Jan 7, 2020

ભાગવત રહસ્ય-૧૫૧

અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયાથી-માયા માં ફસાયેલો 
(૨) અજ=ઈશ્વર,ઈશ્વર માં સર્વ રીતે મળી ગયેલો.
માયા નું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન-માળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે.
શંકરાચાર્યે મણિરત્ન=માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.

Jan 6, 2020

ભાગવત રહસ્ય-૧૫૦

મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી (મશ્કરીમાં),તાનનો આલાપ લેવામાં અથવા કોઈની અવહેલના કરવામાં-પણ-જો કોઈ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરે છે-તો તેનાં પાપ નષ્ટ થાય છે.જો મનુષ્ય લપસે અને પડે ત્યારે,અંગભંગ થાય ત્યારે (મૃત્યુ વેળાએ),સાપ ડંસે ત્યારે,ચોટ લાગે ત્યારે,તાવ-દાહ થાય ત્યારે-વગેરે સમયે વિવશતાથી “હરિ-હરિ” નામનું ઉચ્ચારણ કરે-છે-તે નરકની યાતનાને પાત્ર રહેતો નથી. (ભા.૬-૨-૧૪,૧૫)

Jan 5, 2020

ભાગવત રહસ્ય-૧૪૯

અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં રહેતો હતો.
અજા=માયા, માયામાં ફસાયેલો જીવ તે અજામિલ.અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો,મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.પણ -એક વાર તે જંગલમાં દુર્વા-તુલસી લેવા ગયો હતો.ત્યારે રસ્તામાં એક શૂદ્રને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યાને જોવાથી-તેનું મન બગડ્યું.