ડોંગરેજી મહારાજ ની કથા પર
આધારિત
વિશ્વરૂપ ના પિતા ત્વષ્ટા પ્રજાપતિ ને બહુ દુઃખ થયું. તેમણે વિચાર્યું-મારો દીકરો બહુ સરળ હતો.દેવોએ તેમનું કામ સિદ્ધ થયા પછી –
સ્કંધ-૬-(છઠ્ઠો)-૭
દેવોના તથા પોતાના ગુરુ સભા
માં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાન થી
બૃહસ્પતિએ
દેવો નો ત્યાગ કર્યો,
ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.
આ અવસર સારો છે-એમ જાણી
દૈત્યો એ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવો ને હરાવી સ્વર્ગ નું રાજ્ય દૈત્યો ને
મળ્યું.
હારેલા દેવો બ્રહ્મા પાસે
ગયા. બ્રહ્મા એ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણ નું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા
છો.
હવે કોઈ બ્રહ્મનિષ્ઠ
બ્રાહ્મણ ને ગુરુ માની બૃહસ્પતિ ની ગાદી પર બેસાડો.
દેવો એ પૂછ્યું –એવા
બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે ? બ્રહ્મા એ કહ્યું-ત્વષ્ટા પ્રજાપતિ નો પુત્ર
વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે.
વિશ્વ એટલે જગત .વિશ્વ એટલે
વિષ્ણુ ભગવાન. વિશ્વ ના પ્રત્યેક પદાર્થ માં વિષ્ણુ ને જુએ તે વિશ્વરૂપ.
વિશ્વરૂપ કેવળ બ્રહ્મજ્ઞાની
નહિ પણ બ્રહ્મનિષ્ઠ પણ છે. તેની બ્રહ્મદૃષ્ટિ છે.
બ્રહ્મદૃષ્ટિ રાખનારો બ્રહમવિદ્યા
નો ઉપદેશ કરી શકે છે. અને તેના ઉપદેશ ની અસર પણ થાય છે.
નારાયણ-કવચ એ બ્રહ્મવિદ્યા
છે. કવચ એટલે બખ્તર. નારાયણ-કવચ મંત્રાત્મક બખ્તર છે.
બ્રહ્મા ના કહેવાથી દેવો
વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવો ને નારાયણ-કવચ આપ્યું.
તેથી તેમનું રાજ્ય જે
બૃહસ્પતિ નું અપમાન કરવાથી –અસુરો પાસે ગયું હતું -તે -અસુરો ને હરાવી ને-પાછું
મળ્યું.
વિશ્વરૂપ ને ગુરુની ગાદી
આપી.
વિશ્વરૂપ નું મોસાળ
દૈત્યકુળ માં હતું. વિશ્વરૂપ સર્વ માં બ્રહ્મનિષ્ઠા રાખનાર હતો. તેથી યજ્ઞ માં
દૈત્યો ને પણ આહુતિ આપે છે.
ઇન્દ્ર ને આ જાણવામાં
આવ્યું, તેને આ ઠીક લાગ્યું નહિ. તેની સર્વ માં બ્રહ્મ ભાવના સિદ્ધ થઇ નહોતી. ગુરુ
ને આમ કરવાની ના પાડી,
પણ ગુરુ માનતા નથી, આથી
તેણે વજ્ર થી વિશ્વરૂપ નું મસ્તક કાપી નાખ્યું.
વિશ્વરૂપ ના પિતા ત્વષ્ટા પ્રજાપતિ ને બહુ દુઃખ થયું. તેમણે વિચાર્યું-મારો દીકરો બહુ સરળ હતો.દેવોએ તેમનું કામ સિદ્ધ થયા પછી –
તેને મારી નાખ્યો. તેને
છેતરીને મારી નાખ્યો. હું પણ યજ્ઞ કરીશ. જે યજ્ઞ થી ઇન્દ્રને મારનારો પુત્ર થાય.
ત્વષ્ટા પ્રજાપતિ એ યજ્ઞ
કર્યો. પણ યજ્ઞ ના મંત્ર માં ભૂલ થવાથી, ઇન્દ્ર ને મારનાર ને બદલે-ઇન્દ્ર ના હાથે
મરનાર પુત્ર ઉત્પન્ન થયો.
ઇન્દ્રશસ્ત્રો વિવર્ધસ્ત્ર—(ઇન્દ્ર
શબ્દ ને દીર્ઘ કર્યો અને શસ્ત્રો શબ્દ ને હસ્વ કર્યો.આમ કરવાથી શબ્દાર્થ માં ફરક
થઇ જાય છે.ઇન્દ્ર શબ્દ –પ્રધાન-
થયો. એટલે- ઇન્દ્ર ને મારનાર- ને બદલે -ઇન્દ્ર થી મરનાર –અર્થ થઇ જાય.)
વેદો નો –વેદ મંત્રો નો શુદ્ધ
ઉચ્ચાર મહત્વ નો છે. મંત્ર ના ઉચ્ચારણ માં કે પાઠ માં ભૂલ થાય તો અનર્થ થાય.
એટલે બધા ને વેદો નો અધિકાર
આપ્યો નહોતો. માત્ર વિદ્વાન –જાણકાર –જ વેદો નો પાઠ કરી શકે છે.
(આજકાલ ના જમાના માં તો
વેદો નું પુસ્તક તો શું –પણ પુસ્તક નો ફોટો પણ જોયો હોતો નથી –પણ વ્યાસે વેદો નો
અધિકાર
માત્ર બ્રાહ્મણો ને જ કેમ
આપ્યો? બીજા ને કેમ નહિ? એની ચર્ચા માં મશગુલ થઇ જાય છે-એ શું આશ્ચર્ય નથી ??)