અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.તે ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ? એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-દેવી તમે કોણ છો ? પત્નીએ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.
Nov 4, 2019
Nov 2, 2019
ભાગવત રહસ્ય-૯૮
મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિના આશ્રમમાં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.વિચારે છે-પ્રભુએ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,પણ હું કન્યાની પરીક્ષા કરું.
કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.
કર્દમ વિવેકથી કન્યાની પરીક્ષા કરે છે.કર્દમઋષિએએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.
Nov 1, 2019
ભાગવત રહસ્ય-૯૭
વિદુરજી –મૈત્રેયજીને કહે છે-કે-આપ કર્દમ અને દેવહુતિના વંશની કથા કહો. કપિલ ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા છે.
મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમને ત્યાં પ્રગટ થયા છે.કર્દંમ=ઇન્દ્રિયોનું દમન કરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.
ઇન્દ્રિયોના નિગ્રહથી શરીરમાં સત્વ-ગુણની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે.
મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમને ત્યાં પ્રગટ થયા છે.કર્દંમ=ઇન્દ્રિયોનું દમન કરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.
ઇન્દ્રિયોના નિગ્રહથી શરીરમાં સત્વ-ગુણની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાનનો ઝરો ફૂટે છે.
Subscribe to:
Posts (Atom)