Want to read more books on line for free? ગુજરાતી-બુક-લાયબ્રેરીમાં જવા અહી ક્લિક કરો
Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
May 2, 2024
Bhagvan Parshuram-Gujarati Novel PDF-By K M Munshi-ભગવાન પરશુરામ-ક.મા.મુનશી
Want to read more books on line for free? ગુજરાતી-બુક-લાયબ્રેરીમાં જવા અહી ક્લિક કરો
મહેંક-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-504
અધ્યાય-૨૨૫-સ્વાહાથી કાર્તિકેય (સ્કંદ)ની ઉત્પત્તિ
II मार्कण्डेय उवाच II शिवा भार्या त्वंगीरस: शीलरूपगुणान्विता I तस्याः सा प्रथमं रूपं कृत्वा देवी जनाधिप II १ II
માર્કંડેય બોલ્યા-હે જનનાથ,તે સ્વાહાએ પ્રથમ અંગિરાની પત્ની 'શિવા'નું રૂપ લીધું ને અગ્નિ પાસે જઈને કહેવા લાગી કે-'હે અગ્નિ,હું અંગિરાની શિવા નામની પત્ની છું તમે મારો સ્વીકાર કરો.બીજી ઋષિપત્નીઓએ મંત્રણા કરીને મને મોકલી છે.તમારા હાવભાવ પરથી તમારું મન જાણી લઈને તેઓએ મને અહીં મોકલી છે,તમે મારી કામવાસનાને ઝટ સંતોષો,તેઓ મારી વાટ જુએ છે,મારે ત્યાં જલ્દી પહોંચી જવું પડશે'
May 1, 2024
ભભૂતિ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-503
અધ્યાય-૨૨૩-કાર્તિકેયની જન્મકથા ને કેશી દૈત્યનો પરાજય
II मार्कण्डेय उवाच II अग्नीनां विविधा वंशाः कीर्तितास्ते मयानध I शृणु जन्म तु कौरव्य कार्तिकेयस्य धीमतः II १ II
માર્કંડેય બોલ્યા-હે નિષ્પાપ,મેં તમને અગ્નિઓના વિવિધ વંશો વિષે કહ્યું હવે,બુદ્ધિમાન કાર્તિકેય(સ્કંદ) ની જન્મકથા સાંભળો.'અદભુત' અગ્નિને બ્રહ્મર્ષિઓની ભાર્યાઓથી એક પુત્ર (સ્કંદ-કે કાર્તિકેય) થયો હતો.
Apr 30, 2024
બુઝાતો દીપક-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-502
અધ્યાય-૨૨૧-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન (ચાલુ)
II मार्कण्डेय उवाच II गुरुमिर्नियमैर्जातो भरतो पावकः I भरत्येप प्रजाः सर्वास्ततो भरत उच्यते II १ II
માર્કંડેય બોલ્યા-બ્રહસ્પતિના વંશનો ભરત નામનો અગ્નિ ભારે નિયમો ધારણ કરવાથી જન્મ્યો હતો.તે તુષ્ટ થઈને પુષ્ટિ આપે છે તેથી તેનું બીજું નામ પુષ્ટિમતિ છે.તે સર્વ પ્રજાઓનું ભરણપોષણ કરે છે તેથી તેને ભરત કહેવામાં આવે છે.
તપનો ત્રીજો પુત્ર જે શિવ નામે અગ્નિ છે તે (નિર્વિકલ્પ સમાધિમાં) ચૈતન્ય શક્તિની પૂજામાં તત્પર રહે છે.
આ ઉપરાંત વેદ પારંગત બ્રાહ્મણો કહે છે કે તેને ઉષ્મા,મનુ,શંભુ,આવસ્થ્ય,સૂર્ય આદિ પુત્રો પણ હતા.
Apr 29, 2024
ફોરમ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-501
અધ્યાય-૨૨૦-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન (ચાલુ)
II मार्कण्डेय उवाच II काश्यपो ह्यथं वासिष्ठः प्राणश्च प्राणपुत्रकः I अग्निरांगिरसश्चेव च्यवनस्त्रिसुवर्चकः II १ II
માર્કંડેય બોલ્યા-તે ઉકથે,પુત્રને અર્થે અનેક વર્ષો સુધી તીવ્ર તપશ્ચર્યા કરી હતી,તેણે ઇચ્છયું હતું કે 'મને બ્રહ્મા જેવો યશસ્વી અને ધર્મનિષ્ઠ પુત્ર થાય' તે કાશ્યપ (ઉકથ),વાસિષ્ઠ પુત્ર,પ્રાણનો પુત્ર,આંગિરસ ચ્યવન અને ત્રિસુવરચક-
આ પાંચ અગ્નિઓએ ભેગા મળીને મહાવ્યાહૃતિ મંત્ર દ્વારા ધ્યાન ધર્યું,ત્યારે એક પંચવર્ણ તેજ પ્રગટ થયું તે
'પાંચજન્ય' (તપ) અગ્નિ કહેવાયો.તેણે દશ હજાર વર્ષ તપશ્ચર્યા કરી દક્ષિણાગ્નિ ઉત્પન્ન કર્યો.તેણે મસ્તકથી બૃહતને, મુખથી રથન્તરને,નાભિથી શિવને,બળથી ઇન્દ્રને,પ્રાણથી વાયુને તથા અગ્નિને,અને બંને બાહુઓથી મન,ઇન્દ્રિયો,પંચમહાભૂતો તથા બે સ્વરો (પ્રાકૃત અનુદાત્ત ને વૈકૃત અનુદાત્ત) ઉત્પન્ન કર્યા.
Apr 28, 2024
દોષ શું?-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-500
અધ્યાય-૨૧૯-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન
II मार्कण्डेय उवाच II बृहस्पतेश्चान्द्रमसी भार्यासीद्या यशस्विनी I अग्निन्साजनयपुण्यान्पडेका चापि पुत्रिकाम् II १ II
માર્કંડેય બોલ્યા-બૃહસ્પતિને તારા નામે યશસ્વિની ભાર્યા હતી,તેણે છ પવિત્ર અગ્નિઓને અને એક પુત્રીને જન્મ
આપ્યો હતો.યજ્ઞોની આહુતિમાં જે અગ્નિને પ્રથમ હવિ આપવામાં આવે છે તે શંયુ(અગ્નિ) પ્રથમપુત્ર છે.
શંયુને,પત્ની સત્યાસત્યા (કે જે ધર્મની પુત્રી હતી)થી પુત્ર ભરદ્વાજ (અગ્નિ) પુત્ર ભરત ને ત્રણ પુત્રીઓ થઇ.
ભરતને પાવક નામે પુત્ર થયો હતો.ને ભરદ્વાજને વીરાં નામની ભાર્યાથી 'વીર' (અગ્નિ) પુત્ર થયો હતો.
આ વીરે,શરયુ નામની પત્નીથી સિદ્ધિ નામના પુત્રને ઉત્પન્ન કર્યો હતો.
Apr 27, 2024
દુઃખોના વખ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-499
અધ્યાય-૨૧૭-અગ્નિ સંબંધી કથા
II वैशंपायन उवाच II श्रुत्वेमां धर्मसंयुक्तां धर्मराजः कथां शुभाम् I पुनः पप्रच्छ तमृपिं मार्कण्डेयमिदं तदा II १ II
વૈશંપાયન બોલ્યા-આ ધર્મયુક્ત શુભ કથા ફરી સાંભળીને ધર્મરાજે માર્કંડેય ઋષિને ફરી પૂછ્યું કે-
'પૂર્વે અગ્નિ કેમ જળમાં પેસી ગયો હતો?અગ્નિ નાશ પામ્યો ત્યારે મહાકાંતિમાન અંગિરા ઋષિએ અગ્નિરૂપ બનીને કેવી રીતે હવ્યોને વહ્યાં હતાં? અગ્નિ જો એક જ છે તો કર્મોથી એની અનેકરૂપતા કેમ જોવા મળે છે? કાર્તિકસ્વામી કેવી રીતે અગ્નિના પુત્ર થયા?તે શી રીતે તે રૂદ્રથી ઉત્પન્ન થયા?તે કઈ રીતે કૃતિકામાં જન્મ પામ્યા?આ સર્વ હું આપની પાસેથી યથાર્થ સાંભળવા ઈચ્છું છું,કેમ કે મને આ વિશે કુતુહલ થયું છે (5)
Apr 26, 2024
સ્પર્શ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-498
અધ્યાય-૨૧૬-પૂર્વજન્મના શાપનું વૃતાંત
II उवाच II एवं शप्तोहमृपिणा तदा द्विजवरोत्तम I अभिप्रसादयमृपिं गिरा त्राहीति मां तदा II १ II
વ્યાધ બોલ્યો-હે શ્રેષ્ઠ દ્વિજવર,ઋષિએ મને આમ શાપ આપ્યો ત્યારે મેં તેમને પ્રસન્ન કરવા કહ્યું કે-
'હે મુનિ,મારુ રક્ષણ કરો.મારાથી અજાણતાં આમ થઇ ગયું છે,તમે ક્ષમા આપો ને પ્રસન્ન થાઓ'
ઋષિ બોલ્યા-મારો આપેલો શાપ મિથ્યા નહિ જ થાય છતાં હું તારા પર કૃપા કરીશ,શૂદ્રયોનિમાં જન્મવા
છતાં તું ધર્મજ્ઞ થશે,માતપિતાની સેવા કરશે,ને તેને પ્રતાપે તું સિદ્ધિ અને મહત્તા પામશે.
તને પૂર્વજન્મની સ્મૃતિ રહેશે,અને શાપનો અંત આવશે એટલે તું ફરીથી બ્રાહ્મણ થશે'
પછી,મેં તેમના શરીરમાંથી બાણ ખેંચી કાઢ્યું ને ત્યાંથી આશ્રમમાં લઇ જઈને સુશ્રુષા કરી એટલે તેમના
પ્રાણ બચી ગયા.આ મારુ પૂર્વજન્મનું વૃતાંત કહ્યું.હવે મારે થોડા જ સમયમાં સ્વર્ગે જવાનું થશે.(8)








