અગસ્ત્યનું માહાત્મ્ય 


II देवा उचु II तव प्रसादाद्वयते प्रजाः सर्वाश्चतुर्विधाः I त भविता भावयन्ति हव्यकव्यैर्दिवोकस II १ II

દેવો બોલ્યા-'તમારી કૃપાથી ચારે પ્રકારની સર્વ પ્રજાઓ વધે છે.વૃદ્ધિ પામેલી તે પ્રજાઓ હવ્યો ને દ્રવ્યોથી દેવોની

વૃદ્ધિ કરે છે.આમ તમારી કૃપાથી જ રક્ષાયેલા લોકો એકબીજાને આશરે રહીને વૃદ્ધિ પામે છે.પણ અત્યારે લોકોને

ભારે ભય આવી પડ્યો છે.અમારાથી સમજાતું નથી કે આ બ્રાહ્મણોને રાતે કોણ મારી નાખે છે?

બ્રાહ્મણોનો નાશ થતાં પૃથ્વી લય પામશે,ને પૃથ્વી ક્ષીણ થતાં સ્વર્ગ પણ લય પામશે.માટે 

હે મહાબાહુ,હે જગત્પતિ,તમે સર્વ લોકોનું રક્ષણ કરો,તમારી કૃપાથી જ તેઓ વિનાશ પામશે નહિ (5)

Jan 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-396

 

અધ્યાય-૧૦૨-કાલેય દૈત્યોનાં કાળાં કર્મ-તથા વિષ્ણુની સ્તુતિ 


II लोमश उवाच II समुद्रं ते समाश्रित्य वरुणं निधिर्ममस: I कालेयाः संप्रवर्तते त्रैलोक्यस्य विनाशने II १ II

લોમશ બોલ્યા-'જલનિધિ સાગરમાં ભરાઈને તે કાલેયો ત્રણે લોકનો વિનાશ કરવા લાગ્યા.અત્યંત કોપેલ તે દૈત્યો આશ્રમો ને પુણ્યધામોમાં જે જે મુનિઓ હતા તેમને રાતે ખાઈ જતા હતા.વસિષ્ઠના આશ્રમના એકસો સત્તાણું,ચ્યવનના આશ્રમના સો ને ભરદ્વાજ આદિના આશ્રમમાંથી અનેક બ્રાહ્મણોને તેઓ ખાઈ ગયા હતા.

આ રીતે પોતાના બાહુબળથી મસ્ત થયેલા તે કાલેય દાનવો રાત્રે સર્વ આશ્રમવાસીઓને દુઃખ દેતા ને અનેક બ્રાહ્મણોને મારી નાખતા હતા.તે દૈત્યોને કોઈ માનવી ઓળખી શકતો નહોતો.કેમકે સવાર થતા સુધી તો તેઓ સમુદ્રમાં જઈ સંતાઈ જતા હતા.કાલેયોના ભયથી પીડાયેલા આ જગતમાં વેદાધ્યયન ન રહ્યું,વષટ્કાર ન રહ્યો,યજ્ઞોત્સવની ક્રિયા ના રહી ને ઉત્સાહ પણ ન રહ્યો.ભયભીત થઈને માનવો જુદીજુદી દિશાઓમાં દોડીને 

સંતાવા લાગ્યા.કેટલાક ધનુર્ધારીઓએ તે દૈત્યોને ખોળવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ થાકીને તેઓ પાછા વળ્યા.

Jan 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-395

 

અધ્યાય-૧૦૧-વૃત્રવધ 


II लोमश उवाच II ततः स वज्रौ बलिभिर्दैवतैरभिरक्षिता: I आससाद ततो वृत्रं स्थितमावृत्य रोदसी II १ II

લોમશ બોલ્યા-'પછી બળવાન દેવોથી ચોતરફ રક્ષાયેલો ઇન્દ્ર,ત્યાં પૃથ્વી ને આકાશને ઘેરી ઉભેલા વૃત્ર પાસે આવ્યો.તે વખતે તે વૃત્ર મહાભયંકર કાલકેયોથી ચારે તરફથી સુરક્ષિત હતો.પછી બે ઘડી સુધી દેવો ને દાનવો વચ્ચે મહાયુદ્ધ થયું.પરિઘ નામના હથિયારો લઈને અને સુવર્ણનાં કવચ સજીને કાલેયો,દેવો પર ધસવા લાગ્યા.

અભિમાનપૂર્વક દોડી રહેલા તે વેગવાનોના વેગને દેવો જીરવી શક્યા નહિ અને ભયભીત થઇ નાસવા લાગ્યા.

એ જોઈને ઇન્દ્ર ભયભીત થયી ગયો ને તરત જ  નારાયણ પ્રભુને શરણે ગયો (7)

Jan 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-394

 

અધ્યાય-૧૦૦-વજ્ર નિર્માણ 


II युधिष्ठिर उवाच II भूय एवादमिच्छामि महर्षेस्तस्य धीमतः I कर्मणां विस्तरं श्रोतुमगस्तस्य द्विजोत्तम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે દ્વિજોત્તમ,તે અગસ્ત્ય મહર્ષિનાં કર્મોના વિસ્તારને હું ફરીથી સાંભળવા ઈચ્છું છું.

લોમશ બોલ્યા-'હાઈ મહારાજ,અમાપ તેજસ્વી અગસ્ત્યનો પ્રભાવ અને તેમની દિવ્ય,અદભુત ને અમાનુષી કથા તમે સાંભળો.સત્યયુગમાં ભયંકર,દુષ્ટ મદવાળા ને અત્યંત દારુણ કર્મ કરનારા કાલકેય નામે પ્રસિદ્ધ દાનવો હતા.

વિવિધ આયુધોથી સજ્જ થયેલા તેઓ વૃત્રનો આશ્રય લઈને ઇન્દ્ર આદિ દેવો પર ચારે બાજુથી ધસતા હતા.(4)

Jan 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-393

 

અધ્યાય-૯૯-પરશુરામના તેજની હાનિ 


II लोमश उवाच II इल्वलस्तान्विदित्वा तु महर्षिसहितानृपान I उपस्थितान्सहामात्यो विपयांते हृपूजयत II १ II

લોમશ બોલ્યા-મહર્ષિ સાથે રાજાઓને આવેલા જાણીને ઇલ્વલ,પોતાના અમાત્ય સાથે દેશની સીમા ગયો ને 

મહેલમાં લાવી તેમની પૂજા કરી,પોતાના ભાઈ વાતાપિના બકરા સ્વરૂપને કાપી,રાંધીને તે વડે તેમનું આતિથ્ય કર્યું.

બકરારૂપ વાતાપિને રંધાયેલો જોઈને રાજર્ષિઓ ખિન્ન થયા ત્યારે અગસ્ત્યે સર્વને કહ્યું કે-'ખેદ ન કરો,તે અસુરને હું આખો ને આખો ખાઈ જઈશ' એમ કહી તે વાતાપિને ખાઈ ગયા.તે જમી રહ્યા એટલે ઇલ્વલ અસુરે વાતાપિને 

બૂમ મારી,ત્યારે,તે મહાત્માના શરીરમાંથી મેઘની જેમ ગર્જતો અપાનવાયુ છૂટ્યો.(7)

Jan 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-392

 

અધ્યાય-૯૮-અગસ્ત્યનું ધન મેળવવા જવું 


II लोमश उवाच II ततो जगाम कौरव्य सोSगस्त्यो मिक्षितुं वसु I श्रुतर्वाण महीपालं वेदभ्यधिकं नृपैः II १ II

લોમશ બોલ્યા-હે કૌરવ્ય,તે પછી,અગસ્ત્ય,પોતે જે રાજાને અધિક જાણતા હતા તેવા શ્રુતર્વા રાજા પાસે ધનની યાચના કરવા ગયા.અગસ્ત્યને આવેલા જોઈને,તે રાજા દેશની સીમા સુધી સામો ગયો અને તેમને સત્કારપૂર્વક તેડી લાવી,તેમનું યથાશાસ્ત્ર પૂજન કર્યા પછી,બે હાથ જોડી સ્વસ્થ થઈને તેમને આવવાનું પ્રયોજન પૂછ્યું.

અગત્સ્ય બોલ્યા-'હું ધનને અર્થે અહીં આવ્યો છું,બીજાને પીડા આપ્યા વિના તું મને યથાશક્તિ ધન આપ'

Jan 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-391

અધ્યાય-૯૭-લોપામુદ્રાનાં લગ્ન 


II लोमश उवाच II यदा त्वमन्यतामस्त्यो गार्हस्त्ये तां क्षमामिति I तदाSभिगम्य प्रोवाच वैदर्भ् प्रुथिवीपतिं II १ II

લોમશ બોલ્યા-'અગસ્ત્યને જયારે તે લોપામુદ્રા ગૃહસ્થાશ્રમને યોગ્ય થયેલી જણાઈ,ત્યારે તે વિદર્ભરાજ પાસે જઈને બોલ્યા કે-'પુત્રોત્પાદન અર્થે મને લગ્ન કરવાની ઈચ્છા થઇ છે હું તમારી લોપામુદ્રાનું માગું કરું છું તમે મને તે આપો'

મુનિએ આમ કહ્યું ત્યારે રાજા બેભાન થઇ ગયો કેમ કે તે તેમને ના કહેવાને સમર્થ નહોતો,અને કન્યા આપવાની તેની ઈચ્છા નહોતી.પછી તે તેની પત્ની પાસે જઈને બોલ્યો કે-'આ ઋષિ સમર્થ છે ને તે જો ક્રોધ પામશે તો આપણને શાપાગ્નિથી બાળી મુકશે' માતપિતાને દુઃખી થયેલા જોઈને લોપામુદ્રાએ તેમને કહ્યું કે-'મારે માટે તમારે પીડા પામવાની જરૂર નથી તમે મને અગસ્ત્યને આપો ને મારા દાનથી તમારું રક્ષણ કરો (6)

Jan 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-390

 

અધ્યાય-૯૬-તીર્થયાત્રા-અગસ્ત્યનું ઉપાખ્યાન 


II वैशंपायन उवाच II ततः संप्रस्थितो राजा कौन्तेयो भ्रुरिदक्षिणः I अगस्त्याश्रममासाद्य दुर्जयायामुवास ह् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પુષ્કળ દક્ષિણા આપવાવાળા કુંતીનંદન યુધિષ્ઠિર ત્યાંથી નીકળીને અગસ્ત્યના આશ્રમમાં ગયા.અને દુર્જેય મણિમતી નગરીમાં જઈ વસ્યા.ત્યાં ધર્મરાજે લોમશ મુનિને પૂછ્યું કે-'અહીં અગસ્ત્ય ઋષિએ રોષે ભરાઈ વાતાપિને શા માટે મારી નાખ્યો હતો?તે માનવભક્ષી દૈત્યનો શો પ્રભાવ હતો?(3)

INDEX

INDEX of all Pages of this website
Click on Blue links to see the title in detail
અનુક્રમણિકા

Jan 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-389

 

અધ્યાય-૯૫-યુધિષ્ઠિરની તીર્થયાત્રા ને ગયના યજ્ઞનું વર્ણન 


II वैशंपायन उवाच II ते तथा सहिता वीरा वसंतस्तत्र तत्रह् I क्रमेण पृथिवीपाल नैमिषारण्यमागताः II १ II

વૈશંપાયન બોલ્યા-હે પૃથ્વીપાલ,આ પ્રમાણે સ્થાને સ્થાને મુકામ કરતા તે વીર પાંડવો,પોતાના મંડળ સહિત અનુક્રમે નૈમિષારણ્યમાં આવ્યા,ત્યાં તેમણે ગોમતી નદીમાં સ્નાન કર્યું અને ગયો તથા ધનનાં દાન આપ્યાં.ને 

ત્યાં દેવો,પિતૃઓ ને બ્રાહ્મણોને તૃપ્ત કરીને તેઓ કન્યાતીર્થ,અશ્વતીર્થ,ગોતીર્થ અને કાલકોટી તીર્થમાં ગયા ને 

વિપપ્રસ્થગિરિ પર મુકામ કર્યો.ત્યાં સર્વેએ બાહુદા નદીમાં સ્નાન કર્યુ.(4)

Jan 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-388

 

અધ્યાય-૯૪-ધર્મે જય ને પાપે ક્ષય 


II युधिष्ठिर उवाच II न वै निर्गुणमात्मानं मन्ये देवर्षिसत्तम I तथाSस्मि दुःखसंतप्तो यथा नान्यो महीपतिः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે દેવર્ષિશ્રેષ્ઠ,હું મારી જાતને ગુણરહિત માનતો નથી,છતાં હું દુઃખથી એટલો સળગી રહ્યો 

છું કે મારા જેટલો બીજો કોઈ રાજા સળગ્યો નહિ હોય.શત્રુઓને હું ગુણહીન અને અધર્મયુક્ત માનું છું,

તો હે લોમશમુનિ,તેઓ એવા કયા કારણે આ લોકમાં વૃદ્ધિ પામી રહ્યા છે?

Jan 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-387

 

અધ્યાય-૯૩-પાંડવોનું યાત્રાગમન 


II वैशंपायन उवाच II ततः प्रयांत्तं कौन्तेयं ब्राह्मणा वनवासिनः I अभिगम्य तदा राजनिदं वचनमब्रुवन् II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પછી પ્રયાણ માટે તૈયાર થયેલા કુંતીનંદન યુધિષ્ઠિર પાસે જઈને વનવાસી બ્રાહ્મણો બોલ્યા કે-'હે મહારાજ,તમે અમને પણ તીર્થયાત્રામાં સાથે લઇ જાઓ કેમકે તમારા વિના અમે એ તીર્થોમાં જવા સમર્થ નથી,હિંસક પ્રાણીઓથી ભરેલાં અને વિકટ તથા વિષમ સ્થાનોવાળાં એ તીર્થોમાં સામાન્ય મનુષ્યોથી જઈ શકાય તેમ નથી.તમે સર્વ ભાઈઓ શૂરવીર ને શ્રેષ્ઠ ધનુર્ધારીઓ છો,એટલે તમારાથી રક્ષાઇને અમે બધા તીર્થયાત્રા  ને તીર્થસ્નાન કરીશું ને તમારી જેમ અમે પણ યાત્રાનું સુખદાયી ફળ પામીશું.(10)