સુખ અને શાંતિની આડે જે અવરોધો આવે છે
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 1, 2024
Where is Happiness and peace? Gujarati-સુખ અને શાંતિ ક્યાં છે ?
સુખ અને શાંતિની આડે જે અવરોધો આવે છે
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-413
અધ્યાય-૧૨૦-સાત્યકિનું ભાષણ
II सात्यकिउवाच II
न राम कालः परिदेवनाय यदुत्तरंत्वश्व तदेव सर्वे I समाचरामो ह्वनितकालं युधिष्ठिरो यद्यपि नः किंचित् II १ II
સાત્યકિ બોલ્યો-'હે રામ,આ વખત શોક કરવાનો નથી.આ યુધિષ્ઠિર તો કશું કહેતા નથી,છતાં હવે પછી જે કરવા યોગ્ય છે તે આપણે સૌએ વખત ગુમાવ્યા વગર કરી નાખવું જોઈએ.જેઓ આ લોકમાં પાલનહાર છે તેઓ પોતે કાર્યનો આરંભ કરતા નથી.જેમ,શિબિ રાજાએ યયાતિનાં કાર્યો કર્યાં હતાં,તેમ તે પાલનકર્તાઓ જ તેમનાં કાર્યો કરી દે છે.વળી,આ લોકમાં પાલનકર્તાઓ સ્વમતથી જેમનાં કાર્યો કરે છે,તે સનાથ પુરુષવીરો અનાથની જેમ કષ્ટ ભોગવતા નથી.આપણે સર્વ હોવા છતાં,યુધિષ્ઠિરે શા માટે વનવાસ કરવો પડે છે?(4)
Jan 31, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-412
અધ્યાય-૧૧૯-બલરામનાં વચનો
II जनमेजय उवाच II प्रभासतीर्थमासाद्य पांडवा युष्ण्यस्तथा I किं कुर्वन्कथाश्चैषां कास्तत्रासंस्तपोधन II १ II
જન્મેજય બોલ્યા-'હે તપોધન,પાંડવો ને યાદવોએ પ્રભાસતીર્થમાં શું કર્યું?એમની વચ્ચે શી વાતો થઇ?
કારણકે યાદવો અને પાંડવો,સર્વ શાસ્ત્રોમાં કુશળ,વીર અને પરસ્પર મિત્રતા ધરાવે છે.
વૈશંપાયન બોલ્યા-'મહાસાગરના કિનારે,પ્રભાસમાં આવીને યાદવો,પાંડવોને વીંટાઇને બેઠા હતા
ત્યારે ઉજ્જવળ કાંતિવાળા,હળધર બલરામ,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-
Jan 30, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-411
અધ્યાય-૧૧૭-પરશુરામે કરેલો ક્ષત્રિયોનો સંહાર
II राम उवाच II ममापराद्यातैः क्षुद्रैर्हतस्त्वं तात बालिशैः I कार्तवीर्यस्य दायादैर्वने मृग इवेपुभिः II १ II
રામ બોલ્યા-'હે પિતા,જેમ,વનમાં પારધીઓ મૃગને મારે છે તેમ તે કાર્તવીર્યના નીચ ને મૂર્ખ પુત્રોએ તમને મારા અપરાધને લીધે મારી નાખ્યા છે.હે પિતા,સન્માર્ગે વર્તનારા અને પ્રાણીમાત્ર તરફ નિર્દોષ વર્તન રાખનારા તમને ધર્મવેત્તાને આવું મોત ક્યાંથી યોગ્ય હોઈ શકે? તપમાં રહેલા ને સામે ન લડતા એવા વૃદ્ધને સેંકડો બાણોથી જેને હણ્યા છે તેણે શું પાપ નથી કર્યું?' આ પ્રમાણે અનેક રીતે કરુણ વિલાપ કરીને,તેમણે પોતાના પિતાને અગ્નિદાહ આપી ને પિતાનાં સર્વ પ્રેતકાર્યો કર્યાં.પછી સર્વ ક્ષત્રિયોનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી (6)
Jan 29, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-410
અધ્યાય-૧૧૬-પરશુરામ ચરિત્ર અને જમદગ્નિનો વધ
II अकृतव्रण उवाच II स वेदाध्ययने युक्तो जम्दग्निर्महातप: I तपस्तेपे ततो वेदान्नियमाद्वशमानयत II १ II
અકૃતવ્રણ બોલ્યા-'વેદના અધ્યયનમાં પરાયણ અને મહાતપસ્વી એવા તે જમદગ્નિએ તપ કર્યું ને નિયમપૂર્વક વેદોને વશ કર્યા.પછી,તેણે પ્રસેનજીત રાજા પાસે જઈને તેની દીકરી રેણુકાની માગણી કરી,એટલે તે રાજાએ તેમને પોતાની દીકરી પરણાવી.રેણુકાને પત્ની તરીકે પામીને તે ભાર્ગવનંદન આશ્રમવાસી થઇ પત્ની સાથે તપ કરવા લાગ્યા.તે રેણુકાને પાંચ પુત્રો જન્મ્યા.એ સૌ પુત્રોમાં પરશુરામ સહુથી નાના હતા પણ ગુણમાં સહુથી શ્રેષ્ઠ હતા(4)
(નોંધ-આગળ કહ્યા મુજબ,સત્યવતીના આ પૌત્ર,ભૃગુઋષિના વચન મુજબ ક્ષત્રિયવૃત્તિના થયા હતા !!)
Jan 28, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-409
અધ્યાય-૧૧૫-પરશુરામ ચરિત્રનો આરંભ
II वैशंपायन उवाच II स तत्र तमुपित्वकां रजनीं पृथिवीपतिः I तापसानां परम् चक्रे सत्कारं भ्रातृभिः सः II १ II
વૈશંપાયન બોલ્યા-'તે પૃથ્વીપતિ યુધિષ્ઠિરે ભાઈઓ સાથે ત્યાં મહેન્દ્રાચળ પર્વત પર મુકામ કરીને ત્યાંના તપસ્વીઓનો પરમ સત્કાર કર્યો.ત્યાં લોમશે યુધિષ્ઠિરને ભૃગુ,અંગિરા,વસિષ્ઠ અને કશ્યપના તે સર્વ તપસ્વીઓ વિષે કહ્યું.એટલે રાજર્ષિએ તેમની પાસે જઈને તેમને પ્રણામપૂર્વક અભિનંદન કર્યાં અને પરશુરામના અનુચર વીર અકૃતવ્રણને પૂછ્યું કે-'ભગવાન પરશુરામ ક્યારે દર્શન આપશે? હું તે ભાર્ગવનાં દર્શન કરવા ઈચ્છું છું' (4)
Jan 27, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-408
અધ્યાય-૧૧૪-વૈતરણી ને વેદીનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II ततः प्रयातः कौशिक्याः पांडवो जनमेजय I आनुपुच्येण सर्वाणि जगाप्रायातनान्यथ II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી પાંડવો કૌશીકીથી નીકળીને અનુક્રમે સર્વ તીર્થોએ ગયા.
તે ગંગાસાગરના સંગમે આવ્યા ને ત્યાં તેમણે પાંચસો નદીઓની મધ્યમાં સ્નાન કર્યું,
ને ત્યાંથી યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે સમુદ્રના કિનારે કિનારે કલિંગ તરફ ગયા.
Jan 26, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-407
અધ્યાય-૧૧૩-વેશ્યાઓ સાથે ઋષ્યશૃંગનું પ્રયાણ
II विभांडक उवाच II
रक्षांसि चैतानि चरितं पुत्र रूपेण तेनाद्भुतदर्शनेन I अतुल्यविर्याण्यभि रूपवती विघ्नं सदा तपसश्वितयन्ति II १ II
વિભાંડક (કાશ્યપ)બોલ્યા-બેટા,રાક્ષસો આવાં અદભુત દર્શનવાળું રૂપ લઈને ઘૂમે છે.અતુલ પરાક્રમવાળા અને રૂપવાન એવા તે રાક્ષસો હંમેશાં તપમાં વિઘ્ન નાખવાનું કાર્ય કરે છે.તેઓ મુનિઓને વિવિધ ઉપાયોથી લોભાવી ને ઉત્તમલોકથી ભ્રષ્ટ કરે છે.માટે ઉત્તમલોકની ઈચ્છા રાખનારા સ્થિર મન વાળા મુનિએ ક્યારે ય એ રાક્ષસોની સેવા કરવી નહિ કે તેમની સામે જોવું પણ નહિ.હે પુત્ર,જે પીણાં તેં પીધાં છે,તે તો સજ્જનોએ નહિ પીવા યોગ્ય મદ્યો છે.વળી આ જે સુગંધથી મહેકતી ફુલમાળાઓ છે તે મુનિજનો માટે શાસ્ત્ર વિરુદ્ધ છે.તેઓ તો રાક્ષસો છે.
Jan 25, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-406
અધ્યાય-૧૧૨-ઋષ્યશૃંગનો પિતાને ઉત્તર
II ऋष्यशृंग उवाच II
इहागतो जटिलो ब्रह्मचारी न वै हृस्वो नातिदीर्गो मनस्वी I सुवर्णवर्णः कमलायताक्षः स्वर्तः सुराणामिव शोभमानः II १ II
ઋષ્યશૃંગ બોલ્યા-અહીં એક જટાધારી બ્રહ્મચારી આવ્યો હતો,તે મનસ્વી,ન તો નાનો કે ન તો અતિ લાંબો હતો.
તેનો વર્ણ સુવર્ણ જેવો હતો ને તેનો આંખો કમળ જેવી વિકસેલી હતી,આકાશના દેવોના જેવી તેની શોભા હતી.
તે રૂપનો ભંડાર હતો અને સૂર્યના જેવો ઝળહળતો હતો.તે અત્યંત ગૌર હતો,તેની કાળી જટા મનોરમ હતી.
તેના ગળામાં વીજળી ચમકે એવું આભૂષણ હતું ને તે ગળાની નીચે બે ગોળ દડા હતા,કે જે રોમરહિત ને
મનને હરનારા હતા.તેનો નાભિનો ભાગ મધ્ય્માં ઊંડો હતો,તેની કેડ અત્યંત પાતળી હતી.
Jan 24, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-405
અધ્યાય-૧૧૧-ઋષ્યશૃંગનો મોહ
II लोमश उवाच II सा तु नाव्याश्रमं चक्रे राज्यकार्यार्थसिध्ध्ये I शासनाचैव नृपतेः स्वबुद्ध्या चैव भारत II १ II
લોમશ બોલ્યા-હે ભારત,પછી તે સ્ત્રીએ રાજાની સહાય ને આજ્ઞાથી,પોતાની બુદ્ધિથી તે કાર્ય માટે એક
અદભુત અને અનુપમ દેખાવવાળો નૌકાશ્રમ (તરતા વહાણમાં આશ્રમ) બનાવ્યો અને તેને કાશ્યપના આશ્રમથી
થોડેક દૂર બાંધ્યો.પછી,દૂતો મારફત તેણે 'મુનિ આશ્રમમાં ક્યારે નથી હોતા?' તે વિષે તપાસ કરાવી.
Jan 23, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-404
અધ્યાય-૧૧૦-ઋષ્યશૃંગનું આખ્યાન
II वैशंपायन उवाच II ततः प्रयातः कौन्तेयः क्रमेण भरतर्षम I नंदामपरनंदां च नद्यो पापमयापहे II १ II
વૈશંપાયન બોલ્યા-'હે ભરતશ્રેષ્ઠ,પછી,કુંતીનંદન યુધિષ્ઠિર,પાપ ને ભયને દૂર કરનાર નંદા ને અપરાનંદા એ બે નદીઓ તરફ અનુક્રમે ગયા.ત્યાં ઉપદ્રવરહિત હેમકુટ પર્વત પાસે પહોંચીને,તેમને અનેક અચિંત્ય ને અદભુત પદાર્થો જોયા.ત્યાં વાયુ વડે બંધાયેલા હજારો મેઘો પથ્થર જેવા થઇ ગયા હતા.ને મનુષ્યો તેના પર ચડી શકતા નહોતા.
ત્યાં નિત્ય પવન વાતો હતો ને નિરંતર વરસાદ વરસતો હતો.ત્યાં સ્વાધ્યાયનો ઘોષ સંભળાતો હતો,પણ સ્વાધ્યાય કરનાર દેખાતો નહોતો.ત્યાં સવાર-સાંજ અગ્નિનાં દર્શન થતાં હતાં ને તપમાં વિઘ્ન કરનારી માખીઓ ડંખો દેતી હતી.ત્યાં મનુષ્યને ગ્લાનિ થતી હતી ને તેમને પોતાના ઘરબાર સાંભરતાં હતાં,યુધિષ્ઠિરે આવા અનેક અદભુત ભાવો જોયા એટલે તે આશ્ચર્યોના સંબંધમાં તેમણે લોમશ ઋષિને પૂછ્યું.(6)
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-403
અધ્યાય-૧૦૯-ગંગાનું પૃથ્વી પર અવતરવું
II लोमश उवाच II भगिरथवचः श्रुत्वा प्रियार्थ च दिवौकसाम् I एवमस्तित्व्ति राजानं भगवानप्रस्त्यमापत II १ II
લોમશ બોલ્યા-'ભગીરથનાં વચન સાંભળીને ભગવાન શંકરે કહ્યું કે-'ભલે તેમ થાઓ.ગગનમાંથી ઉતરેલી
ગંગાને હું તારે માટે ધારણ કરીશ.તું હિમાચલની પુત્રી એવી ગંગાનદીને અવતરવાની પ્રાર્થના કર'
ત્યારે રાજાએ સ્વસ્થ થી,વિનમ્ર બની ગંગાનું ચિંતન કર્યું,ત્યારે ગંગાજી ભગવાન શંકરને ત્યાં બેઠેલા જોઈ,
સ્વર્ગમાંથી એકદમ નીચે પડવા લાગી.આ જોઈને દેવો,મહર્ષિઓ,ગંધર્વો,યક્ષો આદિ તેનાં દર્શન કરવાને ભેગા થયા.
ગગનની મેખલા જેવી અને શંકરના લલાટ પર પડતી તે ગંગાને શંકરે મોતીની માળાની જેમ ધારણ કરી.
Jan 22, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-402
અધ્યાય-૧૦૮-ભગીરથનો પ્રયત્ન
II लोमश उवाच II स तु राजा महेष्वासश्चक्रवर्ती महारथः I बभूव सर्वलोकस्य मनोनयननंदनः II १ II
લોમશ બોલ્યા-મહાચાપધારી,ચક્રવર્તી અને મહારથી એવો તે ભગીરથ રાજા,સર્વલોકોનાં મન અને નયનને આનંદકારી થયો.તે મહાબાહુએ સાંભળ્યું કે પોતાના પિતૃઓ કપિલના ક્રોધ વડે ઘોર મૃત્યુ પામ્યા છે અને તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઇ નથી ત્યારે તેના હૃદયને દુઃખ થયું અને તે મંત્રીઓને રાજ્ય સોંપીને હિમાલયની પાડોશમાં તપ કરવા ગયો.તપથી પાપમુક્ત થયેલા અને ગંગાની આરાધના કરવા ઇચ્છતા તે રાજાએ હિમાલયને જોયો.(4)
Jan 20, 2024
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-401
અધ્યાય-૧૦૭-સગરના સાઠ હજાર પુત્રો બળી ગયા
II लोमश उवाच II एतच्छ्रुत्वांतरिक्षाय स राजा राजसत्तमः I यथोक्तं तद्यकाराय श्रदवय भरतर्षभ II १ II
લોમશ બોલ્યા-'હે ભરતસિંહ,રાજશ્રેષ્ઠ તે રાજાએ આ અંતરિક્ષવાણી સાંભળીને,તે વિષે શ્રદ્ધા રાખી,તેના કહ્યા પ્રમાણે કર્યું.પુત્રરક્ષણ માટે તત્પર રહેલા એણે તે દરેક માટે એકએક ધાવ રાખી.ને રુદ્રની કૃપાથી લાંબા સમયે તેને સાઠ હજાર પુત્રો થયા.તે પુત્રો ભયંકર,ક્રૂરકર્મી અને આકાશમાં દોડનારા હતા,ને અનેક હોવાથી તેઓ દેવો સહિત સર્વ લોકોની અવજ્ઞા કરતા હતા.મંદબુદ્ધિવાળા તે સગરપુત્રોથી પીડાઈ રહેલા સર્વ દેવો બ્રહ્માને શરણે ગયા.








