કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે.સકામ કર્મમાં દેવ પર જબરજસ્તી થાય છે-“મારું આટલું કામ તમારે કરવું જ પડશે.”સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે.સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો-મનુષ્ય નાસ્તિક થાય છે.તેથી સકામ કર્મની નિંદા કરી છે.ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે.કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો-કે- મારા લાલાજી મારા પર પ્રસન્ન થાય.
Jan 9, 2020
Jan 8, 2020
ભાગવત રહસ્ય-૧૫૨
એક દિવસ ઇન્દ્ર સિંહાસન પર બેઠા હતા.તે વખતે બૃહસ્પતિ ઇન્દ્રસભામાં આવ્યા.
દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.
દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.
Jan 7, 2020
ભાગવત રહસ્ય-૧૫૧
અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયાથી-માયા માં ફસાયેલો
(૨) અજ=ઈશ્વર,ઈશ્વર માં સર્વ રીતે મળી ગયેલો.
માયા નું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન-માળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે.
શંકરાચાર્યે મણિરત્ન=માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.
માયા નું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન-માળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે.
શંકરાચાર્યે મણિરત્ન=માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.
Subscribe to:
Posts (Atom)