Jan 18, 2020

ભાગવત રહસ્ય-૧૬૨

દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે-પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ?
પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.

Jan 17, 2020

ભાગવત રહસ્ય-૧૬૧

હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.ત્યાં શંડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષનો બાળક તમને શું મારી શકે ? અમે તેણે વરુણપાશમાં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે.

Jan 16, 2020

ભાગવત રહસ્ય-૧૬૦

યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે-કે-“હે,મૈત્રેયી,ઘર,પુત્ર,સ્ત્રી –આદિ જે પ્રિય લાગે છે-તે સુખને માટે પ્રિય લાગે છે.બાકી –પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે (આત્મા વૈ પ્રેયસામ પ્રિયઃ)
પતિના પર પત્નીનો અધિક પ્રેમ હોય છે,તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,પતિને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે.